
આણંદ ટુડે | ગાંધીનગર
જનસેવા, વિકાસ અને ઉત્કૃષ્ટ લોક પ્રતિનિધિત્વના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર ગુજરાતના ૧૧ ધારાસભ્યોને પ્રતિષ્ઠિત ‘Shining India Best MLA Award - 2026’ એનાયત કરવામાં આવ્યા છે. ગાંધીનગરના સેક્ટર-૧૭ સ્થિત ટાઉન હોલ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં આસામના પૂર્વ રાજ્યપાલ પ્રો. જગદીશ મુખી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પુરસ્કારો માટે ‘શાઇનિંગ ઇન્ડિયા ન્યૂઝ’ અને ‘શાઇનિંગ ઇન્ડિયા સર્વે’ની ટીમ દ્વારા ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર ચાર મહિના સુધી વ્યાપક ગ્રાઉન્ડ સર્વે કરવામાં આવ્યો હતો. જનતા વચ્ચે ધારાસભ્યોની ઉપલબ્ધતા, જનસમસ્યાઓનું નિરાકરણ, વિકાસ કાર્યો, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ માપદંડોના આધારે પ્રારંભે ૫૫ ધારાસભ્યોની યાદી તૈયાર કરાઈ હતી, જેમાંથી અંતિમ ૧૧ ઉત્કૃષ્ટ ધારાસભ્યોની પસંદગી કરાઈ હતી.
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકશાહીમાં સુશાસન, જવાબદારી અને વિકાસલક્ષી રાજકીય કાર્યસંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. આ સન્માન માત્ર ધારાસભ્યોની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ તે જનતાના વિશ્વાસનું પણ સન્માન છે. કાર્યરોહના અંતે તમામ આમંત્રિત મહાનુભાવો અને ધારાસભ્યો માટે રાત્રિભોજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
લાઇફટાઇમ અચીવમેન્ટ અવોર્ડ: પ્રો. જગદીશ મુખી (શિક્ષણ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન બદલ)
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (પૂર્વ કેબિનેટ મંત્રી)
ધારાસભ્યો: પૂર્ણેશભાઈ મોદી (સુરત પશ્ચિમ), કાંતિલાલભાઈ અમૃતિયા (મોરબી), જનકભાઈ તલાવિયા (લાઠી), જગદીશભાઈ મકવાણા (વઢવાણ), સંજયસિંહ મહીડા (મહુધા), ભગવાનજીભાઈ કરગટિયા (માંગરોળ), ચૈતન્યસિંહ ઝાલા (પાદરા), જિગ્નેશ મેવાણી (વડગામ), ભગાભાઈ બારડ (તાલાલા), નરેશભાઈ પટેલ (ગણદેવી) અને કૌશિકભાઈ વેકરિયા (અમરેલી).
આયોજક હતિક સૈનીએ જણાવ્યું કે આ પહેલ જનસેવા, જવાબદારી અને વિકાસલક્ષી રાજકીય કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાનો એક પ્રયાસ છે.
ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર લગભગ ચાર મહિના સુધી અમારી ટીમે જમીની સ્તરે અભ્યાસ કર્યો. જનતાનો અભિપ્રાય, ધારાસભ્યની ઉપલબ્ધતા, જનસમસ્યાઓનું નિરાકરણ, વિકાસ કાર્યો અને સામાજિક સરોકારો સહિત અનેક નિર્ધારિત માપદંડોને મૂલ્યાંકનનો આધાર બનાવવામાં આવ્યા. 55 ધારાસભ્યોના વિસ્તૃત અભ્યાસ બાદ 11 ઉત્કૃષ્ટ ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી. અમારો વિશ્વાસ છે કે લોકશાહીમાં સારા કાર્યને ઓળખ મળવી જોઈએ. આ સન્માન માત્ર ધારાસભ્યોનું જ નહીં, પરંતુ તે નાગરિકોના વિશ્વાસનું પણ સન્માન છે, જેમના માટે જનપ્રતિનિધિઓ કાર્ય કરે છે.
સન્માન પ્રાપ્ત કરનારા ઉપસ્થિત ધારાસભ્યોએ આ સન્માનને પોતાના-પોતાના વિધાનસભા વિસ્તારોની જનતાના વિશ્વાસ અને સહયોગ સાથે જોડીને જનસેવા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.