AnandToday
AnandToday
Monday, 22 Sep 2025 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ

Today : 23 SEPTEMBER 

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

" પ્રેમ નામ હે મેરા

બોલિવૂડ જગતના આઇકોનિક વિલન પ્રેમ ચોપરાનો આજે જન્મદિવસ

વિલનનું નામ આવે અને પ્રેમ ચોપરા ન યાદ આવે તે શક્ય નથી, બોલિવૂડ જગતના આઇકોનિક વિલન પ્રેમ ચોપરાનો આજે જન્મદિવસ છે.પ્રેમ ચોપરાનો જન્મ 23 સપ્ટેમ્બર 1935 ના રોજ લાહોરમાં થયો હતો.પ્રેમ ચોપરાએ વર્ષ 1960 માં ફિલ્મ ‘મૂડ મૂડ કે ના દેખ’ થી ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી.અનેક ફિલ્મોમાં શાનદાર અભિનય કરી દર્શકોના તેમણે દિલ જીત્યા છે ખાસ કરીને મોટા ભાગની ફિલ્મોમાં નેગેટિવ રોલમાં અભિનયના ઓજસ પાથર્યા છે .

* પદ્મ ભૂષણ અને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત આધુનિક હિન્દી કવિઓમાંનાં એક, ભારતીય હિન્દી કવિ, નિબંધકાર, દેશભક્ત અને કેળવણીકાર રામધારી સિંહ ‘દિનકર’નો બિહાર રાજ્યનાં બેગૂસરાય જિલ્લાનાં સીમરીયા ગામમાં જન્મ (1908)

આધુનિક યુગનાં શ્રેષ્ઠ વીર રસનાં કવિનાં રૂપમાં પ્રખ્યાત અને ‘રાષ્ટ્રકવિ’નાં રૂપમાં જાણીતાં ‘દિનકરે’ પોતાને "બેડ ગાંધીવાદી" કહેતા 

‘દિનકર’ રાજ્યસભા માટે ત્રણ વખત ચૂંટાયાં અને ભાગલપુર યુનિવર્સિટી (બિહાર)નાં કુલપતિ પણ રહ્યાં

* ગુજરાતમાં રાજપીપળાના મહારાજાના રાજકુમાર પુત્ર માનવેન્દ્ર સિંહ ગોહિલનો જન્મ (1965)

* બંગાળનાં ચટગાંવનાં વતની અને જાંબાજ મહિલા ક્રાંતિકારી પ્રીતિલતા વાદેદારનું અવસાન (1932)

* પ્રથમવાર પ્રયોગ દ્વારા પ્રકાશની ગતિનું માપ કાઢનાર પ્રતમ વિજ્ઞાની આર્માન્ડ હિપ્પોલિટ ફિઝુનો ફ્રાંસનાં પેરિસમાં જન્મ (1819)

પ્રથમવાર ઇ.સ.1676માં ઓલોસ રોમર નામનાં વિજ્ઞાાનીએ ગુરુનાં ઉપગ્રહોનો અભ્યાસ કરીને પ્રકાશની ગતિ 214000 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોવાનું જાહેર કર્યું, ત્યારબાદ ઈ.સ.1849માં આર્માન્ડ ફિઝુ નામનાં વિજ્ઞાાનીએ પ્રયોગ કરીને પ્રકાશની ગતિ માપી હતી, ગણતરી કરીને તેમણે પ્રકાશની ઝડપ 313300 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોવાનું પુરવાર કર્યું હતું અને તેની થિયરીનો વિશ્વભરમાં સ્વીકાર થયો હતો

જો કે ઈ.સ.1973માં ઈવાન્સને લેસર દ્વારા પ્રકાશની ગતિ માપવાની નવી પદ્ધતિ શોધી અને પ્રકાશની ગતિ એક સેકંડમાં 299792.45 કિલોમીટરની હોવાનું પૂરવાર કર્યું છે 

* પાકિસ્તાનમાં જન્મેલ હિન્દી ફિલ્મ ગીતકાર, પટકથાકાર અને કવિ રાજેન્દ્ર કૃષ્ણ દુગ્ગલનું મુંબઇમાં અવસાન (1987)

રાજેન્દ્ર ક્રિશનની હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રથમ પટકથા જનતા (1947) અને ગીતકાર તરીકે તેમની પહેલી ફિલ્મ ઝંજીર (1947), મોતીલાલ-સુરૈયા સ્ટારર આજ કી રાત (1948)માં તેઓની પ્રથમ સ્ક્રિપ્ટ અને ગીતો માટે નોંધવામાં આવી 

તેમની 40 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં 800 જેટલી ફિલ્મોમાં તેમનું યોગદાન રહ્યું છે

* અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર અને શ્રી અરબિંદોના શિષ્ય મંગેશ વિઠ્ઠલ નાડકર્ણીનું અવસાન (2007)

* ભારતીય અર્થશાસ્ત્રી અને સામાજિક વૈજ્ઞાનિક ભાવરાજુ સર્વેશ્વર રાવનું અવસાન (2010)

* ઑસ્ટ્રિયન ન્યુરોલોજીસ્ટ અને મનોવિશ્લેષણનાં સ્થાપક સિગ્મંડ ફ્રોઈડનું ઈંગ્લેન્ડનાં લંડનનાં હેમ્પસ્ટેડમાં અવસાન (1939)

દર્દી અને મનોવિશ્લેષક વચ્ચેની વાતચીતનું મનોવિશ્લેષણ કરીને તેનાં દ્વારા સારવારની રીતો શોધવાની સૌપ્રથમ શરૂઆત ડૉ.ફ્રોઈડે કરી અને ન્યુરોલોજીનાં ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું

* હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનેત્રી સિલ્ક સ્મિતાનું અવસાન (1996)

* ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા કે. બી. તિલકનું અવસાન (2010)

* તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી શાલિની પાંડેનો જન્મ (1933)

* હિન્દી ફિલ્મોમાં હાસ્ય કલાકાર અને અભિનેતા ગૌરવ ગેરાનો જન્મ (1973)

* બંગાળી ફિલ્મ નિર્દેશક અને પટકથા લેખક શ્રીજીત મુખરજીનો જન્મ (1977)

* ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુનો જન્મ (1985)

* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી નેહા મર્દાનો જન્મ (1985)

* કન્નડ સિનેમામાં અભિનેત્રી અને મોડલ કૃષિ થાપાંડાનો જન્મ (1989)

* મિસ વર્લ્ડ 2013માં ભારતનું પ્રતિનિધિત્વ મોડલ અને અભિનેત્રી નવનીત કૌર ધિલ્લોનનો જન્મ (1992)