IMG_20240218_163445

આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં કેટલાક બિસ્માર રસ્તાઓની આગામી દિવસમાં કાયાપલટ કરાશે .

આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં કેટલાક બિસ્માર રસ્તાઓની કાયાપલટ કરાશે 

આંકલાવ  વિધાનસભાના ધારાસભ્યશ્રી અને વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડાના હસ્તે વિવિધ વિસ્તારોમાં પાકા ડામર રોડનું ખાતમુહુર્ત કરાયું

રૂ. 1 કરોડ 2 લાખના ખર્ચે પાકા ડામોર રોડ બનશે .

આણંદ ટુડે | આંકલાવ
આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં કેટલાક બિસ્માર રસ્તાઓની આગામી દિવસમાં કાયાપલટ કરાશે .આંકલાવ  વિધાનસભાના ધારાસભ્યશ્રી અને વિરોધ પક્ષના નેતાશ્રી અમિતભાઈ ચાવડાના હસ્તે આજે વિવિધ વિસ્તારોમાં પાકા ડામર રોડનું ખાતમુહુર્ત કરાયું હતું .
આંકલાવ તાલુકામાં કોસિદ્રા- ભરતપુરા રોડ રૂ 25 લાખ, લાલપુરા -હનુમાનજી મંદિર થી ઇન્દીરા કોલોની ભહડા તળાવ રોડ રૂ 1 કરોડ 25 લાખ ,આસોદર - ઓરીયા વિસ્તાર રોડ રૂ 44 લાખ અને ચમારા -  વિજાપુર ખુટતી કડી રોડ રૂ. 1 કરોડ 2 લાખ રૂપિયા ના વિવિધ મુખ્ય કાચા થી પાકા ડામર રોડ નુ કામ મંજૂર થતાં તેની ખાતમુહૂર્ત વિધિ આંકલાવ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા માન.શ્રી અમિતાભાઇ ચાવડાના હસ્તે કરવામાં આવી હતી.
આ પ્રસંગે એ.પી.એમ.સી ના ચેરમેન મનુભાઈ પઢિયાર તથા આંકલાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્ર સિંહ પઢિયાર, પૂ. શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી ફતેહસિંહ સોલંકી, પૂ. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રતનબેન જાદવ, તથા  શનાભાઇ પઢિયાર, રયજીભાઇ,સહિત કોસિદ્રા, લાલપુરા, આસોદર અને ચમારા વિવિધ ગામોમાં ગામના આગેવાનો સરપંચશ્રીઓ, ગામના ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.