IMG-20231121-WA0019

ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે પણ આંકલાવમાં જીઆઇડીસીનો એક પથ્થર પણ મૂકી શક્યા નહીં : અમિત ચાવડા

આંકલાવ વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો 

ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, પણ આંકલાવમાં જીઆઇડીસીનો એક પથ્થર પણ મૂકી શક્યા નહીં : અમિત ચાવડા 

ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, અને રાજેન્દ્રસિંહ પરમારના સરકાર પર તેજાબી ચાબખાં 

આંકલાવ ખાતે આંકલાવ વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા આયોજિતને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.જેમાં ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, અને રાજેન્દ્રસિંહ પરમારે  સરકાર પર તેજાબી ચાબખાં માર્યા હતા.જેમાં  ભાજપની સરકાર દ્વારા આણંદ અને આંકલાવ સહિત આખા ગુજરાત અને દેશમાં જે અન્યાય થઈ રહ્યો છે.તેની સામે જાગૃત થવા અને લડત આપવા લોકોને આહવાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને આંકલાવ ના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા ગુજરાત સરકારને  આડેહાથ લેતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં  ભાજપ સત્તામાં છે. 14 વર્ષે તો પ્રભુ શ્રીરામનો વનવાસ પણ પૂરો થઈ ગયો હતો.પરંતુ આણંદ જીલ્લો બને 25 વર્ષ થયા પરંતુ 25 વર્ષ બાદ પણ આણંદ જિલ્લાને સિવિલ હોસ્પિટલ નથી મળી, જેને લઈને સામાન્ય જનતા પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને લાખો રૂપિયા ખર્ચે છે.
કેટલાક વર્ષોથી અમે આંકલાવમાં જીઆઇડીસી બનાવવા માટે સરકાર સામે લડત આપી રહ્યા છે.જેને લઈને સરકારે જીઆઇડીસી ની જાહેરાત તો કરી દીધી,પરંતુ હજુ સુધી આંકલાવમાં જીએડીશનો પથ્થર પણ મૂકી શક્યા નહીં જો ગુજરાત સરકાર આ મુદ્દે ગંભીરતા નહીં લેતો આવનારા સમયમાં આંકલાવમાં જીઆઇડીસી માટે આક્રમક રીતે લડત આપવા માટે પણ આપણે તમામે તૈયાર રહેવું પડશે. 
             આ પ્રસંગે ઉપસ્થિત ભારત સરકાર ના પૂ. મંત્રી શ્રી ભરતસિંહ સોલંકી, આણંદ અમુલના પૂ. વાઇસ ચેરમેન અને પૂ. ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ પરમાર,  ગુજરાત સરકાર ના પૂ. મંત્રી શ્રી ભીખાભાઈ રબારી, પૂ. ધારાસભ્ય મહુધા શ્રી નટવરસિહ ઠાકોર, આણંદ જિલ્લા કોગ્રેસ પ્રમુખ વિનુભાઇ સોલંકી, આણંદ જિલ્લા પંચાયત  પૂ. પ્રમુખ નટવરસિહ મહીડા, આકલાવ એ.પી.એમ.સી. ચેરમેન મનુભાઈ પઢીયાર,આણંદ જિ. પં પૂ.કારોબારીઅધ્યક્ષ પ્રતાપસિંહ સોલંકી, આણંદ જિલ્લાના પૂ.શિક્ષણ સમિતિના ચેરમેન ફતેહસિંહ સોલંકી , આકલાવ તાલુકા પંચાયત પ્રમુખ ઉષાબેન પઢીયાર, ઉપપ્રમુખ સંજયભાઇ, આકલાવ નગર પાલીકા પૂ. પ્રમુખ અંબાલાલ ભાઇ પઢીયાર, આણંદ તાલુકા કોગ્રેસ પ્રમુખ યશપાલસિહ, ઉમરેઠ તાલુકા કોગ્રેસ પ્રમુખ ભુગુરાજસિહ, આકલાવ તાલુકા કોગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પઢીયાર, નશરુદીનભાઇ નાપાડ, અનવરખાન આકલાવ, સહિત તા. પં સભ્યો, સરપંચો, આગેવાનો સહિત ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

મોંઘવારી, ભાવ વધારો એ ભાજપ સરકારની અણ આવડતની  નહીં પરંતુ તેમની સમજ અને બુદ્ધિપૂર્વકની છે- પૂર્વ કેન્દ્ર મંત્રી ભરતસિંહ સોલંકી 

પૂર્વ કેન્દ્ર મંત્રી ભરતસિંહ સોલંકીએ  સરકાર પર આક્ષેપકતા જણાવ્યું હતું કે મોંઘવારી, ભાવ વધારો એ ભાજપ સરકારની અણ આવડતથી નહીં પરંતુ તેમની સમજ અને બુદ્ધિપૂર્વકની છે. આ બધા પૈસા મોંઘવારીના અને ભાવ વધારાના કારણે તેમના ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણીના તિજોરીમાં જાય તે રીતે પ્લાનિંગ કરીને એ ચીજ વસ્તુનો ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અને આ તમામ રૂપિયા તેમની તિજોરીમાં જઈ રહ્યા છે. જેને લઇને સામાન્ય માણસ મોંઘવારી અને ભાવ વધારાનો સામનો કરી રહ્યો છે. 

30 વર્ષથી ભાજપની સરકાર ચાલી રહી છે જેને લઇને આજે સરેઆમ ખુલ્લો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.- રાજેન્દ્રસિંહ પરમાર પૂર્વ ધારાસભ્ય બોરસદ 

બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે સ્નેહ મિલનમાં સંબોધતા જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર ચાલી રહી છે, જેને લઇને આજે સરેઆમ ખુલ્લો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ઠેર ઠેર ભ્રષ્ટાચારની દુકાનો ખુલી ગઈ છે 30% ટકા 40% કમિશન પર કામો થઈ રહ્યા છે. અને ભ્રષ્ટાચાર એ આખા ગુજરાત સહિત  આખા દેશમાં માજા મૂકી છે. આ લોકશાહીમાં આપણે નહીં બોલીએ તો કોણ બોલશે  અને જો લોકશાહીમાં આપણે નહીં બોલીએ તો આ દેશ કેવી રીતે બચશે