વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં ૯૦ જેટલા ગ્રામ્ય વિસ્તારો આવરી લેવાશે
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં ૯૦ જેટલા ગ્રામ્ય વિસ્તારો આવરી લેવાશે
વિકસિત કૃષિ સંકલ્પ રથ થકી ખેડૂતોને કૃષિ સંલગ્ન માર્ગદર્શિત કરાશે
આણંદ,ગુરુવાર
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ એ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં ૧૨ જૂન સુધી ૯૦ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં વિકસિત કૃષિ સંકલ્પ થકી ખેડૂતોને કૃષિ સંલગ્ન માર્ગદર્શન આપવામાં આવશે.
આ અભિયાન થકી ખેડૂતોને વાવણી વખતે પડતી મુશ્કેલીઓ નિવારી શકાશે તેમજ કૃષિ વૈજ્ઞાનિકોએ કરેલ સંશોધનો સીધા ખેડૂતો સુધી પહોંચાડવા માટે આ અભિયાનને પાયાની ભૂમિકા ભજવશે.
કૃષિ સંકલ્પ રથમાં કૃષિ સંલગ્ન ૧૦ -૧૨ સભ્યોની બનેલી ટીમો કાર્યરત થશે.જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિભાગના, પ્રગતિશીલ ખેડૂતો, એફ. પી.ઓ વગેરે ક્ષેત્રના સભ્યોનો સમાવેશ કરાયો છે.
આ ટીમ ગામેગામ ગઈ ખેડૂતોને કૃષિલક્ષી જનજાગૃતિ કેળવશે, પ્રાકૃતિક ખેતી, ક્લાઈમેટ ચેન્જ, ખેડૂતોએ ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડવો, ખેડૂતોએ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી પાક બદલી કેવી રીતે લેવી, જીવાત નિયંત્રણ કેવી રીતે કરવું વગેરે બાબતે સંવાદ થકી માર્ગદર્શન આપવામાં આવશે.
આ ઉપરાંત ડ્રોન ટેકનોલોજી થકી યુરિયાનો છંટકાવ કેવી રીતે કરવો તેનો પણ નિદર્શન કરવામાં આવનાર છે.
-----