1003004346

આજે મકરસંક્રાંતિ

આજ કલ ઓર આજ 

તા. 14 જાન્યુઆરી Dt. 14 JANUARY
તારીખ તવારીખ : સંકલન : વિજય એમ. ઠક્કર

આજે મકરસંક્રાંતિ

ભારતના સૌથી પ્રાચીન તહેવારોમાંનો એક છે. સૂર્યદેવને સમર્પિત, ઉત્તરાયણ વસંતના આગમનને ચિહ્નિત કરે છે. ઉત્તરાયણ કે મકરસંક્રાતિ એટલે પતંગોત્સવ સાથે બીજું ઘણું બધું... કદાચ આ એક જ એવો તહેવાર છે જે હિન્દુ ધર્મમાં અંગ્રેજી મહિનાની નિશ્વિત તારીખ પ્રમાણે મનાવાય છે
ઐતિહાસિક અને ખગોળીય ગણતરી મુજબ, ઈ.સ. 1426માં સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરીએ થયો હતો. ત્યારથી પરંપરાગત રીતે આપણે આ દિવસે મકરસંક્રાંતિ ઉજવીએ છીએ. જોકે, પૃથ્વીની ગતિમાં આવતા ફેરફારોને કારણે
મનાવાય છે. ઉત્તરાયણનાં દિવસે પતંગ ચગાવાનો મહિમા છે ને ઊંધિયું - જલેબીની જ્યાફત માણવા સાથે હવે ફટાકડા ફોડવાનો પણ આ ઉત્સવ બની ગયો છે.
ઉત્તરાયણ એ એક ખગોળીય ઘટના છે. વર્તમાન સમયમાં ભારતમાં જ નહિ દેશવિદેશમાં બધે જ આ ઉત્સવ પતંગ સાથે જોડાઈ ગયો છે. આ સમયે સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધન રાશીમાંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે. આ દિવસે કમૂર્તા સમાપ્ત થઈ જતા હોય છે.

* ભારતના પહેલા સફળ ફોર્મ્યુલા વન રેસના ડ્રાઈવર નારાયણન કાર્તિકેયનો કોઈમ્બતુર ખાતે જન્મ (1977)

* ચિત્રકાર નટુભાઈ પરીખનો આણંદ જિલ્લાના બાંધણી ગામમાં જન્મ (1931)
દરેક દરિયા કિનારાના લેન્ડસ્કેપ પેઇન્ટિંગ કરવાનો તેમને અનોખો શોખ હતો 
પીજની શાળામાં કલાશિક્ષકની નોકરી કરી અને કલાનાં વધુ અભ્યાસ બાદ અમદાવાદમાં સી.એન. કલામહાવિદ્યાલયમાં કલાનાં વિવેચનનાં અધ્યાપક તરીકે જોડાયાં હતાં
તેમણે ‘કલાસંસ્કાર’, ‘કલાસર્જન’ અને ‘કલાવૃત્ત’ જેવાં કલાનાં પરિચયલક્ષી પુસ્તકો કલાજગતને આપ્યાં છે

* ભારતમાં ડોમેસ્ટીક ક્રિકેટ રમનાર ડી. બી. દેવધરનો પુના ખાતે જન્મ (1892)

* ગુજરાતી હાસ્ય લેખક વિનોદ ભટ્ટનો જન્મ (1938)

* ભારતીય સાહિત્ય જગતમાં માનવીય જીવનમાં શોષણ અને સંઘર્ષનું અસરકારક આલેખન કરનારાં સામાજિક કાર્યકર અને બંગાળી ભાષાનાં સાહિત્યકાર મહાશ્વેતાદેવીનો ઢાકા શહેરમાં જન્મ (1926)
તેમણે બંગાળી ભાષામાં ખૂબ જ સંવેદનશીલ અને વિચારપ્રેરક લખાણો દ્વારા નવલકથાઓ અને વાર્તાઓથી સાહિત્યને સમૃદ્ધ કર્યું અને લેખન કાર્યની સાથે, મહાશ્વેતા દેવી હંમેશા સામાજિક સેવામાં સક્રિયપણે ભાગ લેતા, મહિલાઓ, દલિતો અને આદિવાસીઓના અધિકારો માટે લડતા, તેણીએ સિસ્ટમ સાથે સંઘર્ષ કર્યો અને તેમને ન્યાયની સુવિધા માટે માર્ગ બનાવ્યો
મહાશ્વેતા દેવીનું ‘સાહિત્ય અકાદમી ઍવોર્ડ’, ‘પદ્મશ્રી’, ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’, રેમન મેગ્સેસે ઍવોર્ડ તથા ‘પદ્મ વિભૂષણ’ પુરસ્કારથી સન્માન થયું 

* હિન્દી ફિલ્મ ગીતકાર અને ઉર્દૂ સાહિત્યકાર કૈફી આઝમી (અતહર હુસૈન રિઝવી)નો આઝમગઢ ખાતે જન્મ (1919)
તેમના પત્ની શૌકત અને પુત્રી શબાના થિયેટર અને ફિલ્મ અભિનેત્રી રહ્યા 

