ચારૂસેટનો 15મો પદવીદાન સમારોહ યોજાશે
ચારૂસેટનો 15મો પદવીદાન સમારોહ યોજાશે
સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેશે
ચારૂસેટમાં શુધ્ધ સુવર્ણ ચંદ્રક એનાયતની પરંપરા અંતર્ગત કુલ 45 ગોલ્ડમેડલ એનાયત થશે
38 તેજસ્વી વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી સહિત કુલ 2794 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે
આણંદ ટુડે | ચાંગા
નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રાપ્ત 'સેન્ટર ઓફ એક્સલન્સ' ગુજરાતની ખ્યાતનામ પ્રાઈવેટ યુનિવર્સિટી ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) ચાંગાનો 15મો પદવીદાન સમારંભ 13 જાન્યુઆરી, 2026ના રોજ મંગળવારે સાંજે 4.30 કલાકે ચારૂસેટ કેમ્પસમાં યોજાશે. આ સમારંભના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી-સહકારમંત્રી શ્રી અમિતભાઈ શાહ દિક્ષાંત પ્રવચન આપશે. અધ્યક્ષસ્થાને ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે શ્રી અમિતભાઈ શાહ 2019થી 32મા કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે જે ભારતીય ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી આ પદ પર રહ્યા છે. આ ઉપરાંત તેઓ જુલાઈ 2021થી કેન્દ્રીય સહકારમંત્રી પણ છે. તેઓ ગાંધીનગરના સંસદસભ્ય છે. તેમણે 2014થી 2020 સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
આ પદવીદાન સમારંભમાં કુલ 1076 વિદ્યાર્થિનીઓ અને 1718 વિદ્યાર્થીઓ સહિત કુલ 2794 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને 45 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે જેમાં 28 વિદ્યાર્થિનીઓ અને 14 વિદ્યાર્થીઓ છે. જ્યારે 19 વિદ્યાર્થિનીઓ અને 19 વિદ્યાર્થીઓ સહિત કુલ 38 વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત થશે.
ચારુસેટમાં આપવામાં આવતા ગોલ્ડ મેડલની વિશિષ્ટતાઓ દર્શાવતા રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલે જણાવ્યું હતું કે ચારૂસેટના સન 2012માં આયોજિત પ્રથમ પદવીદાન સમારંભથી તેજસ્વી વિદ્યાર્થીઓને 14 કેરેટના 15 ગ્રામ વજનના શુદ્ધ સુવર્ણ ચંદ્રક આપવાની પરંપરા રહી છે અને અત્યાર સુધીમાં કુલ 14 પદવીદાન સમારંભમાં 439 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. જયારે સુવર્ણમંડિત ચંદ્રક આપવાની પરંપરા છે ત્યારે આગામી પદવીદાન સમારંભમાં પણ શુદ્ધ સુવર્ણના ચંદ્રકો આપવામાં આવશે. જેમાં 45 ગોલ્ડમેડલ અર્થે શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પદવીદાન સમારંભ અંતર્ગત ચારૂસેટની ફેકલ્ટી ઓફ ફાર્મસીના 173, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના 429, ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના 183, ફેકલ્ટી ઓફ સાયન્સના 197, ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સમાં કુલ 692, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગની વિવિધ વિદ્યાશાખાઓના 1120 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવશે. જેમાં 2018 અંડર ગ્રેજયુએટ, 713 પોસ્ટ ગ્રેજયુએટ, 25 પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા અને 38 પી. એચ. ડી. વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.
ચારૂસેટના કોન્વોકેશનની વિશિષ્ટતાઓ વ્યક્ત કરતા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ (વાઈસ ચાન્સેલર) ડો. અતુલ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્ર અને સમાજ માટે મહત્વનું યોગદાન આપનાર મહાન વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને આદરણીય હસ્તીઓને આમંત્રિત કરવાની ચારૂસેટની આગવી પરંપરા પ્રમાણે અત્યાર સુધી યોજાયેલા કુલ 14 પદવીદાન સમારંભમાં અનુક્રમે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને એરોસ્પેસ સાયન્ટીસ્ટ ડો. અબ્દુલ કલામ, વિખ્યાત વૈજ્ઞાનિક ડો. આર. એ. મશેલકર, ખ્યાતનામ ઉદ્યોગપતિ અને ઝાયડસ લાઈફસાયન્સીસના ચેરમેન શ્રી પંકજ પટેલ, વિખ્યાત વૈજ્ઞાનિક ડો. ટી. રામાસામી, ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલી, વિખ્યાત ઉદ્યોગપતિ ડો. એમ. આઈ. પટેલ, વિખ્યાત વૈજ્ઞાનિક અને ઈસરોના ચેરમેન એ. એસ. કિરણકુમાર, પરમાણુ વૈજ્ઞાનિક ડો. ટી. રામાસ્વામી, કેરળના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન, ભારતની વિખ્યાત આઈટી કંપની ઓનવર્ડ ટેક્નોલોજીસના સ્થાપક અને એક્ઝીક્યુટીવ ચેરમેન અને નાસ્કોમના સર્વપ્રથમ ચૂંટાયેલા ચેરમેન શ્રી હરિશ મહેતા, પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને અમદાવાદની એપેકસ હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. તેજસ પટેલ, ઇન્ટરનેશનલ લો કમિશન, યુએનમાં ચૂંટાયેલા સભ્ય અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર ડો. બિમલ પટેલ, યુ.એસ.એ. સ્થિત સફળ ટેક્નોપ્રીન્યોર અને બિઝનેસમેન શ્રી અશોક પટેલ, ભારત સરકારના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા વિભાગના મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને વિખ્યાત ઉદ્યોગપતિ અને ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીર મહેતા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે માતૃસંસ્થા, કેળવણી મંડળ તેમજ સી.એચ.આર.એફ.ના માનાર્હ મંત્રી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ તેમજ સી.એચ.આર.એફ.ના પ્રમુખ અને સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.
1076 વિદ્યાર્થિનીઓ અને 1718 વિદ્યાર્થીઓ સહિત 2794 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે.
28 વિદ્યાર્થિનીઓ અને 14 વિદ્યાર્થીઓને 45 ગોલ્ડમેડલ એનાયત થશે.
19 વિદ્યાર્થિનીઓ અને 19 વિદ્યાર્થીઓ સહિત 38 વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત થશે.
ફેકલ્ટી ઓફ ફાર્મસીના 173, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના 429, ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના 183, ફેકલ્ટી ઓફ સાયન્સના 197, ફેકલ્ટી ઓફ કોમ્પુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સમાં કુલ 692, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગની વિવિધ વિદ્યાશાખાઓના 1120 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે.
2018 અંડર ગ્રેજયુએટ, 713 પોસ્ટ ગ્રેજયુએટ, 25 પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા અને 38 પી. એચ. ડી. વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે.