આણંદના નાયબ કલેકટરશ્રીએ પ્રાંત કચેરીમાંથી વય નિવૃત્ત થતા ડ્રાયવરને આપ્યું અનોખુ સન્માન
આણંદના નાયબ કલેકટરશ્રીએ પ્રાંત કચેરીમાંથી વય નિવૃત્ત થતા ડ્રાયવરને આપ્યું અનોખુ સન્માન
આણંદ ટુડે | આણંદ
કલેકટર કચેરી આણંદમાં પ્રાંત કચેરીનાં સરકારી વાહનનાં ડ્રાયવર તરીકે ફરજ બજાવી વય નિવૃત્ત થતા ઐયુબમીંયા પીરઝાદાને પ્રાંત અધિકારીશ્રી મયુર પરમારએ પોતાની ખુરશીમાં બેસાડી અનોખુ સન્માન આપી તેમજ વય નિવૃત્ત થતા ડ્રાયવરને સરકારી વાહનમાં બેસાડી પ્રાંત અધિકારી જાતે સરકારી વાહન ડ્રાઈવ કરી ઐયુબમીંયાને તેમનાં ધરે મુકવા ગયા હતા, અને ડ્રાયવરને અનોખુ સન્માન આપી, સરકારી સેવામાંથી વિદાય આપી હતી.
આણંદ શહેરમાં સેવાસદન સ્થિત પ્રાંત કચેરીમાં સરકારી વાહનનાં ડ્રાયવર તરીકે ૩૨ વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ ઐયુબમિંયા પિરઝાદા વયમર્યાદાને લઈને નિવૃત્ત થતા પ્રાંત કચેરીનાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેઓનો વિદાય સમારોહ યોજી અનોખી વિદાય આપવામાં આવી હતી,ત્યારે પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર ડૉ.મયુર પરમારએ ઐયુબમિંયા પિરઝાદાની સેવાઓને બિરદાવતા તેઓને શાલ ઓઢાડી, પુષ્પહાર પહેરાવી તેઓને પોતાની પ્રાંત અધિકારીની ખુરસી પર બેસાડી અનોખુ સન્માન આપ્યું હતું, અને એટલુ જ નહી ઐયુબમિંયાએ ફરજ દરમિયાન સરકારી વાહનમાં અધિકારીઓને બેસાડીને ડ્રાઈવીંગ કરીને ફરજ બજાવી છે,ત્યારે નાયબ કલેકટર ડૉ.મયુર પરમારએ ડ્રાયવર ઐયુબમિંયા અને તેમનાં પરિવારને સરકારી વાહનમાં બેસાડીને નાયબ કલેકટર ડૉ.મયુર પરમાર જાતે સરકારી વાહન હંકારીને ઐયુબંમિયાને તેઓનાં ધર મુકવા ગયા હતા અનોખી વિદાય આપી હતી.
એક નિવૃત્ત થતા ડ્રાયવરને નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી ડૉ.મયુર પરમારએ અનોખું સન્માન આપી તેઓની સેવાઓને બિરદાવતા ઐયુબમિંયા પણ ભાવવિભોર થઈ ગયા હતા,અને તેમણે કહ્યું હતું કે મે કયારેય વિચાર પણ કર્યો ન હતો,ત્યારે આવા ઉમદા અધિકારીએ જે માન સન્માન આપ્યું છે, તે તેઓ જીવનભર ભુલી શકશે નહી. તેઓએ ૩૨ વર્ષ સુધી ફરજ દરમિયાન જિલ્લા કલેકટર અને નાયબ કલેકટર કક્ષાનાં અધિકારીઓનાં ડ્રાયવર તરીકે ફરજ બજાવી છે, અને દરેક અધિકારીઓ દ્વારા તેઓને સન્માન આપવામાં આવ્યું છે.
પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર ડૉ.મયુર પરમારે કહ્યું હતું કે ઐયુબભાઈ પિરઝાદા આણંદ જિલ્લાનાં છેલ્લા સરકારી ડ્રાયવર હતા,તેઓ લાંબી ફરજ બજાવી આજે નિવૃત્ત થયા છે,તેઓનાં લાંબા અનુભવનો લાભ આ કચેરીને મળતો હતો,ત્યારે તેઓને માન સન્માન પૂર્વક વિદાય આપવામાં આવી હતી.
નાયબ મામલતદાર સર્વ શ્રી ચૈતન્ય સંધાણી, હરેન્દ્રસિંહ પરમાર સહિત સ્ટાફનાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નિવૃત્ત થતા ઐયુબમિંયાનું સન્માન કરી તેઓને નિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
***

