
આણંદ ટુડે | આણંદ
આણંદના એક રીસોર્ટ ખાતે હિન્દુ રાજપુત સમાજના યુવા આગેવાનો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે હિન્દુ રાજપુત સંગઠન ગુજરાતની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સંગઠન દ્વારા બંધારણ મુજબ હક હેતુ સમાજમાં જાગૃતતા લાવવી, સમાજના મૌલિક હક અધિકાર માટે સમાજને મજબૂતી પ્રદાન કરવી તથા સમાજના યુવા વર્ગ અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવી અને તેઓને મળતા ૧૦ ટકાના લાભોની માહિતી છેવાડાના ગામડાઓ સુધી પહોંચે તેની ચિંતા કરવી તેમજ વધુ ને વધુ યોજનાઓનો સમાજને લાભ અપાવી શકાય તે અંગે અલગ અલગ રાજકીય પક્ષ ના હિન્દુ રાજકીય આગેવાનો દ્વારા ચર્ચા વિચારણા કરાઈ હતી .
આ બેઠકમાં પિંકલ ભાટિયા , (ભાજપ યુવા મોરચા ના ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી.) (વર્તમાનમાં ગુજરાત પ્રદેશ ભાજપ ના બેઠક અને કાર્યક્રમ વિભાગના પ્રદેશ સંયોજક.), ભરતસિંહ ચૌહાણ ,(આમ આદમી પાર્ટીના જિલ્લા પૂર્વ પ્રમુખ.)(બાર ગામ રાજપુત સમાજના પ્રમુખ),વિરેન્દ્રસિંહ ચાવડા ( એડવોકેટ ) (ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના સેક્રેટરી.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા પેનાલિસ્ટ ,(કો ઓર્ડીનેટર આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ , મીડિયા ડીપાર્ટમેન્ટ)
,નીતિનસિંહ પરમાર સામાજિક કાર્યકર્તા તેમજ નિલેશસિંહ ચાવડા,પ્રમુખ , આણંદ વિધાનસભા કોંગ્રેસ લીગલ સેલ ઉપાસ્થિત રહ્યા હતા.