1803403_CON_FEATUREScreenshot_20220822-145150_Google

સોજીત્રા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

બેરોજગાર યુવકો માટે રોજગારીની ઉત્તમ તક

સોજિત્રા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

આગામી તારીખ ૧૯ ડિસેમ્બર, મંગળવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે સરકારી આઈ.ટી.આઈ સોજીત્રા ખાતે રોજગાર મેળો યોજાશે.

ઉમેદવારોને આ રોજગાર ભરતી મેળાનો લાભ લેવા  રોજગાર અધિકારી આણંદ શ્રી સી. બી. ચૌધરી દ્વારા અનુરોધ કરાયો


આણંદ ટુડે I આણંદ,
 રાજ્ય સરકાર દ્વારા લાયક ઉમેદવારોને તેમના અભ્યાસ મુજબ રોજગારી મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ આવેલ રોજગાર કચેરી દ્વારા તેમના નામની નોંધણી કરવામાં આવે છે અને ખાનગી કંપની દાતાઓનો  સંપર્ક કરી તેમની કંપની ખાતે ખાલી જગ્યાઓ મુજબ તેમની કંપનીને અનુરૂપ યોગ્ય ઉમેદવારો મળી રહે તે માટે સંપર્ક કરીને તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાએ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. 

જિલ્લા રોજગાર કચેરી, આણંદ અને સરકારી આઈ.ટી.આઈ સોજીત્રાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૧૯ ડિસેમ્બર, મંગળવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે સરકારી આઈ.ટી.આઈ સોજીત્રા ખાતે સરકારી ગોડાઉન પાસે, દૂધીપુરા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ રોજગાર ભરતી મેળામાં એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ., સ્નાતક અને અનુસ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો અને ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ વચ્ચેની હોય તેમના માટે આ રોજગાર ભરતી મેળો યોજવામાં આવનાર છે. 

જે ઉમેદવારો આ રોજગાર ભરતી મેળાનો લાભ લેવા માંગતા હોય તેમણે તેમના બાયોડેટાની પાંચ નકલ સાથે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવા રોજગાર અધિકારી આણંદ શ્રી સી. બી. ચૌધરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
****