નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડીયા ખાતે શાંતા પરેડ યોજાઇ
નાતાલના પવિત્ર તહેવારની શરૂઆત
નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડીયા ખાતે શાંતા પરેડ યોજાઇ
ક્રિષ્ના કોર્નર થી શરૂ થયેલી શાંતા પરેડ ચર્ચ ખાતે પૂર્ણ થઈ
ચર્ચ કમ્પાઉન્ડમાં 30 ફૂટ ઊંચા ક્રિસમસ ટ્રીનું અનાવરણ કરાયું
આણંદ ટુડે | આણંદ,
ક્રિશ્ચિયન ધર્મજનો માટે નાતાલનો પવિત્ર તહેવાર ની શરૂઆત થઈ છે. આ પવિત્ર અઠવાડિયા દરમિયાન નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા ખાતે મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાન દ્વારા શાંતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતા પરેડમાં મોટી સંખ્યામાં ધર્મજનો સાન્તા ક્લોસના લાલ ડ્રેસમાં માથે લાલ ટોપી મૂકીને ઉપસ્થિત રહ્યા હતા અને ક્રિષ્ના કોર્નર થી શરૂ થયેલી શાંતા પરેડ ચર્ચ ખાતે સમાપ્ત થઈ હતી. આ સમયે ચર્ચ કમ્પાઉન્ડમાં 30 ફૂટ ઊંચા ક્રિસ્મસ ટ્રી નું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે આ પટાંગણ જોતા બેથલેહેમની યાદ આવે છે. ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગ માટે આજે આનંદનો અવસર છે. ફાધર એ આ 30 ફૂટ ઊંચા ક્રિસમસ ટ્રી ને ખુલ્લુ મુકતા આ નાતાલનો તહેવાર સૌના માટે યાદગાર બની રહેશે તેમ જણાવ્યું હતું.
આ સમયે ધર્મજનોએ આનંદ ઉલ્લાસથી એકબીજાને શુભેચ્છા પાઠવી ગરબા અને ડાન્સમાં ભાગ લીધો હતો. આ સમયે ફાધર, સિસ્ટરો સહિત આજુબાજુના ગામના ધર્મજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ચર્ચ કમ્પાઉન્ડ આનંદ ઉલ્લાસ થી ગુંજી ઉઠ્યું હતું.
***