1002718562

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરને સુશોભિત કરાયું

સરદાર@૧૫૦ : રાષ્ટ્રીય એકતા પદયાત્રા

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરને સુશોભિત કરાયું

વિવિધ સ્થળોએ ભીત ચિત્રો દોરાયા

પદયાત્રાના વિવિધ માર્ગો ઉપર ડિસ્પ્લેના માધ્યમથી સરદાર સાહેબના જીવન કવનની ઝાંખી પ્રદર્શિત કરાઈ

આણંદ,
સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા  પદયાત્રાનું આણંદના વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનથી તા.૨૬ નવેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા શુભારંભ થવાનો છે.

આ કાર્યક્રમ અન્વયે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં થી એકતા પદયાત્રા પસાર થવાની છે તે વિસ્તારો સ્વચ્છ અને સુદઢ બનાવવામાં આવ્યા છે. રસ્તાઓ ની દીવાલો ઉપર સરદાર પટેલ ના જીવન ચરિત્ર ઉપર ભીંત ચિત્રો દોરવામાં આવ્યા છે. વિવિધ ઇમારતો રોશની થી ઝગમગાવવામાં આવી છે.

આ ઉપરાંત કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરને જાહેર સ્થળોને  સ્વચ્છ બનાવીને સુશોભિત કરવામાં આવ્યા છે.જેમાં ખાસ કરીને રાષ્ટ્રીય પદ યાત્રા પસાર થવાની છે તે રૂટ ઉપરાંત અન્ય  માર્ગો ઉપર ડિસ્પ્લેના માધ્યમથી સરદાર સાહેબના જીવન કવનની ઝાંખી પ્રદર્શિત કરાઈ છે.

બોરસદ ચોકડી બ્રિજની નીચે પિયર ઉપર વર્ટિકલ ગાર્ડનની કામગીરી કરવામાં આવી અને બોરસદ ચોકડી વિસ્તાર સુશોભિત કરાયો છે.

આ ઉપરાંત મુખ્ય માર્ગો પર આણંદની જનતા માટે વાતાવરણ દેશભક્તિથી તરબોળ બને તેવા ભીંત ચિત્રો પણ દોરાયા છે.
-------