1002068146

આણંદના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સામાજિક, પારિવારિક અને સાંસ્કૃતિક સંસ્કારોના સમન્વય સાથે નવરાત્રી મહોત્સવનું આયોજન

આણંદના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સામાજિક, પારિવારિક અને સાંસ્કૃતિક સંસ્કારોના સમન્વય સાથે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન

"ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ"અને "શાન" મોલના સંયુક્ત ઉપક્રમે આણંદમાં "શાન નવરાત્રી"-૨૦૨૫ નું ભવ્ય આયોજન કરાયુ

નવરાત્રીની સમગ્ર આવકમાંથી ગૌ-સેવા સહિત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને પરિવારોને મદદરૂપ સેવાનો અનોખો ઉદ્દેશ

વિદ્યાર્થીઓ માટે ખાસ આકર્ષક ઓફર રૂા. ૧૧૦૦ નો પાસ ફક્ત રૂા. ૫૫૦ માં મેળવી શકાશે, સ્કુલ-કોલેજનું આઈકાર્ડ જરૂરી

આણંદ ટુડે | આણંદ,
ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા ગુજરાતના ગરબા વિશ્વના ખૂણે ખૂણે પહોચ્યા છે.ગુજરાતી એટલે ગરબો અને ગરબો એટલે ગુજરાતીની અનોખી છાપ સમસ્ત વિશ્વમાં ગુજરાત દ્વારા સ્થાપિત કરવામાં આવી છે.ત્યારે માં શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીના આગમનના મહિના કે બે મહિના અગાઉ જ ગુજરાતમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે.અમદાવાદ, વડોદરા,સુરત જેવા મહાનગરોમાં અત્યારથી જ નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે સમગ્ર ચરોતરના ચોરા સમાન આણંદમાં પણ નવલી નવરાતની તૈયારીઓ આયોજક મંડળો દ્વારા શરુ કરી દેવામાં આવી છે.તે સાથે સામાજિક,પારિવારિક અને સાંસ્કૃતિક સંસ્કારોના સમન્વય અને સેવાના અનોખાં ઉદ્દેશ્ય સાથે આણંદના  "શાન"એ વી ફોર્ચ્યુન મોલ એન્ડ મલ્ટીપ્લેક્ષ અને "ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ"ના સંયુક્ત ઉપક્રમે આણંદ કરમસદ રોડ પર "શાન" નવરાત્રી-૨૦૨૫" નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
-૦-૦-૦-

આણંદના પ્રતિષ્ઠિત અગ્રણી અને સમાજ સેવક રાજુભાઈ હાલાણી પણ પોતાનું બહુમૂલ્ય યોગદાન આપશે   

આણંદમાં સૌ પ્રથમ વખત સેવાકીય ભાવના સાથે યોજાનાર "શાન નવરાત્રી-૨૦૨૫ મહોત્સવ"માં મહોત્સવની ઉજવણીની સાથે સાથે સામાજિક સેવાનો ઉદ્દેશ્ય સાર્થક કરવા માટે સમાજના કેટલાક પ્રતિષ્ઠિત સમાજ સેવકો પણ આ અનોખા સેવાયજ્ઞમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.ત્યારે આણંદના પ્રતિષ્ઠિત સમાજ સેવક રાજુભાઈ હાલાણી  પણ સેવાયજ્ઞમાં જાેડાઈને પોતાનું બહુમૂલ્ય યોગદાન આપશે. 
-------

વિદ્યાર્થી ખેલૈયાઓ માટે રૂ.૧૧૦૦ના પાસ સામે શાન મલ્ટીપ્લેક્ષ સહિત મોલમાં રૂ.૧૧૦૦નું ડિસ્કાઉન્ટ 

માત્ર ને માત્ર સેવાના આશય સાથે આયોજન કરવામાં આવેલ "શાન નવરાત્રી"મહોત્સવમાં કોઈપણ પ્રકારના નફો કે નુકશાન ઉદ્દેશ્ય રાખ્યા વિના અનોખું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આણંદ,વિદ્યાનગર સહિત આજુબાજુના ગામોના વિદ્યાર્થી ખેલૈયાઓ માટે આયોજકો દ્વારા વિશેષ ઓફર નું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિદ્યાર્થીઓને રૂ.૧૧૦૦ ના પાસના દાન સામે દાનના ફળ સ્વરૂપે  શાન મલ્ટીપ્લેક્ષ સહિત મોલમાં ખરીદી પર રૂ.૧૧૦૦ નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે . જેનાથી વિદ્યાર્થી ખેલૈયાઓને નજીવા દાનની સાથે શાન મોલ એન્ડ મલ્ટીપ્લેક્ષમાં સિનેમા સહીત ખરીદીમાં રૂ.૧૧૦૦ નું ડિસ્કાઉન્ટ મળતાં બંને તરફથી લાભ મળશે.જેના થકી વિદ્યાર્થીઓને પણ દાનના લાભ સાથે અનોખી સેવાના મોકા સાથે ફળ સ્વરૂપે અનોખા ડિસ્કાઉન્ટનો પણ લાભ મળશે 
----------
નફો નુકશાનના ધોરણે ખાણીપીણીના સ્ટોલ સાથે ખેલૈયાઓને કિફાયત દરે  ખાણીપીણીની મોજ માણવા મળે તેવું આયોજન

