સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે વિજ્ઞાન અને સંસ્કૃતિના સંગમથી જન્મેલ NeurOm એપ નું લોકાર્પણ
સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે વિજ્ઞાન અને સંસ્કૃતિના સંગમથી જન્મેલ NeurOm એપ નું લોકાર્પણ
આણંદની યુવતી દ્વારા વિકસાવાયેલી ન્યુરોમ' એપ વૈજ્ઞાનિક (બી સી આઈ ) ટેક્નોલોજી થી હવે મગજની ચાલતી ગતિવિધીનું મૂલ્યાંકન કરશે.
આણંદ ટુડે
સાંસ્કૃતિક મૂલ્યો અને આધુનિક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણના અનોખા મિલનનું જીવંત ઉદાહરણ બની રહી છે NeurOm — CerboTech Education Pvt. Ltd. દ્વારા વિકસાવાયેલી Brain-Computer Interface આધારિત એપ્લિકેશન, જેનું લોકાર્પણ રોજ સરદાર પટેલ યુનિવર્સિટીના આદિશંકરાચાર્ય ઓડિટોરિયમ ખાતે યુનિવર્સિટીના કુલપતિશ્રી તથા ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ના હસ્તે ભવ્ય રીતે સંપન્ન થયું.
ન્યુરોમ એ માત્ર ડિજિટલ એપ નથી તે એક વિચાર છે, જેનો ઉદ્ભવ વ્યક્તિના અંતઃશક્તિને ઓળખવા અને મગજના અલખ સંકેતોને સમજવા માટે થયો છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો પ્રો. ડૉ. હરેશકુમાર કેહરીયા (નિદેશક, SPSEC) એ યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ વિશે વાત કરતાં કહ્યું કે CerboTech જેવી સંસ્થાઓ એ ઉદાહરણ છે યુનિવર્સિટીનો ઉદ્દેશ હવે માત્ર ડિગ્રી પૂરું પાડવાનો રહ્યો નથી, પરંતુ યુવાનોને વિચારવામાં, ખોડવામાં અને નવો ઉપક્રમ ઊભો કરવામાં માર્ગદર્શન આપવાનો છે.
પ્રો. ડૉ. સુનિલ ચાકી ડાયરેકટર,SPSEC એ સરદાર પટેલ યુનીવર્સીટી ના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ઉભરી રહેલા સ્ટાર્ટઅપ તથા SPU-SSIP-નાવાધારા ની ઉપલબ્ધી વિશે જાણ કરી.
CerboTech ની સ્થાપિકા તથા યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થીની શ્વેતા પ્રજાપતિ કે જે ઓએ આ એપ વિકસાવી છે તેમને પોતાના ઉદ્દબોધન માં ખુલ્લા દિલથી કહ્યું કે, હું તો એ છોકરી છું જેનાં ૧૮ એટીકેટી (ATKT) હતા. છતાંય આજે હું અહીં NeurOm લઇને ઊભી છું – કેમ કે મારી યુનિવર્સિટીએ મને મારી નિષ્ફળતાઓથી નહીં, પણ મારી ક્ષમતા અને દ્રઢ નિશ્ચયમાંથી ઓળખી. એ મારી પાછળ ઊભી રહી, મારી વાત સાંભળી, મને માર્ગદર્શન આપ્યું.
આ શબ્દો માત્ર એક વ્યક્તિગત સંઘર્ષ નહીં, પરંતુ એ તમામ વિદ્યાર્થીઓ માટે આશાનું સંદેશ છે કે યોગ્ય માળખું અને મંચ મળે તો કોઈ પણ વિચાર હકીકત બની શકે
આશ્ચર્યજનક વિચારભૂમિ રજૂ કરતા તેઓએ કહ્યું કે ન્યુરોમનો મૂળ વિચાર શાસ્ત્રના પાનાંઓમાં મળેલી “શબ્દભેદી બાણ” જેવી વિદ્યા પરથી પ્રેરિત છે. એક એવી વિદ્યા, જેના આધાર પર રાજા દશરથએ અવાજથી લક્ષ્યાંક ભેદ્યો હતો, એકલવ્યએ ગુરુ વિનાની ભક્તિથી યોગ્યતા મેળવેલી અને પૃથ્વીરાજ ચૌહાણે અવાજ પરથી શત્રુને નિશાન બનાવ્યો હતો.
આજના યુગમાં અવાજો બહાર ઓછા અને અંદર વધારે છે,” એમ શ્વેતાએ જણાવ્યું, ન્યુરોમ એ માધ્યમ છે અંદરના અવાજોને સાંભળવા, સમજવા અને સંભાળવા માટે.
