IMG-20240312-WA0010

આંકલાવ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચુંટણીમાં કોંગ્રેસ પ્રેરીત પેનલ બીનહરીફ

આંકલાવ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચુંટણીમાં  કોંગ્રેસ પ્રેરીત પેનલ બીનહરીફ

ચેરમેન તરીકે મનુભાઈ પઢિયાર મુજકુવા અને વાઇસ ચેરમેન તરીકે ભીખાભાઈ  પઢિયાર કહાનવાડી બીનહરીફ ચૂંટાયા

આણંદ ટુડે 
આંકલાવ તાલુકાના ખરીદવેચાણ સંઘની ચુટણી યોજાઈ હતી જેમાં કોગ્રેસ પ્રેરીત પેનલમાંથી નવ ઉમેદવારી ફોર્મ ભરાયેલા હતા જેમાં તમામ નવ ઉમેદવારો બીનહરીફ જાહેર થયા હતા. આજરોજ ચેરમેન તથા વાઈસ ચેરમેન ની ચુંટણી નાયબ કલેકટર બોરસદના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં શ અમિતભાઇ ચાવડા ( ધારાસભ્ય શ્રી અને વિરોધ પક્ષના નેતા ) ના માર્ગદર્શન હેઠળ ચેરમેન તરીકે મનુભાઈ પુનમભાઇ પઢિયાર રહે - મુજકુવા અને વાઇસ ચેરમેન તરીકે ભીખાભાઈ રામાભાઈ પઢિયાર રહે -કહાનવાડીના નામની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં સામે અન્ય કોઈ દરખાસ્ત ન આવતાં  ચુંટણી અધિકારી ધ્વારા બંન્નેને બીનહરીફ ચુંટાયેલ જાહેર કરવામાં આવ્યા હતા .
આ સમયે આંકલાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ  મહેન્દ્રસિંહ પઢિયાર,  એ. પી. એમ. સી. ચેરમેન મનુભાઈ પઢિયાર, ભગવાનસિહ મહીડા, નગીનભાઈ સોલંકી, ફતેહસિંહ સોલંકી, કાભયભાઇ પઢિયાર, મનુભાઈ પઢિયાર કહાનવાડી, જયંતીભાઈ ચૌહાણ, ગણપતભાઇ પરમાર, હઠિસિહ ઠાકોર, સૌ ઉપસ્થિત રહ્યા હતા .