1003094186

ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલ 30 મી જાન્યુઆરીએ આણંદ જિલ્લાની મુલાકાતે

ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલ 30 મી જાન્યુઆરીએ આણંદ જિલ્લાની મુલાકાતે

ખંભાત ખાતેથી રૂ. 23,401.40 લાખના 49 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

આણંદ, ગુરુવાર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.૩૦ જાન્યુઆરીના રોજ આણંદની મુલાકાતે પધારી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આશરે  રૂ. ૨૩,૪૦૧-૪૦ લાખના વિવિધ વિભાગના 49 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 

કાર્યક્રમની મુખ્ય વિગતો જોઈએ તો,આણંદના ખંભાત તાલુકાના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કુલ  49 જેટલા વિકાસ કામોનું ખાતમૂહુર્ત તથા લોકાર્પણ કરશે. જેમાં માર્ગ અને મકાન વિભાગ વિભાગ, રાજ્યના 13 પ્રકલ્પો તથા પંચાયતના 12 પ્રકલ્પો, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 10 પ્રકલ્પ, શિક્ષણ વિભાગના 5 પ્રકલ્પ ,નર્મદા જળસંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના 5 પ્રકલ્પ તથા આરોગ્ય વિભાગના 4 પ્રકલ્પોનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પ્રભારી શ્રી સંજયસિંહ મહીડા, નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
*****