1001812099

આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ સમસ્યાઓની ભરમાર ઘટવાના બદલે વધી,કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર

આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ સમસ્યાઓની ભરમાર ઘટવાના બદલે વધી,કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર

રોડ રસ્તાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ

આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની દયનીય હાલત,લોકો પરેશાન - કોંગ્રેસ

આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલ્પેશ પઢીયારની અધ્યક્ષતામાં કોંગ્રેસના કાર્યકરોએ ભારે સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટ૨ને આવેદનપત્ર આપીને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની કરી માંગ 

આણંદ
આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ આણંદમાં  સમસ્યાઓની ભરમાર ઘટવાના બદલે હરણફાળ વધતી જાય છે.શહેરીજનો મળવા પાત્ર પ્રાથમિક સુવિધાના લાભથી વંચિત રહેવા પામ્યા છે .શહેરમાં તાજેતરમાં બનાવેલા રોડ રસ્તાઓના કામમાં થયેલ વ્યાપક ભ્રષ્ટાચાર, શહેરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ તેમજ નવી વોર્ડ રચના અંગે શુક્રવારના રોજ આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલ્પેશ પઢીયારની અધ્યક્ષતામાં કોંગ્રેસના કાર્યકરોએ ભારે સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરીને આણંદ જિલ્લા કલેક્ટ૨ને આવેદનપત્ર આપીને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી .
વધુમાં આણંદ નગરપાલિકામાં આણંદ સાથે સાથે કરમસદ નગરપાલિકા ,વિદ્યાનગર નગર પાલિકા,. ગામડી ગામ, જીટોડીયા ગામ, મોગરી ગામ, અને લાંભવેલ ગામને જોડવામાં આવ્યા બાદ એ ગામડાઓના પંચાયતના કામકાજ ઠપ્પ થઈ ગયા અને ત્યાંના નાગરિકોને સરકારી કામકાજ અર્થે ખૂબ જ હાકાલી ભોગવી પડે છે. ગ્રામપંચાયતો દ્વારા જે સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ હતી તે મહાનગરપાલિકા બન્યા બાદ કયાંક ને ક્યાંક પ્રાથમિક સુવિધાઓના લાભથી નાગરિકો વચિત રહેતા જણાય છે.
મહાનગરપાલિકા બન્યા બાદ આણંદ નો જે વિકાસ થવો જોઈએ તેના કરતા ભ્રષ્ટાચાર વધુ થતો હોય એવું જણાઈ રહ્યું છે. આણંદ ગ્રીડ ચોકડી થી ભાલેજ ઓવર બ્રીજ સુધીનો કરોડોના ખર્ચે નવો બનાવેલ રસ્તો પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયો .. રસ્તામાં ઠેર ઠેર ખાડા પડી ગયેલ છે . આણંદ શહેરના વેરાઈ માતા થી જલારામ મંદિર સુધીનો રસ્તો આર.સી.મી. બનાવેલ હોવા છતા થોડા દીવસમા બીસ્માર હાલત ફેરવાય ગયેલ છે. ઉમા ભવન થી આકાશદીપ સુધી રસ્તાની હાલત બીસ્માર થઈગયેલ છે. રોડ રસ્તા ના કોમોમાં બહુ જ મોટા ભ્રષ્ટાચાર થયાની આશંકા છે.
 આણંદ નગરપાલિકાના જુના કોન્ટ્રાક્ટરો તેમજ જે કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કર્યા છે એવા ઘણા કોન્ટ્રાક્ટરોને કેમ હજુ પણ કામ આપવામાં આવી રહે છે રોડ રસ્તા ના કામમાં  ભ્રષ્ટાચાર આચારનાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલીસ્ટ કરવાની પણ માંગ કરાઈ છે

