આણંદ જિલ્લાના નદી કિનારા વિસ્તારના ૨૬ જેટલા ગ્રામ્ય વિસ્તારોને વહીવટી તંત્ર દ્વારા સાવચેત કરાયા
આણંદ જિલ્લાના નદી કિનારા વિસ્તારના ૨૬ જેટલા ગ્રામ્ય વિસ્તારોને વહીવટી તંત્ર દ્વારા સાવચેત કરાયા
વણાકબોરી વિયરની સપાટી ધ્યાને લઈ નદી કિનારા વિસ્તારમાં સાવચેતીના પગલા લેવા જણાવતું નડિયાદ સ્થિત ફ્લડ સેલ, મહી બેઝિન
આણંદ,રવિવાર
ફ્લડ સેલ મહી બેઝીન,મહી સિંચાઈ વર્તુળ,નડિયાદ કચેરીએ મહી નદીમાં પૂર અન્વયે નદી કિનારા વિસ્તારમાં સાવચેતીના પગલા લેવા જણાવ્યુ છે.
ફ્લડ સેલ મહી બેઝિન દ્વારા જણાવ્યું છે કે, હાલમાં વણાંકબોરી વિયર પરથી બપોરે ૦૩:૦૦ કલાકે, ૫૫૩૦ ક્યુસેક પ્રવાહ પસાર થઇ રહ્યો છે. પાનમ ડેમના જળાશયમાંથી કુલ અંદાજે ૩૦,૦૦૦ ક્યુસેક પાણીનો પ્રવાહ સાંજે ૦૭:૦૦ કલાકથી સુધીમાં છોડવાની સંભાવના છે.જેને કારણે વણાકબોરી વિયર પરથી રાત્રે ૧૧:૦૦ કલાકે અંદાજીત પાણીનો પ્રવાહ ૩૫,૫૩૦ ક્યુસેક પસાર થવાની શક્યતા છે.જે અન્વયે પૂર જેવી પરિસ્થિતિને ધ્યાને લઈ નદી કિનારાના વિસ્તારમાં સાવચેતીના પગલાં લેવા નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી,ફ્લડ સેલ મહી બેઝિન દ્વારા જણાવવામાં આવ્યુ છે.
આણંદના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોરસદ તાલુકાના ૮ જેટલા,આણંદના ૪ ,ઉમરેઠના ૨ અને આંકલાવના ૧૨ જેટલા ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.બોરસદ તાલુકાના ગાજણા, સારોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયા ખાડ, દહેવાણ, બદલપુર, વાલવોડ જેવા ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરાયા છે.આણંદ તાલુકાના ખાનપુર, આંકલાવડી,રાજુપુરા તથા ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા,ખોરવાડ તથા આંકલાવ તાલુકાના ચમારા,બામણગામ, ઉમેટા,ખડોલ - ઉમેટા, સંખ્યાડ, કાનવાડી, અમરોલ,ભાણપુરા, આસરમા,નવાખલ, ભેટાસી વાટા,ગંભીરા જેવા ગ્રામ્ય વિસ્તારોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે.
-------

