IMG-20240115-WA0064

વડતાલધામને આંગણે મકરસંક્રાંતિ પર્વે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો

વડતાલધામને આંગણે મકરસંક્રાંતિ પર્વે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો 

ભારત સરકારના મંત્રીશ્રી દેવુસિંહજી ચૌહાણ અને ધારાસભ્ય પંકજ દેસાઈની ઉપસ્થિતિમાં ગૌપૂજન -હાઈવે પર  ગેટનું ભૂમિ પૂજન અને પ્રથમ પાટની સ્થાપના વિધિ સંપન્ન. 

વડતાલ
ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામમાં આચાર્ય મહારાજ , ચેરમેન સ્વામી શ્રીદેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી , પુ નૌતમ સ્વામી , પુ શુકદેવ સ્વામી વગેરે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રસંગ ત્રિવેણી સર્જાણી. ગાય , ગેટ અને પ્રથમ પાટની પૂજાવિધિ થઈ. 
આજરોજ સવારે ૯-૦૦ કલાકે વિધિવત્ ગૌમાતાનું પૂજન વડીલ સંતો અને યજમાનોના વરદ હસ્તે સંપન્ન થયું . સહુએ ગૌપૂજન કરીને રામજન્મભૂમિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની મંગલકામના કરી. તલના લાડુ - કેળા અને ઘાસ અર્પણ કરીને સહુની તૃપ્તિ માટે ગાય માતાને પ્રાર્થના કરી . ત્રણ સો જેટલી  ગીર ગાયોની સેવા વડતાલની ગૌશાળામાં થાય છે. 
ત્યારબાદ ગોમતીજીના કિનારે ચાલી રહેલા અક્ષરભૂવનના બાંધકામમાં પીલર અને કમાનનું આગળ વધતા પ્રથમ પાટની સ્થાપના વિધિ થઈ , જેમાં વડતાલ સંસ્કૃત પાઠશાળાના સંતો અને વિપ્રોએ વેદનાદ કર્યો હતો. આ પ્રસંગે સોમપુરા વિપુલભાઈ , સ્નેહલભાઈ - સ્ટ્રકચર એક્સપર્ટ , આર્કીટેક ચિરાગ ભગત , સતિષભાઈ વડતાલ વગેરેને પૂજ્ય આચાર્ય મહારાજે હાર પહેરાવીને સમગ્ર ટીમને શુભકામના પાઠવી હતી.
અને ૧૦-૩૦ કલાકે ને. હા. નં ૮ થી વડતાલ આવતા રસ્તા પર વિશાળ ૧૬ હજાર ઘુનફુટના પત્થરના ગેટનું ભૂમિપૂજન , આચાર્ય મહારાજ અને સંતોની સાથે સાથે ભારત સરકારના પ્રતિનિધિ મા. મંત્રીશ્રી દેવુસિંહજી ચૌહાણ , ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યુ. કપિલાબેન - નરસંડા સરપંચશ્રી તથા હિરેનભાઈ ડેપ્યુટી સરપંચશ્રી , અમિતભાઈ સરપંચશ્રી વડતાલ , મનિષભાઈ સરપંચશ્રી - પીપળાવ , જીલ્લા પંચાયત સભ્યશ્રીઓ - તાલુકા પંચાયત સભ્યશ્રીઓ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

આ પ્રસંગે શ્રીવલ્લભ સ્વામી શ્રીઘનશ્યામ ભગત ટ્રસ્ટી સભ્ય , પ્રભુતાનંદજી સ્વામી ટ્રસ્ટી સભ્યશ્રી તથા લાલજી ભગત,!હરિઓમ સ્વામી પાઠશાળા , પવન સ્વામી કલાલી , ભાસ્કર ભગત , શામજીભાઈ લંડન તથા મિરાજ  પટેલ- કાઉન્લીલર હેરો લંડન ,  શેઠશ્રી પંકજભાઈ વડોદરા, કુંડળધામવતિ ભાર્ગવ ભાઈ રાવ ખંભાત તથા તથા હાર્દિક - ઓસ્ટેલિયા, જયેશભાઈ વડતાલ અમેરિકા, ઘનશ્યામભાઈ  થોરિયા જજશ્રી સુરત , મનોજભાઈ વડતાલ  લંડન , દક્ષેશ પટેલ લંડન , મિલનભાઈ વડતાલ આફ્રિકા , સતિષભાઈ વડતાલ , દિલિપભાઈ નડિયાદ , બંદિસભાઈ - અમેરિકા , રાકેશભાઈ ભગત વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શ્રી શ્યામવલ્લભ સ્વામી - નિકિત પટેલ વગેરે સ્વયં સેવકોની ટીમે સંભાળી હતી.