
આણંદ ટુડે | ચકલાસી
દ્વારકા શારદા પીઠાધીશ્વર પરમ પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે આજરોજ ચકલાસી સ્થિત પવિત્ર રાજરાજેશ્વર આશ્રમની મુલાકાત લીધી હતી. આ પાવન પ્રસંગે પૂજ્ય મહારાજશ્રીએ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ સમગ્ર ચકલાસી નગરજનો પર વરસાવ્યા હતા.
આ મુલાકાત દરમિયાન પૂજ્ય મહારાજશ્રીએ રાજરાજેશ્વર આશ્રમના જૂના ભવનના વિકાસ અને જીર્ણોદ્ધાર માટે વિશેષ ખાતરી આપી હતી, જે આશ્રમ તેમજ ભક્તો માટે આનંદનો વિષય બન્યો હતો.
આ કાર્યક્રમમાં આશ્રમના ટ્રસ્ટી રામકૃષ્ણાનંદ બ્રહ્મચારી, આશિષભાઈ પટેલ, પાર્થભાઈ પંડ્યા, ડો. રાજેશભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ પ્રવિણભાઈ વાઘેલા તેમજ 'નમસ્કાર ગુજરાત' દૈનિકના મેનેજિંગ તંત્રી અને સિને મીડિયા ફાઉન્ડેશનના પ્રમુખ ડો. કલ્પેશ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડો. મહેશભાઈ શર્મા, રાજુભાઈ જાદવ, પ્રવિણભાઈ જાદવ, પ્રજ્ઞેશ કુમાર પારેખ, આશિષ બારોટ, ભાનુભાઈ પટેલ અને નગરપાલિકાના સભ્યો તથા મોટી સંખ્યામાં ભક્તોએ પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. મહારાજશ્રીના આગમનથી સમગ્ર ચકલાસી નગરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.