AnandToday
AnandToday
Wednesday, 03 Dec 2025 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ખાસ ડ્રાઇવ યોજાઈ

જિલ્લામાં આવેલ યાત્રાધામ/પ્રવાસન સ્થળ પરિસરમાં વેચાતા ખાદ્ય પદાર્થનું કરાયું ચેકિંગ

પીપળાવના આશાપુરી માતાજી મંદિર અને લાંભવેલ હનુમાનજી મંદિર પરિસરની આસપાસ વેચાણ કરતા લારી ગલ્લા ઉપર ખાદ્ય પદાર્થનું કરાયું ચેકિંગ

13 કિલો બિન આરોગ્યપ્રદ ખોરાકનો જથ્થો નાશ કરાયો,,ખાદ્ય પદાર્થના કુલ ૧૭ નમુના લેવામાં આવ્યા

આણંદ ટુડે | આણંદ,
 આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં આવેલા યાત્રાધામ/ પ્રવાસન સ્થળો ખાતે વેચાણ થતા ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગ કરવા બાબતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 

નિવાસી અધિક કલેકટર શ્રી ઋતુરાજ દેસાઈ ની દેખરેખમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા પીપળાવ પાસેના આશાપુરી માતાજી મંદિર પરિસરની આસપાસ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા લારી ગલ્લાઓની એફ.એસ.એફ
 2006 અન્વયે તપાસ કરતા ખોરાક યોગ્ય અવસ્થામાં સારી હાઇજેનિક કન્ડિશનમાં રાખેલો અને શુદ્ધ સાત્વિક તથા તાજો પીરસવામાં આવે તે અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત યોગ્ય સાફ-સફાઈ રાખે, ગલોઝ પહેરે, કેપ પહેરે અને ફૂડ અને સેફટી ના કાયદાનું પાલન કરે તે અંગેની જાણકારી આપવામાં આવી હતી. 

ફૂડ સેફટી ઓફિસરો દ્વારા પ્રમુખસ્વામી મહારાજ પાપડી નો લોટ અને ખીચું, દેરાણી જેઠાણી પાપડી નો લોટ, જય ખોડીયાર પાણીપુરી અને ભેળ, સત કેવલ પાણીપુરી, દરબાર ટી સેન્ટર, જય આશાપુરી પાપડીનો લોટ, જલારામ પાપડીનો લોટ, જય મહાકાલી નાસ્તા હાઉસ, પટેલ ગોટા હાઉસ અને જે. કે. નાસ્તા હાઉસ ખાતે તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ખાદ્ય પદાર્થના કુલ ૦૬ નમૂના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત લાંભવેલ હનુમાનજી ના મંદિર ની આજુબાજુ કુલ સાત લારી ગલ્લા દુકાનોની તપાસ કરીને ૦૪ નમૂના મેળવવામાં આવ્યા છે. સ્વામિનારાયણ મંદિર બોચાસણ ની આજુબાજુમાં આવેલા લારી પાનના ગલ્લા બેકરી મળીને કુલ 10 પેઢીઓ ખાતે તપાસ કરવામાં આવી હતી જેમાંથી પણ ૦૭ નમૂનાઓ લેવામાં આવ્યા છે. જ્યારે પાઉનો એક નંગ પેકેટનો જથ્થો બિન આરોગ્યપ્રદ જણાઈ આવતા સ્થળ પર જ નાશ કરવામાં આવેલ છે.

આમ આણંદ જિલ્લામાં આવેલ યાત્રાધામો પ્રવાસન સ્થળો ખાતે આવતા શ્રદ્ધાળુઓ પ્રવાસીઓને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તેને સુનિશ્ચિત કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસણી દરમિયાન પાપડીનો લોટ ઢાંકીને રાખવા તથા આસપાસ સ્વચ્છતા રાખવા જણાવવામાં આવ્યું હતું. પાણીપુરીનો માવો અને પાણીપુરી નું પાણી 13 કિલો જેટલો બિન આરોગ્યપ્રદ જણા હતા તેનું નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જહા બનાવવાના સાધનોની યોગ્ય સફાઈ રાખવા જણાવવામાં આવ્યું હતું અને નાસ્તા હાઉસ ખાતે જરૂરિયાત પૂરતો તાજો નાસ્તો બનાવીને પીરસવા માટે સૂચવ્યું હતું. 

આમ, ફૂડ સેફટી ઓફિસર દ્વારા નમુનાઓ પૃથ્થકરણ અર્થે સરકારી ખાદ્ય પ્રયોગશાળા ખાતે મોકલવામાં આવેલ છે. જેનો અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદના ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે. 
****