ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી સંલગ્ન ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા આણંદ ખાતે પ્રબંધન 2025 એક્ઝિબિશન કમ સેલનો ભવ્ય પ્રારંભ
ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી સંલગ્ન ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા આણંદ ખાતે પ્રબંધન 2025 એક્ઝિબિશન કમ સેલનો ભવ્ય પ્રારંભ
આણંદ ટુડે | ચાંગા
ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ઇન્દુકાકા ઇપ્કોવાળા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા અને મેનેજમેન્ટ વિશે પ્રેક્ટિકલ ટ્રેનીંગ આપવાના હેતુથી તા. 10 થી 13 ઓક્ટોબર 2025 દરમિયાન ફ્લેગશીપ મેનેજમેન્ટ ઇવેન્ટ ‘પ્રબંધન – 2025’ એક્ઝિબિશન કમ સેલનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રસંગે 10 ઓક્ટોબરના રોજ આયોજિત ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી દેવાંગ પટેલ (ઈપ્કોવાલા પરિવાર) ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ઈપ્કો પરિવારના ડો. હિતેન્દ્રભાઇ પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ, ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (CHRF)ના પ્રમુખ શ્રી વિપુલ પટેલ, કેળવણી મંડળના જોઈન્ટ સેક્રેટરી શ્રી મધુબેન પટેલ, બિલ્ડીંગ કમિટી કન્વીનર શ્રી એન. એમ. પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, રજિસ્ટ્રાર ડો. બિનીત પટેલ, સંસ્થાના પ્રિન્સિપાલ ડો. રેશ્મા સાબલે, ડીન ડો. રાજેશ સાધવાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી કિરણભાઈ પટેલે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં ચારૂસેટના વિવિધ વાઈબ્રન્ટ ઇવેન્ટ્સની સફળતાઓને બિરદાવી હતી. શ્રી વિપુલ પટેલે ઈપ્કોવાલા પરિવાર અને શ્રી દેવાંગ પટેલ દ્વારા ચારૂસેટના વિકાસમાં આપેલ યોગદાનને બિરદાવ્યું હતું. મુખ્ય અતિથિ શ્રી દેવાંગ પટેલે પોતાના ઉદબોધનમાં પ્રબંધન-2025 આયોજનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના ઇવેન્ટથી વિદ્યાર્થીઓમાં ખરા અર્થમાં મેનેજમેન્ટ અને ઉદ્યોગસાહસિક્તાની સ્કિલ્સનો વિકાસ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી દેવાંગ પટેલ ચારૂસેટના પ્રાઈમ ડોનર છે. શ્રી દેવાંગભાઈ અને તેમના ધર્મપત્ની શ્રીમતી અનિતાબેનનું ચારૂસેટના વિકાસમાં અનન્ય યોગદાન છે. શ્રી દેવાંગભાઈ દ્વારા ચારૂસેટ ખાતે કરેલ દાનની ઝાંખી મેળવીયેતો એવું કહી શકાય કે અત્યાર સુધીમાં 15 કરોડ થી પણ વધુનું દાન કરેલ છે. તેઓએ ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIIM), દેવાંગ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (DEPSTAR) અને અનિતા દેવાંગ પટેલ ઇપ્કોવાલા સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી સંસ્થાઓના નિર્માણ અને વિકાસમાં પ્રાઈમ ડોનોર તરીકે મહત્વપૂર્ણ દાન આપ્યું છે. આ તમામ સંસ્થાઓ આજે ગુણવત્તાસભર શિક્ષણ અને આધુનિક સંશોધન માટે જાણીતી છે — અને તેના પાછળ તેમની ઉદાર દાનશીલતાનો વિશાળ હિસ્સો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા સતત ચોથા વર્ષે તારીખ 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર 2025 દરમિયાન, મેનેજમેન્ટના 350 થી વધુ વિધાર્થીઓ દ્વારા સરદાર પટેલ બેન્કવેટ હૉલ, 80 ફુટ રોડ, આણંદ ખાતે પ્રબંધન 2025 એકઝીબીશન કમ સેલ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેલ નો સમય સવારે 10:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી નો રહેશે. આ એકઝીબીશન કમ સેલ હેઠળ 41 પ્રોડક્ટ અને 18 ફૂડ સ્ટોલ્સનું આયોજન કરવામાં આવેલ છે જેનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે. પ્રબંધન 2025 એકઝીબીશન કમ સેલ દરેક પ્રકાર ના ગ્રાહકો માટે દિવાળી ની ખરીદી માટે એક “વન સ્ટોપ સોલ્યૂશન” છે

