1001675309

સુશાસનના શિલ્પકાર, “મોદી સરકારે” બદલી ભારતની તસવીર

સુશાસનના શિલ્પકાર, “મોદી સરકારેબદલી ભારતની તસવીર

સેવા, સુશાસન અને વિકાસ લક્ષી મોદી સરકારના 11 વર્ષની સિદ્ધિઓ અને 140 કરોડ દેશવાસી માટે વિકાસનો દશકો બન્યો

આણંદ ટુડે | આણંદ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સેવા સુશાસન અને ગરિબ કલ્યાણ તેમજ વિકસીત ભારતને સમર્પિત ભાજપ અને એનડીએની કેન્દ્રસરકારે 11 વર્ષ પુર્ણ કર્યા છે તે સંદર્ભે આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ  અને  આણંદ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, આણંદ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, પેટલાદ ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ અને ખંભાત ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલની  વિશેષ ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સેવા સુશાસન અને ગરિબ કલ્યાણ તેમજ વિકસીત ભારતને સમર્પિત ભાજપ અને એનડીએની કેન્દ્રસરકારે 9 જૂનના રોજ 11 વર્ષ પુર્ણ કર્યા છે આ સંદર્ભે ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે  પ્રેસ કોન્ફરન્સ થકી 11 વર્ષના કાર્યકાળનો હિસાબની માહિતી આપવામાં આવી હતી. પત્રકાર પરિષદ દરમિયાન સંકલ્પથી સિદ્ધી અંતર્ગત 11 વર્ષના કાર્યકાળની ઝાંખી દર્શાવતી પ્રદર્શનીનું ઉદ્ઘાટન શ્રી સંજયભાઈ પટેલ હસ્તે કરાયું હતું.  સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ (બકાભાઈ)એ પ્રેસને સંબોધતા જણાવ્યું કે, દેશમા સૌથી વધુ સમય વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરૂજી, ઇંન્દીરા ગાંધીજી હતા અને ત્યાર પછી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત 11 વર્ષથી લોકપ્રિય વડાપ્રધાન બન્યા છે પરંતુ 18 અને 16 વર્ષના કાર્યકાળમા જે કામો થયા તેના કરતા અનેક ગણા કામો વડાપ્રધાનશ્રી મોદી સાહેબના 11 વર્ષના કાર્યકાળમાં પુર્ણ થયા છે. સંર્વાગી વિકાસ શું હોઇ શકે તે ગુજરાતમાં આપણે પહેલા જોયું અને હવે દેશમાં જોઇ રહ્યા છીએ.પાટીલજીએ 11 વર્ષના કરાયેલા મહત્વના કાર્યોની માહિતી આપતા જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 11 વર્ષના કાર્યો અકલ્પનિય અને અદભૂત છે જે સુવર્ણ અક્ષરોમાં લખાશે. દેશ 11 વર્ષ પહેલા તૃષ્ટીકરણ અને તૃષ્ટીકરણ સાથે સમાજને ખંડિત કરી પોતાની ખુશીની સુરક્ષીત કરવી એક રાજકીય સંસ્કૃતિની પદ્ધતિ બની હતી. જીલ્લા અધ્યક્ષ સંજયભાઈએ દેશના અર્થતંત્ર વિશે માહિતી આપતા વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશનું અર્થતંત્ર 10મા સ્થાનેથી 5માં સ્થાને આવ્યું છે અને હવે ચોથા નંબરનું અર્થતંત્ર બનવા તરફ આપણે આગળ વઘી રહ્યા છીએ. કોંગ્રેસ સરકારના સમયમા અર્થશાસ્ત્રી વડાપ્રધાન હતા જેમના માટે કોગ્રેસ મોટા દાવા કરતી