1002200973

મોગરી ગામનો કરમસદ,આણંદ મનપામાં સમાવેશ કરાતા વિરોધનો વંટોળ ઉઠ્યો.

મોગરી ગામનો કરમસદ,આણંદ મનપામાં સમાવેશ કરાતા વિરોધનો વંટોળ ઉઠ્યો.

મોગરી ગ્રામજનોએ ગ્રામસભા યોજી, સરકારને રજૂઆત કરવા નિર્ણય લેવાયો

મોગરી ગામનું 22 ગામ પાટીદાર સમાજમાંથી અસ્તિત્વ અને ઈતિહાસ ભૂંસાઈ જવાની સંભાવના વ્યક્ત કરાઇ

કરમસદ આણંદ મનપા નામ જાહેર કર્યા બાદ પણ કરમસદ ગામમાં અસંતોષ યથાયત

" સરદાર કા કર્જ ચુકાના હૈ,
          સન્માન વાપસ દિલાના હૈ."

આણંદ ટુડે | આણંદ
આણંદ તાલુકાના મોગરી ગામનો કરમસદ,આણંદ મનપામાં સમાવેશ કરાતા  વિરોધનો વંટોળ ઉઠ્યો છે. રવિવારે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ-  ગુજરાતના અધ્યક્ષશ્રી મિથલેશ અમીનના નેતૃત્વમાં સમિતિના સભ્યો સહિત ગ્રામજનોએ મોગરી ગામમાં ગ્રામસભા યોજીને ઉગ્ વિરોધ નોંધાવ્યો હતો અને કરમસદ જીટોડીયા અને મોગરીનો કરમસદ,આણંદ મહાનગર પાલિકામા સમાવેશ કરવાના મુદ્દે સરકારને રજૂઆત કરવા નિર્ણય કર્યો છે
આણંદ મહાનગરપાલિકાની જાહેરાત થયા બાદ કરમસદનો આણંદ મનપામાં સમાવેશ કરી દેવાયો હતો. બાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના ગામ કરમસદનું અસ્તિત્વ ભૂંસાઈ જવાના ભય ઉભો થતા કરમસદને અલગ દરજ્જો આપવાની માંગણી સાથે સરદાર સન્માન સંકલ્પ સમિતિ બનાવી ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો હતો. વિરોધમાં જીટોડિયાના ગ્રામજનોએ પણ ટેકો આપ્યો હતો. 
સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ-  ગુજરાતના અધ્યક્ષશ્રી મિથલેશ અમીનના નેતૃત્વમાં કરમસદ વાસીઓના વ્યાપક વિરોધના પગલે રાજ્ય સરકારે આણંદ મનપાનું નામ કરમસદ આણંદ મહાનગરપાલિકા રાખવાની જાહેરાત કરીને આણંદ મહાનગર પાલિકાના બદલે, કરમસદ આણંદ મહાનગર પાલિકા ક્યું હોવા  છતાં હજૂ વિરોધ યથાવત રહેવા પામ્યો છે. 
કરમસદ આણંદ મનપામાં સમાવેશ કરાયેલા આર્ણદ તાલુકાના મોગરી ગામમાં રવિવારે ગ્રામજનોએ ગ્રામસભા યોજી હતી. 
ખેતી, ખેડૂત અને ગામ બચાવો આભિયાન અંતર્ગત રવિવારે  મોગરી ગામ પોતાની સ્વતંત્રતાની લડતનું જાતે સરદાર બની  સરકારના આણંદ મહાનગરપાલિકા ના નિર્ણયના વિરોધમાં જોડાયું છે.
ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ આણંદ મહાનગરપાલિકાના નિર્ણયથી ગામના  સમાજ, સંસ્કૃતિ,અને સભ્યતાનો નાશ થાય છે. સમાજ વ્યવસ્થાને જડ મૂળ થી આલગ કરવાનો પ્રયાસ છે. અસ્તિત્વ ને નાશ કરનારો વિચાર છે. જેનો  મોગરી ગામ પણ વિરોધ કરે છે.
આણંદ મહાનગર પાલિકામાં આવરી લેવામાં આવેલા ગામોનો પોતાનો એક સમાજ અને ઇતિહાસ છે. તેવી જ રીતે મોગરી ગામનો પણ એક સમાજ અને ઇતિહાસ છે. ગ્રામ જનોએ વધુમાં જણાવ્યું હતું કે,* મોગરી (૨૨ ગામ) બાવીશ ગામ સમાજનું અભિન્ન અંગ છે.આણંદ મહાનગરપાલિકામાં મોગરી ગામના સમાવેશ થી મોગરી ગામની પોતાની ઓળખ ભૂંસાઈ જાય છે. (૨૨ ગામ) બાવીશ ગામ ગોળ સમાજ થી અલગ થઈ જાય છે. એનો ઇતિહાસ પણ ભૂંસાઈ જાય છે. આમ મોગરી ગામ માટે તેના સમાજ, સંસ્કૃતિ, અને એના ઇતિહાસના ભોગે બનાવાતી આણંદ મહાનગરપાલિકાનો વિચાર વિકાસલક્ષી નહીં પણ વિનાશ લક્ષી છે. અને "સ્વરાજ એ મોગરીનો પણ જન્મ સિદ્ધ અધિકાર છે."
        ગ્રામજનોએ કહ્યું હતુ કે,અમારા ગામ ની ઉપર સંકટ આવ્યું છે. અને એમાં અમારે ગામનો સાથ આપવાની જરૂરિયાત પડી છે. અમે આમારો આવાજ પણ ના ઉઠાવીએ તો ગામ જોડે ગદ્દારીનું કલંક લાગે. !
     એના ઉપર એક વાત કહેવા માગીએ છે કે, " વતન સે વફાદારી કી પહેચાન તો મુશ્કિલ વક્ત મેં હોતી હૈ "  વરના દિખાવા તો ગદ્દાર ઔર દલાલ ભી કિયા કરતે હૈ " તેમ કહી આગામી દિવસોમાં પણ આ મામલે વિરોધ જારી રહેશે તેમ જણાવ્યું હતું.