સમગ્ર નવરાત્રી દરમ્યાન શહેરોમાં ઠેરઠેર ખાણીપીણીની હાટડીઓ મંડાય છે.અને પાર્ટી પ્લોટોમાં મોંઘીદાટ ખાણીપીણીની ચીજ વસ્તુઓ વેચાય છે. તેવામાં "શાન" નવરાત્રી"માં ખેલૈયાઓને કિફાયત દરે ગુણવત્તાયુક્ત ખાણીપીણીની ચીજ વસ્તુઓ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પણ સ્ટોલ ધારકોને પણ નજીવા દરે સ્ટોલ મળે અને તેને પણ બે પૈસા કમાવાની તક મળે તેમજ ખેલૈયાઓને કિફાયતી દરે ખાણીપીણી ચીજવસ્તુઓ મળી રહે તેવું આયોજન આયોજક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.
----------

શહેરમાં ત્યજી દેવાયેલ રસ્તે રઝળતી અશક્ત અને બીમાર ગાયોની સેવા માટે "ગૌશાળા"નું આયોજન 

માત્ર ને માત્ર સેવાના ઉદ્દેશ્ય સાથે આણંદમાં વિશેષ  "શાન" નવરાત્રી"નું આયોજન કરનાર આયોજકો દ્વારા નવરાત્રીની આવકમાંથી શહેરમાં ત્યજી દેવાયેલ રસ્તે રઝળતી અશક્ત અને બીમાર ગાયોની સેવા અને ગરીબ વિદ્યાર્થીઓને ફી ભરવા માટે ખર્ચ કરવામાં આવશે તેમજ આગામી સમયમાં "ગૌશાળા"નું આયોજન પણ કરવામાં આવ્યું છે.
---------

સામાજિક,પારિવારિક,સાંસ્કૃતિક સંસ્કારોના સમન્વયનો વિશેષ ઉદ્દેશ્ય 

સામાજિક,પારિવારિક,સાંસ્કૃતિક સંસ્કારોના સમન્વયનો વિશેષ ઉદ્દેશ્ય સાથે સમગ્ર "શાન નવરાત્રી"કરવામાં આવેલ છે.સામાજિક એટલે કે નવરાત્રીના પ્રાંગણમાં કોઈપણ નાતજાતના ભેદભાવ વિના પ્રત્યેક સમાજના પરિવારો ગરબા રૂપી માતાજીની આરાધના કરી શકે આ આરાધના દરમ્યાન ગરબા રમતા દરેક વ્યક્તિ નાના બાળકો,બહેનો ભાઈઓ,અને વડીલો બધા જ "વસુધૈવ કુટુમ્બકમ"ની ભાવના સાથે એક પરિવાર બનીને માતાજીની આરાધના કરે અને આપણા દેશની સંસ્કૃતિને સાચવવામાં અને તેનું જતન કરવાનો સહિયારો પ્રયાસ કરે તેવો ઉદ્દેશ્ય ખાસ રીતે રાખવામાં આવ્યો છે. 
---------

તો...ખેલૈયાઓ "શાન નવરાત્રી"ના પાસ ક્યાંથી મેળવશો ?

આણંદ કરમસદ રોડ પર આયોજિત "શાન નવરાત્રી"ના પાસ મેળવવા માટે વિદ્યાર્થીઓ સહિત ખેલૈયાઓને  પાસ સરળતાથી મળી રહે તે માટે જુદી જુદી જગ્યાઓ પર વ્યવસ્થા કરવામાં આવી છે.

