IMG-20240103-WA0004

કંથારિયા ગામમાં પ.પુ માધવાનંદ સ્વામીજી મહારાજશ્રી નો ૧૪૩મો નિર્વાણ જયંતી મહોત્સવ ઉજવાયો.

કંથારિયા ગામમાં .પુ માધવાનંદ સ્વામીજી મહારાજશ્રી નો ૧૪૩મો નિર્વાણ જયંતી મહોત્સવ ઉજવાયો.

સંસ્થાના અધ્યક્ષ સ્વામી શ્રી હરિહરાનંદ સાગરજી મહારાજ વેદાંતાચાર્ય દ્વારા શાબ્દીક પુષ્ષો દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી

કંથારીયા તથા આજુબાજુના  ગામના ૨૦૦૦થી વધુ ધર્મઅભિલાષી જનતાએ સત્સંગ તથા સમુહ ભોજન પ્રસાદનો લાભ લીધો

આણંદ ટુડે I આંકલાવ
સનાતન ધર્મના આદિ શંકરાચાર્યજીની માધવાનંદ પરંપરા ના સ્થાપક પ.પુ માધવાનંદ સ્વામીજી મહારાજની ૧૪૩મી નિર્વાણ જયંતી અખંડ શિવોહં તીર્થધામ કંથારીયાના અધ્યક્ષ પ.પુ સ્વામી શ્રી હરિહરાનંદ સાગરજી મહારાજ વેદાંતાચાર્યના અધ્યક્ષપદે સમસ્ત કંથારિયા ગામના તથા પરંપરાના સેવકો દ્વારા ખુબ જ ધામ ધુમથી ઉજવવામાં આવી હતી.

ચાલુ વર્ષે માગસર વદ ૭ તા.૩/૧/૨૦૨૪ને બુધવારના રોજ સ્વામીજીને હદયપૂર્વકની નિર્વાણાંજલી અર્પણ કરવામાં આવી.સવારે સમુહ ગુરુગીતાના પાઠ બાદ પ.પુ માધવાનંદ સ્વામીજીને સેવકો તથા અત્રેની સંસ્થાના અધ્યક્ષ સ્વામી શ્રી હરિહરાનંદ સાગરજી મહારાજ વેદાંતાચાર્ય દ્વારા શાબ્દીક પુષ્ષો દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. પરમ પૂજ્ય માધવાનંદ સ્વામીજીના ચરણોમાં પોતાના હૃદય કમળની શ્રદ્ધા યુક્ત શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરંપરાના સેવકોએ ધન્યતા અનુભવી તથા કંથારીયા તથા આજુબાજુના  ગામના ૨૦૦૦થી વધુ ધર્મઅભિલાષી જનતાએ સત્સંગ તથા સમુહ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.