આણંદ જિલ્લામાં ફરતા પશુ દવાખાનાની સેવા અબોલ પશુઓ માટે બની સંજીવની
આણંદ જિલ્લામાં ફરતા પશુ દવાખાનાની સેવા અબોલ પશુઓ માટે બની સંજીવની
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૧,૩૩,૨૧૨ જેટલાં માલિકીના પશુઓની કરાઈ નિઃશુલ્ક સારવાર
"સેવા,સમર્પણ અને કરુણા : ૧o ગામ દીઠ ફરતું પશુ દવાખાનાની પાંચમી વર્ષગાંઠ
આણંદ ટુડે | આણંદ,
રાજ્ય પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી ચાલાતી સેવા ૧o ગામ દીઠ ફરતું પશુ દવાખાનાની સેવાને આજ રોજ ૫ વર્ષ પૂર્ણ થયાં છે.
૫ વર્ષ પૂર્વે એટલે કે ૨૨ જૂન ૨o૨oના સમયમા આ જ દિવસે આણંદ જિલ્લામા શરૂઆતના સમયમાં માત્ર ૨ ફરતા પશુ દવાખાના સાથે આણંદ જિલ્લાના પૂર્વ કલેકટર શ્રી દિલીપકુમાર રાણા અને તે સમયના નાયબ પશુ નિયામક ર્ડો સ્નેહલ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતુ.
૦૫ વર્ષ વીતતા ગયા અને આ સેવા લોકોના મુખે અમૃત બની ગઈ, અને આને આ સેવા સંજીવની બની છે.આ પાંચ વર્ષ દરમિયાન આણંદ જિલ્લામા કુલ ૭ નવા ફરતા પશુ દવાખાના ચાલુ થયાં છે. જેમાં આણંદ તાલુકામા નાપાડ (તળપદ) અને મોગર બે ફરતા પશુ દવાખાના, ઉમરેઠ તાલુકા મા એક પણસોરા ગામે ફરતા પશુ દવાખાનું, આંકલાવ તાલુકા મા એક બામણગામ ખાતે ફરતા પશુ દવાખાનું, પેટલાદ તાલુકા મા એક પાલજ ગામે ફરતા પશુ દવાખાનું, ખંભાત તાલુકામાં ૨ રાલજ અને જીણજ ગામે ફરતા પશુ દવાખાનું કાર્યરત છે.
અત્યાર સુધીમાં પાંચ વર્ષ દરમિયાન પશુ ચિકિત્સકો દ્વારા ૧,૩૩,૨૧૨ જેટલાં માલિકીના પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે .જેમાં શિડ્યુલ પ્રમાણે ગામમાં જઈને ૧,૨૨,૩o૫ પશુ તથા ઈમરજન્સી કોલ આવ્યા હોય તે મુજબના ૧o,૯o૭ જેટલાં અબોલ પશુઓનો જીવ બચવામાં આવ્યા છે.
નાયબ પશુ પાલન નિયામક ર્ડો મેહુલ પટેલ, ર્ડો વરુણ પટેલ, પોજેક્ટ ઇન્ચાર્જ જૈમિલ દવે દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.
-------