આ એપ વ્યકિતની એકાગ્રતા, મેમરી, તણાવ તથા ક્રિયેટિવિટી જેવા પાસાઓનું મૂલ્યાંકન કરીને તેમને સુધારવા માટે ડેટા-સાઈન્ટિફિક પદ્ધતિઓ અને BCI ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
તેમણે સ્પષ્ટતા કરી કે CerboTech માત્ર ન્યુરોમ સુધી સીમિત નથી, પરંતુ BCI ટેકનોલોજીના માધ્યમથી બાળકો અને યુવાનો માટે મગજના ફિટનેસ, અભ્યાસક્ષમતા અને મનના આરોગ્યના ક્ષેત્રે વિવિધ પ્રોગ્રામ્સ તેમજ તાલીમના અભિગમ પર કામ કરે છે. આ ઉપક્રમોમાં વાલીઓ, શિક્ષકો અને થેરાપિસ્ટ્સ પણ જોડાયેલા છે.
વધુ માં તેઓ જણાવ્યું કે સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે આ મૂલ્યાંકન તદન મફત રેહશે.
મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. અભય ધર્મસીએ એ જણાવ્યું કે, ન્યુરોમ જેવી પહેલો દર્શાવે છે કે. આજના યુવાનો માત્ર પ્રશ્નો પૂછતા નથી, પણ તેના ઉકેલો પણ આપે છે તેમણે વિશેષ નોંધનીય વાત એ કરી કે જ્યારે બહુવિધ યુનિવર્સિટીઓમાં ઈનોવેશનને માત્ર ટેક્નોલોજી કે ફંડિંગના દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે, ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીએ એક વિચારને કેન્દ્રસ્થાને રાખીને, તે વિચાર પાછળ ઊભેલા યુવાન પ્રતિભાને સહકાર અને દિશા આપી છે અને એ દૃષ્ટિખૂણો ખરેખર વખાણવા લાયક છે
કાર્યક્રમની અધ્યક્ષતા કરી રહેલા સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. નિરંજનભાઈ પટેલે ન્યુરોમ ના વિઝન અને તેની પાછળ રહેલા સંસ્કૃતિ આધારિત વૈજ્ઞાનિક અભિગમની પ્રશંસા કરતા કહ્યું કે, આ પ્રકારની પહેલો ભારતીય વિચારશૈલી અને આધુનિક ટેક્નોલોજી વચ્ચેનું એક જીવંત બ્રીજ છે. જે – એવું જીવંત માધ્યમ છે, જે સમકાલીન સમયની જરૂરિયાતોને અનુસરે છે અને એક જ સમયે સમાજ માટે ઉપયોગીતા અને સંવેદનાની ભાવના બંનેને ઝીલવી શકે છે.
તેમણે ઉમેર્યું કે “ન્યુરોમ” કોઈ એક ટૂંકાગાળાની તકનિકી શોધ નથી, પરંતુ સરદાર પટેલ યુનિવર્સિટીના યુવા ઉદ્યોગશીલોના સપનાને સાકાર કરતી એવી વિચારયાત્રા છે – જેમાં પૌરાણિક સંકેતોને આધુનિક ટેક્નોલોજીની ભાષામાં ફેરવીને, આધ્યાત્મિકતાને ઔદ્યોગિકતામાં રૂપાંતરિત કરવાની ક્ષમતા છૂપાયેલી છે. NeurOm એ દર્શાવે છે કે જ્યારે યુનિવર્સિટી સજાગ દિશા આપે, ત્યારે ઇનોવેશન માત્ર પ્રોડક્ટ સુધી સીમિત નહીં રહે — તે સંસ્કૃતિ બની જાય.
સ્ટાર્ટઅપની સ્થાપિકા કું. શ્વેતા પ્રજાપતિ, સરદાર પટેલ યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે.
આ એપનું ડેવલપમેન્ટ CerboTech Education Pvt. Ltd. નામના સ્ટાર્ટઅપ દ્વારા થયું છે, જે સરદાર પટેલ યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેસન સેન્ટર, સરદાર પટેલ સ્ટાર્ટઅપ & આંત્રપ્રેન્યોરશીપ કાઉન્સિલ (SPSEC) માં ઇન્ક્યુબેટેડ છે. સૌથી ગૌરવની વાત એ છે કે આ સ્ટાર્ટઅપની સ્થાપિકા કું. શ્વેતા પ્રજાપતિ, સરદાર પટેલ યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે
‘ન્યુરોમ’ એપ Brain-Computer Interface (BCI) ટેકનોલોજી પર આધારિત છે, જે Brain Neuro Test (BNT) રિપોર્ટ દ્વારા યુવાનોના ફોકસ, યાદશક્તિ, ક્રિયેટિવિટી અને માનસિક તંદુરસ્તીનું મૂલ્યાંકન કરે છે. પરિણામે, એપ વ્યક્તિગત રીતે ડિજિટલ માર્ગદર્શન પૂરું પાડે છે, જે શિક્ષણ અને કારકિર્દી બંનેમાં ઉપયોગી બની શકે છે.
આ સ્ટાર્ટઅપને રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા શિક્ષણમંત્રીશ્રી તરફથી પણ પ્રશંસા મળી
આ સ્ટાર્ટઅપને રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા શિક્ષણમંત્રીશ્રી તરફથી પણ પ્રશંસા મળી છે. તેમજ IIT ગાંધીનગર અને બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ જેવી સંસ્થાઓ દ્વારા માન્યતા મળી છે.