* હિંદુ આધ્યાત્મિક નેતા, શિક્ષક, સંસ્કૃત વિદ્વાન, બહુભાષી, કવિ અને લેખક જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્ય નો જન્મ (1950)

* ​રાષ્ટ્રપતિ દ્વારા ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કાર અને રામનાથ ગોયન્કા એવોર્ડથી સન્માનિત એનડીટીવી હિન્દી ન્યૂઝ ટીવી ચેનલના ઉત્તર પ્રદેશના પત્રકાર કમાલ ખાનનું લખનઉ ખાતે અવસાન (2022)

* પદ્મ ભૂષણથી સન્માનિત અમેરિકાના બેંકર (સીટી બેંક) વિક્રમ પંડિતનો નાગપુર ખાતે જન્મ (1957)

* ગુજરાતી કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી નરસિંહરાવ દિવેટિયાનું મુંબઈ ખાતે અવસાન (1937)

* જીવવિજ્ઞાની, લેખક, માનવતાવાદી, દાર્શનિક અને ફિઝિશિયન આલ્બર્ટ શ્વાઈત્ઝરનો એલ્સાસમાં કૈઝર્સબર્ગમાં જન્મ (1875)

* મુઘલ બાદશાહ અકબરનાં નવ રત્નો પૈકીનાં એક અને વજીર અબુલ ફઝલ (અબુલ-ફઝલ ઇબ્ન મુબારક) નો આગ્રામાં જન્મ (1551)
શેખ મુબારક નાગોરીના આ બીજા પુત્રની વિદ્વતાનો લોકો દ્વારા આદર થતો

* કેરળ રાજ્યની રચના માટે સમર્થક સ્વતંત્રતા કાર્યકર્તા, સમાજવાદી ક્રાંતિકારી, કેરળ સમાજવાદી પાર્ટીના સ્થાપક, સંસદ સભ્ય, બીજા શ્રમ મંત્રી અર્થશાસ્ત્રી મથાઈ મંજૂરનનું અવસાન (1970)

* ગુજરાતનાં સાંસ્કૃતિક ઇતિહાસકાર ડૉ. પ્રિયબાળાબેન જીવણલાલ શાહનું અવસાન (2011)

* હિન્દી ફિલ્મોના અભિનેત્રી દુર્ગા ખોટેનો જન્મ (1905)

* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી સીમા બિસ્વાસ (1965)નો જન્મ

* હિન્દી અને ભોજપુરી સિનેમામાં ફિલ્મ સંગીત નિર્દેશક ચિત્રગુપ્તનું અવસાન (1991)

* હિન્દી સિનેમામાં અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક રાહુલ અગ્રવાલનો જન્મ (1980)

* તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી અનિકા સોટીનો જન્મ (1991)

* સોની ટીવી ચેનલના ઈન્ડિયન આઈડલની 10મી સીઝનના વિજેતા ગાયક સલમાન અલીનો જન્મ (1998)

* મલયાલમ ફિલ્મમાં અભિનેત્રી અને ડબિંગ કલાકાર આનંદવલ્લીનો જન્મ (1952)

* તેલુગુ સિનેમામાં ફિલ્મ નિર્દેશક અને નિર્માતા એચ.એમ. રેડ્ડી (હનુમપ્પા મુનિઅપ્પા રેડ્ડી)નું અવસાન (1960)

* કમ્પ્યુટર કિંગ બિલ ગેટ્સે વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સોફ્ટવેર કંપની સ્ટીવ વોલ્મરને સોંપી (2000)

* ગુજરાત સરકારે 10% EWS આરક્ષણને અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો (2019)

* મકરસંક્રાંતિ શિયાળાની ઋતુની સમાપ્તિ અને નવી લણણીની મોસમની શરૂઆતને ચિહ્નિત કરે છે

* ભારતમાં સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક પોંગલ સમગ્ર વિશ્વમાં તમિલ સમુદાય દ્વારા વ્યાપકપણે ઉજવવામાં આવે છે તે ચાર દિવસીય પ્રસંગ છે જે સૂર્ય ભગવાનને સમર્પિત છે

* વિશ્વ તર્ક દિવસ *
તેનો ઉદ્દેશ આંતરશાખાકીય વિજ્ઞાન સમુદાયોમાં બૌદ્ધિક ઇતિહાસ, વૈચારિક મહત્વ અને તર્કશાસ્ત્રના વ્યવહારિક અસરો વિશે જાગૃતિ

* ધર્મેન્દ્ર, હેમા માલિની, અશોક કુમાર, અસરાની, પ્રેમ ચોપરા, લલિતા પવાર, દીના પાઠક, પિંચુ કપૂર અભિનિત ફિલ્મ 'ડ્રીમગર્લ' રિલીઝ થઈ (1977)
ડિરેક્શન : પ્રમોદ ચક્રવર્તી, સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ

***