હતી તેની સામે મોદીએ 11 નંબરથી 4 નંબર સુધી દેશની અર્થવ્યવસ્થા આગળ ધપાવી છે અને આવનાર દિવસમાં ત્રીજા નંબર ની અર્થવ્યવસ્થા દેશ બનવા જઇ રહ્યુ છે. ઓપરેશન સિંદુર થકી પાકિસ્તાનમાં રહેલા 9 આતંકી સેન્ટરોને નાશ કરવામાં આવ્યા . જેમાં 100 થી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ભારતીય સેના સ્વદેશી શસ્ત્રોથી સજ્જ બની છે. મોદી સાહેબના નેતૃત્વમાં ભારત કોઇ પણ આતંકી ઘટનાને સહન નથી કરતુ બદલામાં જડબાતોડ જવાબ આપે છે. ઓપરેશન સિંદુર થી આપણે મેસેજ આપ્યો છે કે ભારત ફકત વિકસીત નથી થયુ પરંતુ ભારત સ્વતંત્ર રીતે પોતાનો બચાવ કરવા પોતાના જ દેશમાં નિર્માણ થયેલા શસ્ત્રો સાથે દુશ્મોને જવાબ આપી શકે ઉજવલા યોજના હેઠળ 10 કરોડ થી વઘારે ગેસ કનેકશન મફત આપવામાં આવ્યા છે. દેશની મહિલાઓને સુરક્ષા પુરી પાડવા પણ તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે. નળથી જળ યોજના હેઠળ 25 કરોડથી વધુ મહિલાઓને રાહત મળી છે. ભારત આજે વિકસીત ભારત બનવા આગળ વધી રહ્યુ છે. આજે 100 ટકા ઘરોમાં વિજ કનેકશન પહોંચ્યું છે,ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વિશ્વનેતા અને વડાપ્રધાનશ્રીના 11 વર્ષના કાર્યકાળને પુર્ણ થવા બદલ ગુજરાત અને ગુજરાતની જનતા વતી ખુબ ખૂબ અભિનંદન પાઠવું છું. 11 વર્ષનો કાર્યકાળ 140 કરોડ દેશવાસી માટે વિકાસનો દસક બન્યો છે. સર્વસમાવેશ,નિરંતર અને સતત પ્રગતીશીલ વિકાસથી દેશના સામાન્ય વ્યક્તિ નો સરકાર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. દેશની આઝાદીના 7 દાયકા પછી 2014મા પહેલા વડાપ્રધાન મળ્યા કે જેમને રાષ્ટ્રહિત પ્રથમ અને અંત્યોદયના ઉત્થાન સાથે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ ના કાર્યમંત્ર સાથે કાર્ય કર્યુ છે. મોદી સાહેબે સાશન સંભાળતા જ કહ્યુ હતું કે તેમની સરકાર ગરીબ, વંચિત, પિડિત, શોષિત અને અંત્યોદયના કલ્યાણને પ્રાથમિકતા આપતી સરકાર રહેશે. ગુજરાતના સપુત મોદી સાહેબે એક પછી એક જનહિતના નિર્ણય અને કાનુની સુધારાના કામો પુર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે .આજે દસ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. મોદી સાહેબના મહિલા કલ્યાણ અભિગમને કારણે ગુજરાતમાં સાડા ચાર લાખ બહેનો લખપતી દીદી બની છે. રાજયમાં પ્રવાસન અને સંસ્કૃતિકને વેગ મળ્યો છે. 11 વર્ષનો કાર્યકાળ દેશના વિકાસનો સુવર્ણ કાળ બન્યો છે ગરીબી ઘટી છે અને વિકાસના નવા નવા આયામો સિદ્ધ થયા છે. મોદીના નેતૃત્વમાં વિકસીત ભારત 2047મા પણ ગુજરાતને વિકાસના કામોની નવી દિશા મળતી રહેશે તેવો વિશ્વાસ છે.
 કમલમ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી સુનિલભાઈ શાહ, શ્રી જગતભાઈ પટેલ, જીલ્લા ભાજપ મિડિયા સેલ હોદ્દેદારો સભ્યો અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.