1004407462

UK વણસોલ ૨૭ પાટીદાર સમાજનું ભવ્ય સ્નેહ સંમેલન સંપન્ન

UK વણસોલ ૨૭ પાટીદાર સમાજનું ભવ્ય સ્નેહ સંમેલન સંપન્ન

પ્રી-નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા રતનપુરા ગામ દ્વારા ઉત્સાહભેર આયોજન

બરહામ પાર્ક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નિઃસ્વાર્થ સેવા આપનાર “સાઈલેન્ટ વર્કર્સ” અને પ્રતીકભાઈ પટેલનું વિશેષ સન્માન કરાયું

આગામી ૩ ઓક્ટોબર ૨૦૨૬ના મહોત્સવ માટે સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

આણંદ ટુડે | લંડન,

 UK વણસોલ 27 પાટીદાર સમાજ દ્વારા આગામી 3 ઓક્ટોબર 2026ના રોજ યોજાનાર ભવ્ય 'UK VSPS પ્રી-નવરાત્રી મહોત્સવ'ને સફળ બનાવવા માટે વિવિધ ગામો અને સમાજના અગ્રણીઓ દ્વારા ચાલી રહેલી તૈયારીઓ અંતર્ગત રતનપુરા ગામના પ્રતિનિધિઓ દ્વારા એક ઉત્સાહસભર અને આત્મીય સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્નેહ સંમેલન 31 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી બરહામ પાર્ક, UK ખાતે યોજાયું હતું. રતનપુરા ગામ તરફથી પીનલભાઈ પટેલ અને ગૌરાંગભાઈ પટેલના પ્રતિનિધિત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના ગ્રામજનો, યુવાનો, યુગલો, મહિલાઓ, બાળકો અને વડીલો ઉત્સાહભેર સહભાગી રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન ભોજન, સ્નેહમિલન અને સમાજની આગામી પ્રવૃત્તિઓ અંગે સકારાત્મક ચર્ચા સાથે 3 ઓક્ટોબરના ભવ્ય પ્રી-નવરાત્રી મહોત્સવને વધુ સફળ અને યાદગાર બનાવવા માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પ્રી-નવરાત્રી મહોત્સવમાં પ્રવેશ તેમજ ઉપસ્થિત સૌ માટે ભોજનની વ્યવસ્થા પણ નિઃશુલ્ક કરવામાં આવી છે.”પીનલભાઈ પટેલ અને ગૌરાંગભાઈ પટેલના ઉષ્માભર્યા સંભોધનથી રતનપુરા ગામની સમાજ પ્રત્યેની લાગણી, એકતા અને સહકારની ભાવના ઉજાગર થઈ હતી. રતનપુરા ગામ તરફથી મળેલા આ મજબૂત સહયોગને UK વણસોલ 27 પાટીદાર સમાજની સામાજિક પ્રવૃત્તિઓને નવી દિશા અને ઊર્જા આપનાર મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યું હતું.સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ગામડાં અને સમાજના વિવિધ પરિવારો વચ્ચેનો આવો સ્નેહ અને સહકાર UKમાં સમાજની એકતા, સંગઠન અને આગામી પેઢીને જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ વર્ષોથી સમાજની વિવિધ પ્રવૃત્તિઓમાં પડદા પાછળ રહીને નિષ્ઠાપૂર્વક સેવા આપતા સમાજના “સાઈલેન્ટ વર્કર્સનું જાહેર સન્માન કરાયું હતુ.આવા નિષ્ઠાવાન કાર્યકરોની સેવા, સમય, ઉદારતા અને નિ:સ્વાર્થ સામાજિક યોગદાનને બિરદાવવા માટે પ્રથમવાર તેમને Standing Ovation આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજના યુવાનો અને અન્ય સાથીઓએ પણ કાર્યક્રમ દરમિયાન પોતાના વિચારો રજૂ કરી સામાજિક સેવા માટે નવી પેઢીને પ્રેરિત કરવાનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે સમાજહિત માટે સતત કાર્યરત અને દીર્ઘદ્રષ્ટા તરીકે સેવા આપતા પ્રતીકભાઈ પટેલનું વિશેષ જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.સમાજના સાથીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમને ચાંદીના ગજાનંદ ગણેશજીની મૂર્તિ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માન બાદ પ્રતીકભાઈ પટેલે કરેલા હૃદયસ્પર્શી સંબોધનમાં સમાજ પ્રત્યેની પોતાની લાગણી, નિષ્ઠા અને સામાજિક જવાબદારી વ્યક્ત કરી હતી.આ સન્માન પ્રસંગ સમગ્ર કાર્યક્રમનો ભાવનાત્મક અને યાદગાર તબક્કો બન્યો હતો.પ્રતીકભાઈ પટેલના સન્માન પ્રસંગે ગામડીના અમિતભાઈ પટેલ અને તેમની પુત્રી ખુશીબેન પટેલ ૬ વિશેષ આભાર સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે આજના ઝડપી જીવનમાં “Time is Money" એટલે કે દરેક વ્યક્તિ માટે સમય અત્યંત કિંમતી છે. નોકરી, વ્યવસાય, પરિવાર અને અને જવાબદારીઓ વચ્ચે પોતાના કિંમતી સમયમાંથી સમાજ માટે સમય આપવો એ પોતે જ એક મહાન યોગદાન છે.તેમણે પ્રતીકભાઈ પટેલની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેઓ દરેક વ્યક્તિની વાત ધ્યાનપૂર્વક સાંભળે છે. ઉતાવળમાં નિર્ણય લેતા નથી અને કોઈપણ પરિસ્થિતિને ઊંડાણપર્વક સમજીને વિચારપૂર્વક નિર્ણય લેવાનો અભિગમ ધરાવેછે . સૌની વાત સાંભળવી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું અને ત્યાર બાદ યોગ્ય નિર્ણય લેવો એ સારા નેતત્વની ઓળખ હોવાનું તેમણે જણાવ્યું હતુ .તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રતિકભાઇ કોઈ એક વ્યક્તિ, પરિવાર કે જૂથ પૂરતું વિચારવાને બદલે સમગ્ર સમાજના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સૌને સાથે લઈ આગળ વધવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.આવા નિષ્ઠાવાન કાર્યકરોની સેવા, સમય, ઉદારતા અને નિઃસ્વાર્થ સામાજિક યોગદાનને બિરદાવવા માટે પ્રથમવાર તેમને Standing Ovation આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજના યુવાનો અને અન્ય સાથીઓએ પણ કાર્યક્રમ દરમિયાન પોતાના વિચારો રજૂ કરી સામાજિક સેવા માટે નવી પેઢીને પ્રેરિત કરવાનો સંદેશ આપ્યો હતો.આભાર સંદેશ દરમિયાન પ્રતીકભાઈ પટેલના નિષ્પક્ષ અને નિયમ આધારિત નિર્ણય લેવાના અભિગમની પણ વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી.

આ સ્નેહ સંમેલનમાં વિવિધ સમાજ અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રફુલ્લભાઈ પટેલ પિતાશ્રી હરીશભાઈ—આશીપુરા, જેમણે £101નું રોકડ દાન આપ્યું હતું. મનુભાઈ ત્રિભુવનદાસ પટેલ – આશીપુરા તથા ગોપાલભાઈ ઈશ્વરભાઈ પટેલ – રતનપુરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રતનપુરા ગામ તરફથી ગૌરાંગભાઈ સિતારામભાઈ પટેલ અને પીનલભાઈ પટેલ દ્વારા ફૂલહાર અર્પણ કરી આભારવિધિ કરવામાં આવી હતી.આ પ્રસંગે આગામી 3 ઓક્ટોબર 2026ના UK VSPS પ્રી-નવરાત્રી મહોત્સવ અંગે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અમિતભાઈ પટેલ –ગામડી દ્વારા કાર્યક્રમમાં પાર્કિંગ વ્યવસ્થા અંગે માહિતી આપવામાં આવી હતી. પ્રતીકભાઈ પટેલ–રાસનોલ દ્વારા કાર્યક્રમના રજીસ્ટ્રેશન તથા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અંગે માહિતી આપવામાં આવી હતી.

બીમલભાઈ પટેલ અને રવિ પટેલ દ્વારા બાળકોની એન્ટ્રી તથા કાર્યક્રમની દરેક મિનિટનો સદુપયોગ થાય તે અંગે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.કાર્યક્રમનું સ્ટેજ સંચાલન રવિ પટેલ – ભરોડા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે વિતુલભાઈ પટેલ–ગામડી દ્વારા જાહેર આભારવિધિ કરવામાં આવી હતી.UK વણસોલ 27 પાટીદાર સમાજના આગેવાનો દ્વારા પીનલભાઈ પટેલ અને ગૌરાંગભાઈ પટેલનો વ્યક્તિગત તેમજ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.રતનપુરા ગામ દ્વારા સમાજને આપવામાં આવેલ ઉત્સાહ, સહકાર અને પ્રેરણાને આગામી 3 ઓક્ટોબર 2026ના UK VSPS પ્રી-નવરાત્રી મહોત્સવની સફળતા તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યું હતું.સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે રતનપુરા ગામ તરફથી મળેલો આ મજબૂત સહકાર આવનારા સમયમાં સમગ્ર UK વણસોલ 27 પાટીદાર સમાજની એકતા, સંગઠન અને સામાજિક પ્રવૃત્તિઓને નવી ઊંચાઈ આપશે.કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ દાતાઓ, સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો, મહિલાઓ, બાળકો તથા ઉપસ્થિત તમામ સાથીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે સૌએ એક સંદેશ સાથે આગામી પ્રી-નવરાત્રી મહોત્સવને ભવ્ય અને યાદગાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો .