AnandToday
AnandToday
Monday, 06 Oct 2025 18:30 pm
AnandToday

AnandToday

આણંદમાં આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે બહુમાળી બિલ્ડીંગ બનશે

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આણંદ શહેરના ટી.પી.૪ વેરીડ ફા.પ્લોટ નં.૧૩૪ ના ૨૧૩૦૦ ચો.મી. જગ્યા મહાનગરપાલિકા હસ્તક લીધી

આ પ્લોટ ઉપર આર્થિક રીતે પછાત વર્ગ માટે બહુમાળી બિલ્ડીંગમાં ૩૦૦ થી ૪૦૦ આવાસો બનાવવા મહાનગરપાલિકા ધ્વારા આયોજન કરાશે- કમિશનર શ્રી મિલિંદ બાપના

આણંદ, મંગળવાર
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આણંદ શહેરના ટી.પી.૪ વેરીડ ફા.પ્લોટ નં.૧૩૪ ના ૨૧૩૦૦ ચો.મી. જગ્યા મહાનગરપાલિકાની હતી પરંતુ ઘણા વર્ષોથી પઝશેન મળેલ ન હતું. જે જગ્યા કૃષિ યુનિવર્સિટી આણંદના પાછળના ભાગે આવેલી છે.

આ પ્લોટનો હેતુ સામાજીક અને આર્થિક નબળા વર્ગના લોકોના રહેણાક અર્થેનો હોઇ જેને આજરોજ તા.૦૭/૧૦/૨૦૨૫ મંગળવારના રોજ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મિલિંદ બાપનાનાની સુચના મુજબ મનપાના ટાઉન પ્લાનીંગ અને એસ્ટેટ વિભાગ ધ્વારા સ્થળ ઉપર માપણી કરી પઝશેન મેળવી લેવામાં આવ્યુ છે તેમજ આ પ્લોટ પર પ્રિકાસ્ટ વોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના જણાવ્યા મુજબ આ જગ્યા સામાજીક અને આર્થિક નબળા વર્ગના લોકોના રહેણાક હેતુ થી કરમસદ આણંદ મહાનગરાપાલિકાના દ્વારા ફ્લેટ બનાવવામાં આવશે જે ૩૦૦ થી ૪૦૦ જેટલા કુટુંબોને રહેવા માટેની સુવિધા ઉપલબ્ધ થશે.

સદર પ્લોટનો એરીયા ૨૧૩૦૦ ચો.મી. છે, જે ઘણો વિશાળ હોવાથી શહેરી વિસ્તારમાં થયેલ વિસ્તરણના કારણે શહેરોમાં આવાસોની માંગમા વધારો થયેલ છે, જે ધ્યાને રાખી આગામી પાંચ વર્ષ માટે ભારત સરકાર ધ્વારા સર્વ ઘર વિહોણાઓને પોષણક્ષમ ભાવે સુવિધાયુક્ત આવાસો મળી રહે તથા સ્થાળાંતરીત લોકોને પોષાય તેવા ભાવે આવાસ ઉપલ્બ્ધ થાય તેવા ઉમદા હેતુથી ભારત સરકારશ્રી ધ્વારા “ પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) ” અંતર્ગત એફોર્ડેબલ હાઉસીંગ ઇન પાર્ટનરશીપ ઘટક હેઠળ EWS-૧, EWS-૨ કેટેગરી પ્રકારના ૪૫ ચો.મી. સુધીના કારપેટ વિસ્તારની મર્યાદામાં આવાસનું બાંધકામ કરી રૂ.૩.૦૦ લાખ સુધીની કૌટુબિક વાર્ષિક આવક ધરાવતા આર્થિક રીતે નબળા વર્ગના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવશે. જે અન્વયે મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ માં ૩૦૦ થી ૪૦૦ આવાસો બનાવવા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ધ્વારા આયોજન  કરવામાં આવશે તેમ જણાવ્યું છે. 
***