
આણંદ ટુડે | આણંદ,
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મચ્છરની ઉત્પત્તિ મચ્છરથી થતા રોગ વિશે જાણકારી આપવા માટે ખાસ અભિયાન અંતર્ગત વિશ્વ મચ્છર દિવસે રેલી યોજવામાં આવી હતી.
જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે વિશ્વ મચ્છર દિવસ અતર્ગત ગ્રામ વિસ્તારમા પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકોના સહયોગથી જિલ્લાના ૫૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૦૮ અર્બન આરોગ્ય કેન્દ્ર અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના ક્ષેત્રીય વિસ્તારોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટીમ, આશા બહેનો અને અર્બન મેલેરિયા સ્કીમ સહિતની ટીમો દ્વારા વિશ્વ મચ્છર દિવસની ઊજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બાળકોને નારો આપવામાં આવ્યો હતો, જ્યાં જ્યાં પાણી, ત્યાં ત્યાં પોરા, જ્યાં જ્યાં પોરા, ત્યાં ત્યાં મચ્છર