
આણંદ ટુડે | આણંદ,
નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા - જીટોડીયા ખાતે નવા વર્ષની ઉજવણી અંતર્ગત આનંદ ઉલ્લાસ વાતાવરણમાં અમદાવાદ ધર્મ પ્રાંતના વિકાર જનરલ ફાધર વોલ્ટર ડિસોઝાએ ખ્રિસ્તયજ્ઞ અર્પણ કર્યો હતો.
ફાધર ડીસોઝાએ જણાવ્યું હતું કે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે વર્ષ 2026 માં ઈસુ ખ્રિસ્તે બતાવેલ સાચે માર્ગે ચાલીએ.
પ્રભુ ઈસુ ઈશ્વર પુત્ર હોવા છતાં માનવ રૂપ ધારણ કરીને માનવોની વચ્ચે આવીને રહ્યા તે આપણને સાચો માર્ગ બતાવે છે. હંમેશા પ્રાર્થના કરતા રહો. પવિત્ર આત્માની પ્રેરણાથી જીવનમાં આગળ વધવા, મનન ચિંતન કરવા અને હંમેશા ઈશ્વર આપણી સાથે છે તે યાદ રાખવા જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે પ્રભુ ઈસુ આપણને સમજ શક્તિ આપે છે, શાણપણ આપે છે, ત્યારે વર્ષ 2026 માં પ્રવેશ કરી રહ્યા છે, તો આપણે સૌ નવા વર્ષમાં સંકલ્પ બદ્ધ થઈ એ અને પ્રભુ ઈસુએ શીખવેલા પ્રેમ, શાંતિ, ભાઈચારો, માફી અને સાચા માર્ગ ઉપર ચાલીએ તે જ આજના દિવસનો મુખ્ય સંદેશ છે તેમ તેમણે કહ્યું હતું.
નવા વર્ષના ખ્રિસ્તયજ્ઞમાં ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મકવાને વર્ષ 2026 નું વર્ષ બધાને માટે આશીર્વાદિત બને તેમ કહ્યું હતું.
આ સમયે ફાધર આરોક, ફાધર વિજય, ફાધર પ્રમોદ સહિત સિસ્ટરો અને ધર્મજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખ્રિસ્ત યજ્ઞ બાદ ધર્મજનોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
****