1002763951

આણંદના સાંસદ મિતેષભાઈ પટેલની રજૂઆત રંગ લાવી

આણંદના સાંસદ મિતેષભાઈ પટેલની રજૂઆત રંગ લાવી 

આણંદ જિલ્લાને મળ્યા પાંચ મહત્ત્વપૂર્ણ વિકાસ કાર્યોની મંજૂરી

સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાપન, હાઇવે સુવિધા, ઔદ્યોગિક કનેક્ટિવિટી અને ઐતિહાસિક પ્રવાસન-આણંદ જિલ્લાના વિકાસને નવી દિશા આપતા નિર્ણયો

કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીજી સમક્ષ સાંસદશ્રીની વિગતવાર રજૂઆત બાદ તરત મંજૂર થયા મહત્વના પ્રોજેક્ટ્સ

આણંદ ટુડે | આણંદ

આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલ (બકાભાઈ)ની સતત મહેનત, જનસંવેદનશીલ અભિગમ અને પુરાવા આધારિત અસરકારક રજૂઆતના પરિણામે આણંદ જિલ્લાને પાંચ અત્યંત મહત્વપૂર્ણ વિકાસ કાર્યોની કેન્દ્રીય મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ્સ આગામી વર્ષોમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થશે.

૧. વાસદ મહીસાગર નદી પર સુરક્ષા જાળી — જીવનરક્ષણ માટેનો નિર્ણાયક પગલું

વાસદ વિસ્તારમાં વખત વખતથી બનતી આત્મહત્યાની દુઃખદ ઘટનાઓને ધ્યાનમાં લઈને સાંસદશ્રીએ આ મુદ્દો પ્રાથમિકતા સાથે ઉઠાવ્યો હતો. ગડકરીજીએ તાત્કાલિક મંજૂરી આપતા હવે નદી પર સુરક્ષા જાળી લગાડવામાં આવશે, જે અનેક નિર્દોષ જીવ બચાવવા મદદરૂપ થશે.

૨. વાસદ ફ્લાયઓવરનાં સર્વિસ રોડને પહોળો કરવાની મંજૂરી — દૈનિક ટ્રાફિક જામથી મુક્તિ

ગંભીરા બ્રિજ તૂટી જવાથી સંપૂર્ણ ટ્રાફિક વાસદ તરફ ડાયવર્ટ થતા ભારે જામની સ્થિતિ સર્જાતી હતી. સાંસદશ્રીની રજૂઆત બાદ સર્વિસ રોડ પહોળો કરવાની મંજૂરી મળી છે, જેના કારણે હજારો વાહનચાલકોને રાહત મળશે અને ઇમરજન્સી સેવાઓ ઝડપી બનશે.

૩. NH-48 પર ગોપાલપુરા ગામ પાસે બંને બાજુ સર્વિસ રોડ — અકસ્માતોમાં અસરકારક ઘટાડો

હાઇવે પર સર્વિસ રોડ ન હોવાને કારણે અનેક ગંભીર અકસ્માતો થતા હતા. હવે બંને બાજુ સર્વિસ રોડ બનાવવામાં આવશે, જે સ્થાનિક નાગરિકો અને ખેડૂતોની અવરજવરને સુરક્ષિત બનાવશે.

૪. દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર આણંદનો સીધો પ્રવેશ — ઔદ્યોગિક વિકાસની ગતિ વધશે

હાલમાં એક્સપ્રેસવે પર પ્રવેશ માટે 30 કિમીનું વધારાનું અંતર કાપવું પડતું હતું. સાંસદશ્રીની રજૂઆત બાદ નવો DPR તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થશે, જે આણંદથી સીધો કનેક્શન સુનિશ્ચિત કરશે. આથી ઔદ્યોગિક વિકાસ, સમય બચત અને બળતણ બચત

૫. ઐતિહાસિક દાંડી માર્ગ પહોળો કરાશે — પ્રવાસન અને વારસાનું સંવર્ધન

મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડી યાત્રા સાથે જોડાયેલ આ માર્ગ સાંકડો હોઈ પ્રવાસીઓને સમસ્યાઓ થતી હતી. હવે માર્ગનું વિસ્તરણ થવાથી પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને ઐતિહાસિક વારસાનું સંરક્ષણ વધુ અસરકારક થશે.

સાંસદ મિતેષભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો

સાંસદશ્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજીને તેમજ જિલ્લા ભાજપના નેતાઓ અને હજારો કાર્યકર્તાઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે આ વિકાસ કાર્યો ભાજપ પરિવારના એકજૂટ પ્રયત્નોથી શક્ય બન્યા છે.”

આણંદ જિલ્લાના લાખો નાગરિકોને સીધો લાભ

સુરક્ષા જાળીથી જીવન બચાવાશે

ટ્રાફિક જામમાં ઘટાડો

અકસ્માતોમાં ઘટાડો

ઔદ્યોગિક વિકાસમાં તેજી

ઐતિહાસિક માર્ગોના સંવર્ધનથી પ્રવાસનનો વિકાસ