1001619393

૩૫ વર્ષ પછી શ્રીનગરના જોગેશ્વરી મંદિરમાં શિવલિંગને પુનઃસ્થાપિત કરાયું

૩૫ વર્ષ પછી શ્રીનગરના જોગેશ્વરી મંદિરમાં શિવલિંગને પુનઃસ્થાપિત કરાયું

એક ઊંડી પ્રતીકાત્મક અને ભાવનાત્મક ક્ષણ રૈનાવારી કાશ્મીરી પંડિત જીવનમાં આવી. 


અહેવાલ- ડો. રોહિત એચ. દવે

આણંદ ટુડે | શ્રીનગર
શ્રીનગરના રૈનાવાડીમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિત સમુદાયના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને રક્ષણ માટે સમર્પિત સર્વોચ્ચ સંસ્થા, રૈનાવારી કાશ્મીરી પંડિત એક્શન કમિટી (RKPAC) ના પ્રમુખ બુશન લાલ જલાલી અને કમિટી સભ્યો દ્વારા શ્રીનગરના રૈનાવારી સ્થિત જોગી લંકરમાં સ્થિત જોગેશ્વરી મંદિરમાં બુધવારે શિવલિંગને ૩૫ વર્ષ પછી સફળતાપૂર્વક પુનર્જીવિત અને પુનઃસ્થાપિત કર્યું.
૩૫ વર્ષ પહેલાં અપવિત્ર કરાયેલા કૃત્ય બાદ પોલીસ દ્વારા પુનઃપ્રાપ્ત કરાયેલ, પવિત્ર શિવલિંગ એક દાયકાથી વધુ સમય સુધી કસ્ટડીમાં રહ્યું. RKPAC ના પ્રયાસોને કારણે, તાજેતરના સ્પેશિયલ મેજિસ્ટ્રેટના આદેશ પછી તેને મુક્ત કરવામાં આવ્યું. આ એક કાશ્મીરી પંડિતોના વારસાને પુનઃસ્થાપિત કરવામાં એક શક્તિશાળી પગલું છે.
૧૯૯૦ના દાયકામાં કાશ્મીરમાં આતંકવાદ ચરમ પર હતો. તે દરમિયાન આતંકવાદીઓએ શિવલિંગને અપવિત્ર કરીને નદીમાં ફેંકી દીધું હતું. ત્યારબાદ લગભગ ૧૦ વર્ષ પહેલાં સ્થાનિક પોલીસને શિવલિંગ મળી આવ્યું હતું. ત્યારથી શિવલિંગ તેમની પાસે જ હતું. જલાલીએ વધુમાં જણાવ્યું છે કે, પોતાના ઇષ્ટદેવને પામવા માટે તેમણે ૧૦ વર્ષ સુધી કાનૂની લડાઈ લડી હતી અને ત્યારબાદ જઈને કોર્ટનો નિર્ણય તેમના પક્ષમાં આવ્યો હતો. 
કાશ્મીરી પંડિત સમુદાય દ્વારા રૈનાવારી સ્થિત બોધ મંદિરમાંથી એક સદીઓ જૂનું શિવલિંગ, જે ૩૫ વર્ષ પહેલાં અપવિત્ર કરવામાં આવ્યું હતું, તેને શ્રીનગરના જોગીશ્વરી મંદિરમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. દાયકાઓના વનવાસ પછી આ એક એક પવિત્ર પુનરાગમન છે.
નોંધનીય છે કે, જોગેશ્વરી મંદિર ખૂબ પ્રાચીન ધરોહર છે. પહેલાંના સમયમાં સાધુ-સંતો અમરનાથ યાત્રા પર જતાં વખતે અહીં જ વિશ્રામ કરતા હતા. ત્યારથી આ સ્થળને જોગી લંકર કહેવામાં આવતું હતું. સમય જતાં તે જોગેશ્વરી મંદિર તરીકે પ્રસિદ્ધ થયું હતું. આજે પણ સ્થાનિક કાશ્મીરી હિંદુઓ માટે તે મંદિર આસ્થાનું પ્રતિક ગણાય છે.
---x---