AnandToday
AnandToday
Thursday, 10 Sep 2026 18:30 pm
AnandToday

AnandToday

માટીને આકાર આપી સર્જાઈદિવ્યતા’ 

ચારૂસેટમાં કોમી એખલાસનું અદભુત ઉદાહરણ

ચારૂસેટમાં અનોખો સર્જનાત્મક ગણેશ મૂર્તિ નિર્માણ વર્કશોપ યોજાયો


ક્રિશ્ચિયન અને મુસ્લિમ વિદ્યાર્થીઓએ પણ હર્ષોલ્લાસ સાથે ભાગ લઈ આપ્યું ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ

આણંદ ટુડે | ચાંગા
14 સપ્ટેમ્બરથી શરુ થઇ રહેલા ગણેશોત્સવના પાવન પર્વને સર્જનાત્મકતા, કળા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિ સાથે જોડવાના હેતુથી ચારુસેટ યુનીવર્સીટી સંલગ્ન ઇન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIIM) અને ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેંગ્વેજિસ, આર્ટ્સ એન્ડ સોશિયલ સ્ટડીઝ (CLASS) ના સંયુક્ત ઉપક્રમે  ‘શેપિંગ ડીવીનિટી: ધ આર્ટ ઓફ ક્રિએટીંગ ગણેશા ફ્રોમ કલે’ (Shaping Divinity: The Art of Creating Ganesha from Clay) વિશે હેન્ડ્સ-ઓન ક્રિએટિવ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. 11 સપ્ટેમ્બરે, શુક્રવારે IIIM બિલ્ડીંગના સેન્ટ્રલ સ્ક્વેરમાં યોજાયેલા આ વર્કશોપમાં ચારુસેટની વિવિધ 10 સંસ્થાઓના કુલ 76 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ક્રિશ્ચિયન અને મુસ્લિમ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ કુલ 37 મૂર્તિઓનું સર્જન કર્યું હતું. વર્કશોપમાં ક્રિશ્ચિયન અને મુસ્લિમ વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો અને આજના સામ્પ્રત સમયમાં કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 
આ ઇવેન્ટના કન્વીનર IIIM ના પ્રિન્સીપાલ ડો. રેશમા સાબ્લે, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (FMS)ના ડીન ડો. રાજેશ સાધવાની,  CLASS ના પ્રિન્સિપાલ તથા ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝના ડીન ડૉ. ભાસ્કર પંડ્યા હતા. 
પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ અને રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલે બંને સંસ્થાઓની ગણેશ પ્રતિમાના ડિવાઈન વર્કશોપની પહેલને બિરદાવતા કહ્યું હતું કે આ વર્કશોપ માત્ર ક્રીયેટીવીટી માટે જ નહિ પરંતુ ધાર્મિક હેતુ તેમજ કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ વર્કશોપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પરંપરાગત માટીકામ અને ક્લે મોડેલિંગની કળાનો પરિચય કરાવવાની સાથે પોતાની સર્જનાત્મકતાને અભિવ્યક્ત કરવાની તક આપવાનો હતો. એક્સપર્ટસના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ માટીમાંથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવવાની વિવિધ મૂળભૂત ટેક્નિક્સ શીખી હતી અને હસ્તકૌશલ્ય તથા કલ્પનાશક્તિનો પરિચય કરાવ્યો હતો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ માટીને વિવિધ આકારો આપીને ગણેશજીની મૂર્તિનું સર્જન કર્યું હતું. સમગ્ર પ્રવૃત્તિ દરમિયાન ઉત્સાહ, સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક ભાવનાનો સમન્વય જોવા મળ્યો હતો. વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓને ક્લે મોડેલિંગની કળા શીખવાની સાથે સાથે ગણપતિ સાથે જોડાયેલા સાંસ્કૃતિક અને કલાત્મક મહત્ત્વને સર્જનાત્મક રીતે સમજવાની તક મળી હતી.
વર્કશોપમાં વિદ્યાર્થીઓએ પોતાના હાથથી ગણેશજીની મૂર્તિ તૈયાર કરીને Come, shape the clay, explore your creativity, and shape divinity! ના સંદેશાને સાકાર કર્યો હતો.
IIIM અને CLASS દ્વારા આયોજિત આ અનોખી પહેલે વિદ્યાર્થીઓ તથા યુનિવર્સિટીમાં સર્જનાત્મકતા, ભારતીય કળા-સંસ્કૃતિ પ્રત્યેની પ્રશંસા અને પરંપરાગત કૌશલ્યો પ્રત્યેનો રસ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.