ભાઈકાકા યુનિવર્સિટી કરમસદનો ત્રીજો દિક્ષાંત સમારોહ યોજાયો
ભાઈકાકા યુનિવર્સિટી કરમસદનો ત્રીજો દિક્ષાંત સમારોહ યોજાયો
સારા મેડિકલ પ્રેક્ટિશનર બનવા માટે જીવનમાં સતત શીખતા રહેવું ખૂબ જ જરૂરી છે-ડૉ. અભિજાત શેઠ
૧૦ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ૪૯૯ વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરાઈ
આણંદ ટુડે | કરમસદ
ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ ખાતે ત્રીજો દિક્ષાંત સમારંભ તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ યુનિવર્સિટીના સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો હતો.. આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે નેશનલ મેડિકલ કમિશનના ચેરમેન ડૉ. અભિજાત શેઠ તથા અતિથિવિશેષ તરીકે બેઝિક હેલ્થકેર સર્વિસિસ ઉદયપુરના કો-ફાઉન્ડર અને એક્ઝિકયુટિવ ડિરેક્ટર ડૉ. પવિત્ર મોહન હાજર રહ્યા હતા.
ડૉ. પવિત્ર મોહન આ અગાઉ યુનિસેફના ભારત દેશના કાર્યક્રમમાં વર્ષો સુધી કાર્યરત રહ્યા હતા જ્યાં તેમણે સમગ્ન ભારતમાં બાળકોના આરોગ્યના કાર્યક્રમોનું નેતૃત્વ કર્યું હતું. ઉદયપુરની આર.એન.ટી. મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ. કર્યા બાદ તેઓએ એમ.ડી. ઈન પીડિયાટ્રિક દિલ્હીથી કર્યું હતું અને ત્યારબાદ યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનામાંથી જાહેર આરોગ્યમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેઓએ એકશન રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ફોર હેલ્થ જેવી અગ્નણી જાહેર આરોગ્ય સંસ્થા સાથે પણ કાર્ય કર્યું છે. તેઓ ભારતના પ્રતિષ્ઠિત નેશનલ નિયોનેટોલીજી ફોરમના ફેલો છે અને અશોકા કલોશિપના પ્રાપ્તકર્તા પણ છે.
આ કાર્યક્રમમાં ભાઈકાકા યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડૉ.ગૌરી ત્રિવેદી, સેક્રેટરી શ્રી અમિત પટેલ, મંડળના પૂર્વ ચેક્રેટરી શ્રી જાગૃત ભટ્ટ, પ્રોવોસ્ટ ડો. અભય પરમસી, રજીસ્ટાર ડો. જયોતિ તિવારી, ડીન રિસર્ચ ડો. માધવી પટેલ, પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના ડીન ડૉ.સ્વનીલ અગ્રવાલ, કે. એમ. પટેલ ઈન્સ્ટિટયુટના પ્રિન્સિપાલ ડૉ. આર હરિહરા પ્રકાશ, શ્રીમતિ એલ.પી. પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એલાઈડ હેલ્થ સાયન્સિસ એન્ડ ટેકક્નોલૉજીના પ્રિન્સિપાલ ડો. સોનલ ચિત્રોડા, શ્રી જી.એચ. પટેલ કોલેજ ઓફ નર્સિંગ અને ઈન્સ્ટિટયુટ ઑફ નર્સિંગ સાયન્સિસના પ્રિન્સિપાલ પ્રોફેસર શેની થોમસ તથા ભાઈકાકા યુનિવર્સિટીની ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા.પ્રોવોસ્ટ ડો. અભ્ય ધરમસીએ કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્ય અતિથિ ડૉ.અભિજાત શેઠે જણાવ્યું હતું કે, કોવિડના સમયમાં આપણે ઘણું શીખ્યા છીએ તેથી આઈ.સી.એમ.આર.ના ઉપક્રમે નેશનલ મેડિકલ કાઉન્સિલ હવે પી.એચ.ડી. કાર્યક્રમો અને ક્લિનિકલ રીસર્ચના કાર્યક્રમો ચલાવશે. દેશભરમાં આરોગ્ય સેવાઓની સમાન સુલભતા નિશ્ચિત થાય તે માટે ૧૮,૦૦૦ મેડિકલ સીટનો વધારો કરવામાં આવ્યો છે. અને શિક્ષણની ગુણવત્તામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. ટ્રાન્સપ્લાન્ટના એથિક્સને પણ મજબૂત કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ડોક્ટરોની જગ્યા લઈ શકશે નહીં પરંતુ તેનું જ્ઞાન અને આરોગ્ય ક્ષેત્રમાં તેના ઉપયોગ અંગે જાગૃતતા રાખવી જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું કે વરિષ્ઠ ફેકલ્ટને માન આપવું જોઈએ અને આપણે જે કંઈ પણ પ્રાપ્ત કરીએ છીએ તે તેમની મેન્ટરશીપ અને માર્ગદર્શન થકી શક્ય બને છે. દરેક ડોક્ટરની સફળતા ફક્ત માહિતી પ્રાપ્ત કરવી નથી પરંતુ એ જ્ઞાનને પ્રેક્ટિસમાં ઉપયોગ કેવી રીતે કરવો અને સારા મેડિકલ પ્રેક્ટિશનર બનવા માટે જીવનમાં સતત શીખતા રહેવું ખૂબ જ જરૂરી છે. દરેક વિદ્યાર્થીએ પોતાને માન આપવું અને અન્યને પણ માન-સન્માન જાળવા રાખવા એવી મૂલ્યોને અનુસરવા જોઈએ.
