અમદાવાદ પેસેન્જર વિમાન દુર્ઘટના, 290 થી વધુ લોકોના મોત
અમદાવાદ પેસેન્જર વિમાન દુર્ઘટના, 290 થી વધુ લોકોના મોત..!
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરોના મોત, એક પેસેન્જરનો ચમત્કારિક બચાવ
હોસ્ટેલ પર પ્લેન ક્રેશ થતા 50 ઈન્ટર્ન ડોક્ટર સહિત સ્ટાફના મોત થયાના અહેવાલ
ગુરૂવાર અમદાવાદ સહિત આણંદ જિલ્લા માટે પણ કાળો દિવસ,જિલ્લાના 33 લોકો પ્લેનમાં સવાર હતા
આણંદ ટુડે | આણંદ
ગુજરાતના અમદાવાદના મેઘાણીનગર સ્થિત આઈજીપી કમ્પાઉન્ડમાં આજે ગુરૂવારની બપોરે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. એર ઈન્ડિયાનું બોઈંગ ૧૭૧ નંબરનું પ્લેન, જે ૧.૩૮ વાગ્યે ટેકઓફ થયું હતું, તે માત્ર બે જ મિનિટમાં, એટલે કે ૧.૪૦ વાગ્યે ક્રેશ થઈને કમ્પાઉન્ડમાં આવેલી એક બિલ્ડિંગ સાથે અથડાયું હતું.
આ દુર્ઘટનામાં ૨૫૦થી વધુ લોકોના મોતની શક્યતા છે. અમદાવાદ થી લંડન જઈ રહેલા આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ક્રુ મેમ્બર સહિત ૨૪૨ જેટલા મુસાફરો સવાર હતા આ તમામના મોત થયાના અહેવાલ સાપડયા છે આ વિમાન મેઘાણીનગરમાં બી.જે મેડિકલ કોલેજ હોસ્ટલ સાથે ટકરાયું ત્યાંના કેટલાક વિદ્યાર્થીઓએ પણ જીવ ગુમાવ્યા છે.તો ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થાય છે .જોકે વિમાન દુર્ઘટનામાં રમેશ વિશ્વાસ કુમાર નામના એક મુસાફરનો અદભુત બચાવ થયો હોવાના પણ અહેવાલ મળ્યા છે.
*********
પ્લેનમાં સવાર આણંદ જિલ્લાના કમનસીબ લોકો
***********
આણંદ- હાલાણી બદરૂદ્દીન હસનઅલી
આણંદ - હાલાણી યાસ્મીન બદરૂદ્દીન
આણંદ - હાલાણી મલેકબેન રજબઅલી
આણંદ -મિસ્ત્રી કીનલ
કરમસદ -શશીકાંતભાઈ -કરમસદ
સોજીત્રા-પટેલ તરલીકાબેન બાબુભાઈ
લાંભવેલ-પટેલ કિરીટભાઈ લલ્લુભાઈ
આણંદ -ડૉ. હિમાંશુ વસંતલાલ શેઠ
પીપળોઈ -પટેલ મુકુંદભાઈ અંબાલાલ
ખંભાત -પંડયા હેમંતભાઈ
ખંભાત-પંડયા નેહાબેન
બોરસદ -મંજુલાબેન જગદીશભાઈ
ફાંગણી-નિખીલકુમાર રાજેશકુમાર પટેલ
ચીખોદરા-દુષ્યંત અશોકભાઈ પટેલ
ચીખોદરા-નીતાબેન અશોકભાઈ પટેલ
ભરોડા -શશીકાંત રાવજીભાઈ પટેલ
ભરોડા -કોકીલાબેન શશીકાંત પટેલ
કરમસદ -ભાવનાબેન બિપીનભાઈ રાણા
સોજિત્રા -નિલકંઠભાઈ ચંદુભાઈ પટેલ
રામનગર -મહેન્દ્રકુમાર મનુભાઈ વાઘેલા
ખંભોળજ - આકાશ નીલેશભાઈ પુરોહિત
ઉમરેઠ -સલમાબેન રજ્જાકભાઈ વહોરા
કસુંબાડ -રણવીરસિંહ નટવરસિંહ ચૌહાણ
ગાના - મોનાલીબેન પટેલ
ગાના - સન્નીભાઈ પટેલ
તારાપુર -પાર્થ કમલેશભાઈ શર્મા
જલસણ -હર્શીકાબેન જયંતીભાઈ પટેલ
જલસણ -જયંતિ પટેલ ઉપરાંત
વાસદના ત્રણ લોકો પ્લેનમાં સવાર હોવાનું સામે આવવા પામ્યું છે. જેમાં રજનીકાંત માહિજીભાઈ પટેલ, દિવ્યા રજનીકાંત પટેલ, હેમાંગીબેન અરૂણભાઈ પટેલ પણ પ્લેનમાં સવાર હતા.