AnandToday
AnandToday
Friday, 18 Sep 2026 18:30 pm
AnandToday

AnandToday

ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું અંધજન મંડળ, ગણપતિ બાપાની આરતીમાં ઉમટ્યો ભક્તિસાગર

પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનો સાથે દાતાશ્રીઓ, કલાકારો, સેવાભાવી મિત્રો અને ભક્તજનોએ કરી ગણેશ આરાધના

આણંદ ટુડે | આણંદ
રાષ્ટ્રીય અંધજન મંડળ–આણંદ ખાતે આયોજિત શ્રી ગણેશ મહોત્સવના પાંચમા દિવસની પાવન આરતી ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી. પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનો, દાતાશ્રીઓ, શુભેચ્છકો, સેવાભાવી મિત્રો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ આરતીમાં સહભાગી બની ગણપતિ બાપાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પ્રસંગે જાણીતા લોકગીત કલાકાર શીતલબેન બારોટ, પાર્વતીબેન બારોટ, રાહુલભાઈ બારોટ, લોકડાયરાના કલાકાર ડૉ. નિર્મળદાન ગઢવી, ગીતાબેન ગઢવી, હરિતાબેન ગઢવી સહિતના મહાનુભાવો તેમજ બ્રહ્માકુમારી બી.કે. સિંદૂરાબેન અને બી.કે. વૃંદાબેન (મોગરી) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દેવેન્દ્રભાઈ જોશી, ડૉ. મેઘનાબેન જોશીના પિતાશ્રી, ઉરેનભાઈ (શ્રેયસનગર), દક્ષેશ બારોટ, ચિરાયુ, વિરેન્દ્રભાઈ પટેલ, રામભાઈ, હરિહરભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
સિને મીડિયા ફાઉન્ડેશન, અમદાવાદના પ્રમુખ તથા નમસ્કાર ગુજરાત દૈનિકના મેનેજિંગ તંત્રી ડૉ. કલ્પેશ પટેલ, મહેશ પટેલ (સાદાનાપુરા) સહિતના મહાનુભાવો પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

હેલ્થ ફ્રેન્ડ ગ્રુપ તરફથી ભોજનના દાતાશ્રીઓ વિપુલભાઈ ગજ્જર, રાજેન્દ્રભાઈ તથા નૈવેશભાઈ પટેલનો સંસ્થા તરફથી વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વલ્લભ વિદ્યાનગરના સિનિયર સિટીઝન ગ્રુપના રઘુભાઈ જોષી, રાજેશભાઈ શાહ, મુકેશભાઈ શાહ, કિરીટભાઈ દવે તથા ગ્રુપના તમામ સભ્યોનો કાર્યક્રમમાં સહભાગિતા અને સતત પ્રોત્સાહન બદલ પણ આભાર માનવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય અંધજન મંડળ–આણંદના પ્રમુખ મહેન્દ્ર બી. પટેલે જણાવ્યું હતું કે, સમાજના વિવિધ વર્ગો તરફથી મળી રહેલો પ્રેમ, સહકાર અને આશીર્વાદ પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોના સર્વાંગી વિકાસ માટે પ્રેરણારૂપ છે.
સંસ્થા તરફથી શ્રી ગણેશ મહોત્સવને સફળ બનાવવા માટે સમય, સેવા, કલા અને સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, શુભેચ્છકો, સેવાભાવી મિત્રો અને ભક્તજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આગામી કાર્યક્રમોમાં સહપરિવાર ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.