આણંદમાં બાકી વેરો જમા ન કરાવતી ૦૬ દુકાન સીલ કરાઈ
આણંદમાં બાકી વેરો જમા ન કરાવતી ૦૬ દુકાન સીલ કરાઈ
અન્ય ૦૪ એકમો પાસેથી રૂ. ૧.૫૦ લાખના વેરાની કરાઈ વસુલાત
આણંદ ટુડે | આણંદ,
આણંદમાં બાકી વેરો જમા ન કરાવતી ૦૬ દુકાન કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરાઈ છે. જ્યારે અન્ય ૦૪ એકમો પાસેથી મનપાની ટીમે રૂ. ૧.૫૦ લાખના વેરાની વસુલાત કરી છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગના રિકવરી ટીમ દ્વારા રાજ શિવાલય સિનેમા પાસે આવેલ સિલ્વર પોઇન્ટ કૉમલેક્સમાં રૂ. 56,415 /- નો બાકી વેરો ભરવામાં આવ્યો ન હોવાથી ૦૬ દુકાન સીલ કરવામાં આવી છે. તથા અન્ય ૦૪ મિલકતો ધારક પાસેથી સ્થળ ઉપર જ બાકી વેરાની રકમ રૂ.1,50,000 વસૂલ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ. કે. ગરવાલ દ્વારા મનપા વિસ્તારમાં આવેલ મિલકત ધારકોનો વેરો બાકી હોય તેમણે સમયસર વેરો મનપા ખાતે જમા કરાવવા અપીલ કરી છે. અન્યથા મનપાના ટેક્સ વિભાગની ટીમ દ્વારા વેરો ભરપાઈ ન કરતા દુકાનો એકમ સીલ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.
***