
આણંદ ટુડે | આણંદ,
"સ્વચ્છતસવ ” અભિયાન- ૨૦૨૫ અંતર્ગત પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિના અવસરે ‘એક દિવસ, એક કલાક’ સૂત્ર સાથે નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીએ બોરસદ ચોકડીથી જીટોડિયા રોડ ઉપર શ્રમદાન કર્યું હતું.જેમાં જિલ્લાના અગ્રણી પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ સહીત નગરજનો જોડાયા હતા.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા જ સાચી ભક્તિ છે અને એ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. સ્વચ્છ ભારત – સ્વચ્છ ગુજરાત – સ્વચ્છ ગામના મહાસંકલ્પને સાકાર કરવા સૌ નાગરિકોને આ અભિયાનમાં જોડાઈને શ્રમદાન કરવા તેમણે આહ્વાન કર્યું હતું.
વધુમાં નાયબ મુખ્ય દંડકશ્રીએ ઉમેરતા જણાવ્યું હતું કે,સ્વચ્છ ભારતના સ્વપ્નને ચરિતાર્થ બનાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોમાં દેશના દરેક નાગરિકને આ અભિયાનમાં જોડાઈને પોતાનું ઘર, ગામ અને શહેર સ્વચ્છ રાખવું જોઈએ.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ,ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, મહાનગરપાલિકાના કમિશનરશ્રી મિલિંદ બાપના,જિલ્લા વિકાસ અધિકારસુશ્રી દેવાહુતી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે. વી. દેસાઈ સહીત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
-૦-૦-૦-