1004245469

GCET બાકરોલમાં ‘અસ્મિતા ગુજરાત’ લોકડાયરો અને લોકનૃત્યથી દેશભક્તિનો રંગ છવાયો

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આર્થિક સહયોગથી સિને મીડિયા ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા

GCET બાકરોલમાંઅસ્મિતા ગુજરાતલોકડાયરો અને લોકનૃત્યથી દેશભક્તિનો રંગ છવાયો

સિને મીડિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં લોકસાહિત્યકાર દિપક બારોટના અને ગાયિકા ધ્રુવી શાહના દેશભક્તિના ગીતોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા

લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

આણંદટુડે
કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આર્થિક સહયોગથી સિને મીડિયા ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા ‘અસ્મિતા ગુજરાત’ અંતર્ગત ભવ્ય લોકડાયરો અને લોકનૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 14 ઓગસ્ટના રોજ બાકરોલ સ્થિત GCET કેમ્પસના ઓડિટોરિયમમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંત શ્રી સત્યદાસજી મહારાજ ઉપપ્રમુખ શ્રી સંતરામ કેળવણી મંડળ ડાયરેક્ટર શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ
સંત શ્રી મોરારદાસજી મહારાજ શ્રી (સંતરામ મંદિર, કરમસદ),પ.પૂ.વૈધરાજ હરિનાથ ઝા (આયુર્વેદ સંકુલ, આણંદ),કમલેશભાઈ દેવેન્દ્રસિંહ ડાભી (ડે. મેચર, કરમસદ આણંદ 
મહાનગરપાલિકા),નીપાબેન પટેલ (ભૂતપૂર્વ રાજ્ય એમએમ સેક્રેટરી અને વર્તમાન રાજ્ય એમએમ કારોબારી નિવેદિતા ફાઉન્ડેશનના ચેરપર્સન),પ્રાપ્તિ મહેતા ગરબા ક્વિન આણંદ),
આનલ આકાશ પટેલ (મંત્રી, વિધાનગર શહેર ભાજપ,ગુજરાત),ડો હર્ષ પંચાલ, (ફાઉન્ડર AMCT ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ,વડોદરા),મહેન્દ્રભાઈ પટેલ  (પ્રમુખ રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ) ,ગીતાબેન સોનવણે (WESHEROES & HELLOHEROES ના સ્થાપક અને CEO),આશિષભાઈ પટેલ ( સામાજીક કાર્યકર ચકલાસી  ),પૂજા પંચાલ(ઇન્ટરનેશનલ મહેંદી આર્ટિસ્ટ) 

લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકસાહિત્યકાર દિપક બારોટે ‘અસ્મિતા ગુજરાત’ વિષયને કેન્દ્રમાં રાખીને લોકસાહિત્ય અને રસપ્રદ રજૂઆત દ્વારા શ્રોતાઓને ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત સાથે જોડ્યા હતા.
આ ઉપરાંત જાણીતા ગાયિકા ધ્રુવી શાહ ની સાથે નિલ્પા શાહે દેશભક્તિના ગીતોની શાનદાર રજૂઆત કરી વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. તેમના મધુર કંઠે રજૂ થયેલા દેશભક્તિના ગીતોથી ઓડિટોરિયમમાં ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા અને કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ ના બાળકો દ્રારા ચાલતી બાલઇન્ડ્સ બિટ્સ ના બાળકો ઓએ દેશ ભકિતી ગીતો રજૂ કર્યા હતા

કાર્યક્રમમાં ભાવેશ ઉસ્તાદ અમદાવાદ, ગોરસંગ ઉસ્તાદ આણંદ, જયેશભાઈ આણંદ, વિહલ્સ ઉસ્તાદ આણંદ અને રાહુલભાઈ અમદાવાદ સહિતના કલાકારોએ પણ પોતાની વિવિધ સાંસ્કૃતિક અને લોકકલાની રજૂઆતો દ્વારા ઉપસ્થિતોને મનોરંજન પૂરું પાડ્યું હતું.
‘અસ્મિતા ગુજરાત’ કાર્યક્રમ દ્વારા ગુજરાતની લોકકળા, લોકસાહિત્ય અને સંગીતની સમૃદ્ધ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુજરાતી સંસ્કૃતિ અને દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.  
કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આર્થિક સહયોગથી સિને મીડિયા ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા ‘અસ્મિતા ગુજરાત’ અંતર્ગત ભવ્ય લોકડાયરો અને લોકનૃત્ય રજૂ કરતા તમામ કલાકારોને પૂરસ્કાર,સન્માન પત્ર અને ટ્રોફી થી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન્તિ કર્યા હતા 
આ કાર્યક્રમનું સફળ સંચાલન સિને મીડિયા ફાઉન્ડેશન પ્રમુખ કલ્પેશ પટેલને ટ્રસ્ટી મંડળે કર્યું હતું અંતમાં સિને મીડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટી નિમિષાબેન જાનીએ આભારવિધિ કરી હતી.