
આણંદ ટુડે | આણંદ,
કરમસદ આણંદ મહાનગરપાલિકાના સેનીટેશન વિભાગ દ્વારા આકસ્મિક વિવિધ દુકાનો ખાતે તપાસણી હાથ ધરવામાં આવી હતી.
મનપાની આ તપાસણી દરમિયાન સરદાર ગંજમાં આવેલ નારાયણ પ્લાસ્ટિકમાંથી ૭૦૦ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક નો જથ્થો મળી આવ્યો હતો. જેને તાત્કાલિક અસરથી મનપાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો વેચાણ માટે રાખવા બદલ દંડનીય કાર્યવાહી કરી વહીવટી ચાર્જ પેટે રૂપિયા ૧૫ હજારનો નો દંડ સ્થળ ઉપર જ વસુલ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની સેનિટેશન વિભાગની ટીમ દ્વારા દુકાનદારોને પ્રતિબંધિત પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા, વેચાણ ન કરવા બાબતે અનુરોધ કરવામાં આવે છે. મનપાની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવશે, જે દુકાનો ખાતેથી આવો જથ્થો પકડાશે તો નિયમોને આધીન દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
***