(1) શાન સિનેમા બોક્સ ઓફિસ(શાન મોલ) મો.9978082830

(2) શાન ફિટનેસ (શાન મોલ) મો.8460773642

(3) "ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ ઓફિસ,બી વી એમ એન્જી.કોલેજ પાછળ,સી યુ હોસ્ટેલ સામે          વિદ્યાનગર  મો.9898443330/8460723599

(4) એપલ સોડા - રાધા કીર્તિ કોમ્પ્લેક્ષ,ઇસ્કોન,યુનિ.રોડ,વિદ્યાનગર મો.9712044035

(5) YPEES રેસ્ટોરન્ટ - આર્યરાજ એક્સ્પાયર,મીલેનીયમ રેસ્ટોરન્ટની ઉપર,રુદ્રાક્ષ કોર્નર પાસે,વિદ્યાનગર,મો.9712044035

(6) NAMAH GLOBAL TOURS આત્મીય ઈમિગ્રેશન 4TH ફ્લોર કબીર આર્કેડ,આઈ ટી આઈ કેમ્પસ પાસે,ગ્રીડ ચોકડી,આણંદ મો.9998051633

(7) BADDY"S CORNER,BHAIKAKA - D MART ROAD,OPP.BHARAT PETROL PUMP,VALLABH VIDHYANAGR,DIXIT RANA MO. 8306678248,NIRAV RANA MO.9033347880

(8) ROADIES 4/5 RADHAMOHAN COMPLEX NR.KRISHNA PAN MOTA BAZAR V.V.NAGAR MO.9879398313

નોંધ.....વિદ્યાર્થીઓ માટે વિશેષ કન્શેસન  ૧૧૦૦ નો પાસ માત્ર ૫૫૦ માં મળશે.અને હા..બીજી આકર્ષક ઓફરો તો ખરી જ      
--------

"શાનદાર" ઓફરો સાથે " શાન નવરાત્રી"ની "શાનદાર" ઉજવણી, ખેલૈયાઓને રૂ.૧૧૦૦ ના પાસ સામે રૂ.૧૧૦૦ ના ફ્લેટ ડિસ્કાઉન્ટની ઓફર

આણંદમાં સૌ પ્રથમ વખત  "શાનદાર" ઓફરો સાથે " શાન નવરાત્રી"ની "શાનદાર" ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે નવરાત્રીના ગરબાની મોજ સાથે ખેલૈયાઓને શાન સિનેમા ખાતે પોપકોર્ન માં ૫૦ % ડિસ્કાઉન્ટ,ઘી ગોળ ખાતે ૨૦ % ,ઓક્ટન પિત્ઝામાં ૨૦ %, એફ ટી વી માં ૨૦%  ડિસ્કાઉન્ટ સહીત શાન ફિટનેસમાં કોઈપણ મેમ્બરશીપમાં રૂ.૧૧૦૦ નું ડિસ્કાઉન્ટની આકર્ષક ઓફરો મુકવામાં આવી છે.જ્યારે વિદ્યાર્થીઓ માટે વિશેષ ઓફરના ભાગરૂપે રૂ.૧૧૦૦ ના પાસમાં ૫૦ %  નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એટલે કે વિદ્યાર્થીઓને માત્ર ૫૫૦ રૂ.માં પાસ મળશે જેમાં વિદ્યાર્થીઓને પોતાની શાળા કે કોલેજનું આઈકાર્ડ આપવાનું રહેશે.
----------

ડીજીટલ ન્યુઝ મીડિયા "અર્બન ગુજરાત" પણ સેવાયજ્ઞમાં સહભાગી બનશે 

આણંદમાં સૌપ્રથમ વખત સેવાકીય "શાન નવરાત્રી"૨૦૨૫ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેમાં અનેક પ્રતિષ્ઠિત અગ્રણીઓ પણ આ અનોખા સેવાયજ્ઞમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.ત્યારે સોશિયલ મીડિયાના મધ્ય ગુજરાતનું સૌથી મોટું ડીજીટલ ન્યુઝ મીડિયા નેટવર્ક "અર્બન ગુજરાત"પણ આ સેવાયજ્ઞમાં સહભાગી થવા જઈ રહ્યું છે.જેના ભાગરૂપે સમગ્ર "શાન નવરત્રિ૨૦૨૫"નું લાઈવ પ્રસારણ દર્શકો "અર્બન ગુજરાત" પર નિહાળી શકશે.
----------

અવાજ પ્રદૂષણ રહિત  એડવાન્સ "ડીજીટલ ટેકનોલોજી, ફોર-વે  સાઉન્ડ સાથેસતીશ સાઉન્ડ’ના સથવારે  ગરબાની રમઝટ જામશે