આણંદના વિવિધ વિસ્તારોમાં નવા બનાવેલ રસ્તાઓ થોડાક જ વરસાદમાં  ધોવાઈ ગયા છે ગટરના કામકાજ બાદ રિસર્વેસીંગ કામ હજુ નથી થયું અને લોકો કાદવ કિચડ રસ્તાની બહાર ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડે છે. લોકોને ચોમાસામાં ખૂબ જ મુશ્કેલીઓ ભોગવી પડી રહી છે. સોસાયટીના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક પ્રશ્નોનો કોઈ હલ આવતો નથી.
જ્યારે આણંદના બહારી વિસ્તારો જેવા કે પરિખ ભુવન હોય, વિદ્યા ડેરી રોડ હોય, મંગળપુરા વિસ્તાર હોય સાંગોળપુરા વિસ્તાર હોય, બાકરોલ નો વિસ્તાર હોય મોટી ખોડીયાર નાની ખોડીયાર તેમજ પૂર્વ વિસ્તાર ત્યાં હજુ પણ વિકાસથી વંચિત રહેલ છે. આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ ત્યાં અનેક વિસ્તારો રસ્તાઓ અને  પાણીની સુવિધાઓથી વંચિત છે. આવનાર દિવસોમાં ટાઉન પ્લાનિંગ કરવામાં આવે તેમજ જે વિસ્તારીનો વિકાસ નથી થયો ત્યાં વિવિધ સુવીધા જેવી કે કોમ્યુનીટી હોલ બાગ બગીચા, ગટર લાઈનની સુવિધાઓ, તેમજ પાણીની લાઈનો આપી જે દરેક નાગરિકનો નગરપાલિકામાં હક છે એ આપવામાં આવે તેવી પણ રજૂઆત કરાઇ છે
વધુમા બાકરોલ ગામને આણંદ નગરપાલિકામાં સમાવેશ કરાયા પછી વિકાસથી વંચિત રખાયું છે આજે પણ બાકરોલ ગામમાં પ્રાથમિક સુવિધા નો અભાવ જોવા મળે છે.અનેક સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઇ નથીહાલ ચોમાસાની સિઝનમાં આ સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ થયેલી જોવા મળે છે
મહાનગરપાલીકા સમાવીષ્ઠ વિસ્તારો માં વરસાદી પાણી ભરવાના વારંવાર પ્રશ્નો ઉભા થાય છે. ગામતળ ગણાતા લોટીયા ભાગોળ વિસ્તાર ચોમાસામાં વરસાદી પાણી ભરવવાનો મોટી પ્રશ્નો જોવા મળે છે. તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ ઉપર વરસાદ બાદ લાંબા સમય સુધી વરસાદી પાણી ભરાયેલ છે. ત્યા વરસાદી પાણી ના યોગ્ય નિકાલ કરવા વિનંતી છે.  શહેરમાં આવેલા વિવિધ કાસોની સાફ-સફાઈ કરી વરસાદી પાણીના નિકાલ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવી એ ખૂબ જ જરૂરી છે.
આણંદમાં રોજગાર ધંધો કરતા લારી ગલ્લાઓ, નાની ફેરીઓ કરતા, પથારણાં વાળા લોકો માટે સારો વેન્ડર ઝોન ઉભો કરી અને તેમને રોજગારીની તક આપવાની પણ માગણી કરાઈ છે 
આ ઉપરાંત આણંદ શહેરમાં ઘણી જગ્યાએ ઓવરબ્રીજના કામકાજ ચાલુ  છે ત્યારે સૌથી જૂનો ભાલેજ બ્રિજ હજુ પણ વિકાસથી વંચિત છે. ભાલેજ એક્સપ્રેસ હાઈવેથી જોડતો એકમાત્ર બ્રિજ હોય ત્યાં સતત ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય વારંવાર લોકો દ્વારા રજૂઆત છતાં પણ આજે પણ આ ઓવરબ્રીજના પહોળો કરવામાં તંત્ર કેમ આળસ દાખવી રહ્યું છે .વહેલામાં વહેવી તકે ઓવરબ્રિજને પહોળો કરવા ની પણ માગણી કરાઈ છે.