અતિથિ વિશેષ ડૉ..પવિત્ર મોહને જણાવ્યું કે, વિદ્યાર્થીઓ પોતાની સેવાઓનો હેતુ નક્કી કરવો જોઈએ જેમ કે, નૈતિકતાવાળી પ્રેક્ટીસ કરવી, સમુદાયની સેવા કરવી વગેરે. તેમજ વિવિધ સંસ્થાઓમાંથી મળતા વિવિષ વિચારો અને અનુભવોને સ્વીકારીને પોતાની દૃષ્ટિને વિસ્તૃત કરવી જોઈએ.
આ પ્રસંગે પ્રેસિડન્ટ ડો. ગૌરી ત્રિવેદીએ જણાવ્યું કે, એક ઉમદા વિચારધારાથી સમાજની સેવા કરવાના હેતુથી આ સંસ્થાની સ્થાપના સ્થાપક અધ્યક્ષ ડો. એચ. એમ. પટેલે કરી હતી. જેથી આ સંસ્થાના મૂલ્યોને અનુસરીને વિદ્યાર્થીઓએ દર્દી પ્રત્યે કરૂણા દાખવવી ખૂબ જ જરૂરી છે.
કાર્યક્રમના અંતે કંટ્રોલર ઓફ એકઝામિનર ડૉ. અશોક નાયરે હાજર સર્વેનો આભાર માન્યો હતો.
યુનિવર્સિટી ખાતે મેડિસીન, ફીઝિયોથેરાપી, નર્સિંગ, મેડિકલ લેબ ટેકનોલોજી, એલાઈડ હેલ્થ સાયન્સના સ્નાતક, અનુસ્નાતક અને પી.એચ.ડી. અભ્યાસક્રમો તથા અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થ અંતર્ગત માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ અને અન્ય પ્રોગ્રામ ચલાવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ સર્ટિફિકેટકોર્સિસ, ફેલોશિપ અને યોગા અભ્યાસ ક્રમો મળી હાલમાં યુનિવર્સિટી ખાતે ૮૪ અભ્યાસક્રમોમાં ૧૯૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સંશોધન યુનિવર્સિટીની સ્ટ્રેન્થ છે. અને યુનિવર્સિટી દ્વારા ૧૪૩ રિસર્ચ પબ્લિકેશન પ્રકાશિત કરવામાં આવ્યા છે અને ૩૨ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.
૪૯૨ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ એનાયત
આ તૃતિય દિક્ષાંત સમારોહમાં ૪૯૨ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ એનાયત કરવામાં આવી હતી જેમાં પી.એચ.ડી.ના ૪, ડી.એમ. ૩, એમ.ડી.એમ.એસ. ૧૮૦, માસ્ટર ઈન ફીઝિયોથેરાપી ૧૯, એમ.એસ.સી નર્સિંગ ૩, એમ.એસ.સી. મેડિકલ ટેકનોલોજી ૧૦, એમ.બી.બી.એસ. ૧૪૦, બેચલર ઈન ડીઝિયોથેરાપી ૨૦, બી.એસ.સી. નર્સિંગ ૩૮, બી.એસ.સી. મેડિકલ ટેકનોલૉજી ૪૦, પી.જી. ડિપ્લોમા 6, ડિપ્લોમા મેડિકલ ટેકનોલોજી ૨૦, ડિપ્લોમા યોગા ૧૮નો સમાવેશ થાય છે.
૧૦ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત
આ દિક્ષાત સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના ૧૦ વિદ્યાર્થીઓને મુખ્ય અતિથિના હસ્તે ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં બેચલર ઓફ ઠીઝિયોથેરાપીના ધાર્મિક પટેલ, માસ્ટર ઈન ફીઝિયોથેરાપીના શ્રેયાબેન પટેલ, બી.એસ.સી. મેડિકલ ટેકનોલોજીના હિલુબેન પટેલ, એમ.એસ.સી. મેડિકલ ટેકનોલોજીના હિરલ ગામી, એમ.બી.બી.એસ. ના ઓમ જયસ્વાલ, બેઝિક મેડિકલ સાયન્સના હર્ષકુમાર દરજી અને પૂર્વા ટેલર, કિલનિકલ સાયન્સના રશ્મિતા પાલ અને કાજલ બેન મિશ્રા અને બી.એસ.સી. નર્સિંગના હિમાંશીબેન પટેલનો સમાવેશ થાય છે.