આણંદ જીલ્લાના તારાપુર તથા ખંભાતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરાયા
આણંદ જીલ્લાના તારાપુર તથા ખંભાતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરાયા
સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં ૧૧૯૧૭ કયુસેક પાણીનો જથ્થો નદીમાં છોડાયો
સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોને સાવચેત રહેવા પૂર નિયંત્રણ કક્ષ અમદાવાદની તાકીદ
આણંદ, શનિવાર
સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલમાં ૧૧૯૧૭ ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ છે.
જે અર્થે હાલ માં વાસણા બેરેજના કુલ ૯ ગેટ (નં.૨૦ થી ૨૮) ખોલવામાં આવેલ છે. જે અન્વયે પૂરથી સંભંવિત અસરગ્રસ્ત થનાર તમામ ગામોને સલામતીના યોગ્ય પગલાં લેવા માટે નાયબ કાર્યપાલક ઈજનેર, પુર નિયંત્રણ કક્ષ, અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ સૂચિત પાણીના જથ્થા અન્વયે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારો પૈકી તારાપુર તાલુકાના ૧૧ ગામો તથા ખંભાત તાલુકાના ૨ નદી કાંઠા ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે.
તારાપુર તાલુકાના ગામોમાં ગલીયાણા,રીંઝા,ખડા,મિલરામપુર,
ચિતરવાળા, દુગારી,નભોઈ, મોટા કલોદરા, ફતેપુરા, પચેગામ, કાસબારા વગેરે ગામો તથા ખંભાત તાલુકાના ગોલાણા, પાંદડ જેવા ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.
-------