"શાન નવરાત્રી" ના આયોજકો દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણીના દરેક પાસાઓને ધ્યાને રાખીને ખેલૈયાઓ સહિત ગરબા જાેવા આવનાર દર્શકોને પણ મોજ પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.જેમાં સમગ્ર મહોત્સવની ઉજવણીમાં વિશેષ મહત્વ ધરાવતું હોય તો તે સાઉન્ડ સીસ્ટમ છે.જાે સાઉન્ડ સીસ્ટમ યોગ્ય ન હોય તો કાર્યક્રમની મીઠાશ રહેતી નથી.જેને વિશેષ રૂપે કેન્દ્ર સ્થાને રાખતા  "સતીશ સાઉન્ડ"ના સતીશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણી સાઉન્ડ સીસ્ટમ ફોર-વે લાઈનેરી સેટઅપ એડવાન્સ ટેકનોલોજી સાથે ગ્રાઉન્ડમાં પ્રોપર ઇ્છ કરી સાઉન્ડ ટુ સાઉન્ડ એલાઈમેન્ટ કરવામાં આવશે.જેથી ગ્રાઉન્ડમાં ચોખ્ખો અવાજ મળશે તદ્દ ઉપરાંત ગ્રાઉન્ડની બહાર ૩૦ % થી વધુ એટલે કે ૧૦૦ ડ્ઢમ્(ડેસીબલ)થી વધુ અવાજ ગ્રાઉન્ડ બહાર ન જાય અને અને અવાજનું પ્રદૂષણ ન તેવો પ્રયાસ કરવામાં આવશે. 
-------

ગરબા સાથે પારંપરિક "દાંડિયા રાસ" ની પણ રમઝટ બોલાશે

ગરબા અને દાંડિયા રાસ બંને ભાતીગળ સંસ્કૃતિના પર્યાય છે.પરંતુ આધુનિક યુગમાં ક્યાંક ને ક્યાંક ભાતીગળ સંસ્કૃતિ ભૂંસાઈ ગઈ છે.જેને ખાસ ઉજાગર કરવાના આશય સાથે આયોજક મંડળ દ્વારા સમગ્ર નવરાત્રી દરમ્યાન વિશેષ દાંડિયા રાસ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આયોજક મંડળ તરફથી ખેલૈયાઓને દાંડિયા પણ આપવામાં આવશે.
---------

વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર
*  સ્ટુડન્ટ માટે ૫૦ % ઓફ આઈકાર્ડ બતાવો અને ખેલૈયા પાસ લઇ જાઓ ફક્ત ૫૫૦/-માં
*  "શાન સિનેમા"ખેલૈયા પાસ પર અહી તમને મળશે ૫૦% ઓફ +પોપકોર્ન-કોલ્ડ્રીંક(લાર્જ કોમ્બો)
*  ઓકટન પિત્ઝા,ઘી-ગુડ,ફેશન કેફે માં ખેલૈયા પાસ પર અહીં તમને મળશે ૨૦ % ઓફ
*   "શાન ફિટનેસ"ખેલૈયા પાસ પર અહીં તમને મળશે કોઈપણ મેમ્બરશીપમાં ૧૧૦૦ ની છુટ 
---------

બહેનોની સુરક્ષા અને સલામતી માટે વિશેષ "મહિલા બ્રિગેડ" તૈનાત રહેશે 

સમગ્ર નવરાત્રી દરમ્યાન ગરબા ની સાથે સાથે  બહેન દીકરીઓની સલામતી અને સુરક્ષાની ખાસ ચિંતા પરિવારોમાં રહેતી હોય છે.જેની ખાસ કાળજી લેતા આયોજક મંડળ દ્વારા સમગ્ર "શાન નવરાત્રી" દરમ્યાન ગરબા ગ્રાઉન્ડમાં દરેક જગ્યાએ વિશેષ પરિવેશ સાથે "મહિલા બ્રિગેડ" તૈનાત રહેશે અને ગરબા દરમ્યાન કોઈપણ બહેન દીકરી ની છેડતી કે અઘટિત બનવા ન બને તેની ખાસ કાળજી રાખવામાં આવશે.
--------

ખેલૈયાઓને જાેષ પૂરો પાડવા માટે નવ દિવસ  દરમ્યાન ખ્યાતનામ  સેલિબ્રિટીઓનું વિશેષ આકર્ષણ

નવલી નવરાતમાં અબાલવૃદ્ધ થી માંડીને તમામ ખેલૈયાઓમાં ગરબાનો અનોખો જાેષ અને થનગનાટ જાેવા મળે છે.ત્યારે ખેલૈયાઓમાં વધારે જાેષ ભરવા માટે  "શાન" નવરાત્રી"માં જુદાજુદા દિવસે ખ્યાતનામ સેલીબ્રીટીઓ પણ ઉપસ્થિત રહીને ખેલૈયાઓમાં અનોખું આકર્ષણ જમાવશે.