આણંદમાં સ્વચ્છતાનો અભાવ જણાતા 09 એકમો પાસેથી રૂપિયા 1.23 લાખના દંડની વસુલાત
આણંદમાં સ્વચ્છતાનો અભાવ જણાતા 09 એકમો પાસેથી રૂપિયા 1.23 લાખના દંડની વસુલાત
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પાણીપુરી અને અન્ય ખાદ્ય પદાર્થ વેચતા એકમોની આકસ્મિક તપાસણી કરાઈ
આણંદ, ગુરૂવાર
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીની લારીઓ અને અન્ય ખાદ્ય પદાર્થો વેચતા એકમો ઉપર આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર રાજેશ પટેલના જણાવ્યા મુજબ મનપા વિસ્તારમાં પાણીપુરી અને અન્ય ખાદ્ય પદાર્થોનું બનાવટ અને વેચાણ કરતા એકમો ઉપર આકસ્મિક તપાસ હાથ ધરતા સ્વછતાનો અભાવ જણાઈ આવતા 09 એકમો પાસે થી વહીવટી ચાર્જ પેટે રૂ. 1,23,000/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
આ એકમોમાં હરિ ઓમ કિરાણા સ્ટોર, શ્રી ભગવતી ભજીયા હાઉસ, જય અંબે પાણીપુરી, વિકાસ પાણીપુરી, દોસ્તાના પાણીપુરી, મુન્ના પાણીપુરી અને સદાશિવ બેકરી ખાતે સ્વચ્છતાનો અભાવ , પ્રતિબંધિત પ્લાસ્ટિક , એક્સપાયર વસ્તુઓ મળી આવી હતી.
ડોક્ટર રાજેશ પટેલ એ વધુમાં જણાવ્યું છે કે ખાદ્ય પદાર્થ વેચતા એકમો સ્વચ્છતા રાખે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તથા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કરે અન્યથા આરોગ્ય વિભાગની ખાસ ઝુંબેશ ચાલુ રહેશે અને આકસ્મિક તપાસણી કરવામાં આવશે જેમાં નિયમોનો ભંગ થતો હશે તો કાયદાની જોગવાઈ ને આધીન કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે વધુમાં કહ્યું છે.
****