AnandToday
AnandToday
Thursday, 02 Apr 2026 18:30 pm
AnandToday

AnandToday

111-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી-2026

કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા

અનુભવી ચહેરા પર વિશ્વાસ, ભૃગુરાજસિંહ ચૌહાણને મળ્યો ટિકિટ

ઉમરેઠના ભૃગુરાજસિંહ ચૌહાણનો રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં વિશાળ અનુભવ

ત્રણ વખત તાલુકા પંચાયત પ્રમુખ રહી અનેક જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી

આણંદ | ટુડે

આણંદ જિલ્લાનાં ઉમરેઠ તાલુકાના અહિમા ગામના વતની ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રમાં લાંબા સમયથી સક્રિય રહ્યા છે. 62 વર્ષીય ભૃગુરાજસિંહ ચૌહાણે M.A., M.Ed. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને વિવિધ પદો પર રહીને લોકસેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)માં સેન્ટ્રલ ઝોનના કો-ઓર્ડિનેટર તરીકે 2025થી કામગીરી સંભાળી છે. તે પહેલાં તેઓ 2020 થી 2025 દરમિયાન પ્રદેશ પ્રતિનિધિ તરીકે કાર્યરત રહ્યા હતા. 2026માં નડિયાદ, મહુધા, ઠાસરા અને ગળતેશ્વર વિધાનસભા વિસ્તારો માટે PCC ઇનચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત, તેઓ મોરવાહડફ વિધાનસભાની 2020ની પેટાચૂંટણી તેમજ કરજણ વિધાનસભાની 2019ની પેટાચૂંટણીમાં પણ PCC ઇનચાર્જ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે.

સ્થાનિક સ્તરે તેઓ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સતત ત્રણ કાર્યકાળ (2000 થી 2015) સુધી સેવા આપી ચૂક્યા છે, જે તેમની નેતૃત્વ ક્ષમતાનું પ્રતિબિંબ છે.

સામાજિક ક્ષેત્રમાં પણ તેઓ સક્રિય રહ્યા છે. તેઓ માહી કાંઠા વિકાસ મંચ, આણંદના પ્રમુખ તેમજ અખિલ ગુજરાત ક્ષત્રિય મંચના સચિવ તરીકે જોડાયેલા છે. ઉપરાંત, અહિમા સેવા સહકારી મંડળીના ચેરમેન તરીકે પણ કામગીરી કરી રહ્યા છે.

ભૃગુરાજસિંહ ચૌહાણનો રાજકીય અનુભવ અને સમાજ સેવા પ્રત્યેનો અભિગમ તેમને વિસ્તારના એક પ્રભાવશાળી નેતા તરીકે ઓળખ અપાવે છે.