AnandToday
AnandToday
Saturday, 07 Mar 2026 18:30 pm
AnandToday

AnandToday

આણંદમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો 

જિલ્લા સ્તરના અગ્રણીઓ આપ છોડી કોંગ્રેસમાં જોડાયા

પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતભાઈ સોલંકીના હસ્તે ખેસ ધારણ કયો

વિવિધ હોદ્દેદારો આપ છોડીને કોંગ્રેસની વિચારધારા અપનાવી

આણંદ | આણંદ ટુડે

ગુજરાતમાં રાજકીય હલચલ વચ્ચે આમ આદમી પાર્ટીને આણંદ જિલ્લામાં મોટો ઝટકો લાગ્યો છે. જિલ્લામાં આપના વિવિધ હોદ્દાઓ પર કાર્યરત અગ્રણીઓએ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લઈ. આ તમામ આગેવાનોએ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતભાઈ સોલંકીના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

આ પ્રસંગે કોંગ્રેસમાં જોડાયેલા આપના આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસની વિચારધારા સ્વીકારીને આગામી સમયમાં સંગઠનને મજબૂત બનાવવાના હેતુથી કાર્ય કરશે. સાથે જ રાજ્યમાં ભાજપની “બી ટીમ” તરીકે કામ કરતી આપને છોડવાનો નિર્ણય કર્યો હોવાનું પણ જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટીનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયેલા આગેવાનોમાં દીપાવલીબેન ઉપાધ્યાય (પૂર્વ પ્રમુખ, આપ જિલ્લા સમિતિ), મુમતાઝબેન મુનિરઅલી સૈયદ (પૂર્વ ઉપ પ્રમુખ), મહિપતસિંહ ગોહિલ (પૂર્વ ઉપ પ્રમુખ), દીપેશભાઈ શાહ (પૂર્વ પ્રમુખ, આપ સોશિયલ મીડિયા આણંદ જિલ્લા સમિતિ), નીતિનભાઈ પટેલ (પૂર્વ મહામંત્રી), ખ્યાતીબેન શાહ (પૂર્વ પ્રમુખ, આપ મહિલા આણંદ જિલ્લા સમિતિ), રાજેષબેન શાહ (પૂર્વ મહામંત્રી), મૂળરાજસિંહ સિંધા (પૂર્વ પ્રમુખ, આપ યુથ જિલ્લા સમિતિ), વિજયસિંહ પરમાર (પૂર્વ મહામંત્રી) અને પ્રો. અમિતભાઈ વર્મા (પૂર્વ મહામંત્રી)નો સમાવેશ થાય છે.

આ આગેવાનો આગામી સમયમાં કોંગ્રેસ સંગઠનમાં જવાબદારી સ્વીકારી જિલ્લામાં પક્ષને વધુ મજબૂત બનાવશે તેવી માહિતી આપવામાં આવી છે.