AnandToday
AnandToday
Sunday, 23 Nov 2025 18:30 pm
AnandToday

AnandToday

આણંદમાં એચ. આર. પ્રાઈમની ૨૭ દુકાન સીલ કરાઈ

રૂ. ૪.૫૦ લાખનો બાકી વેરો જમા ન કરાવતા કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની ટીમે તમામ દુકાના કરી સીલ 

અન્ય એકમો પાસેથી રૂપિયા ૭૦ હજારના વેરાની કરાઈ વસુલાત

આણંદ ટુડે | આણંદ,
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં આવેલ વિવિધ મિલકતોનો બાકી રહેલો ટેક્સ ભરવા માટે જે તે મિલકત ધારકો ને નોટિસ આપવામાં આવી છે અને આ મિલકત ધારકોએ તેમની મિલકતનો ભરવા પાત્ર થતો બાકી રહેલ વેરો વિના વિલંબે જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. આમ છતાં અમુક મિલકત ધારકો દ્વારા નિયમિત ટેક્સ જમા કરાવવામાં આવતો નથી. 

આથી મનપાના ટેક્સ વિભાગના રિકવરી ટીમ દ્વારા બાકી વેરો ન ભરતા એકમો ખાતે થી વસુલાત કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે કરમસદ આણંદ મહાનગરપાલિકા ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા એ.વી. રોડ ઉપર આવેલ એચ. આર. પ્રાઈમમાં રૂ. ૪.૫૦ લાખ નો બાકી વેરો ભરપાઈ ન થવાના કારણે ૨૭ દુકાન સીલ કરવામાં આવી છે. તથા અન્ય મિલકતો ધારક પાસેથી રૂ. ૭૦ હજાર જેટલો બાકી વેરો સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવ્યો છે.  

મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી એસ. કે. ગરવાલ દ્વારા મનપા વિસ્તારમાં આવેલ મિલકત ધારકોનો વેરો બાકી હોય તેમણે સમયસર વેરો મનપા ખાતે જમા કરાવવા અપીલ કરી છે. અન્યથા મનપાના ટેક્સ વિભાગની ટીમ દ્વારા વેરો ભરપાઈ ન કરતા દુકાનો એકમ સીલ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. મનપાની વેરો ન ભરતા લોકો પાસેથી બાકી વેરો વસૂલવાની ઝુંબેશ હાલ ચાલુ રહેશે તેમ પણ જણાવ્યું છે.
***