AnandToday
AnandToday
Thursday, 03 Jul 2025 18:30 pm
AnandToday

AnandToday

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ

આણંદના NDDB ખાતે રૂપિયા ૧૬.૨ કરોડ ના ખર્ચે નવનિર્મિત બિલ્ડીંગનું  કરશે લોકાર્પણ

આણંદ,શુક્રવાર 
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ આણંદના બે - દિવસીય કાર્યક્રમ અન્વયે એન.ડી.ડી.બી અને અમૂલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અન્વયે તા.૦૬ જુલાઈ રવિવારના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે એન.ડી.ડી.બી. ખાતે રૂપિયા ૧૬.૨ કરોડના ખર્ચે નવનિર્મિત બિલ્ડીંગનું લોકાપર્ણ કરશે.

આ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ૫૭૦ સ્ક્વેર મિટર ગ્રાઉન્ડ ફ્લોર અને ૮૦૫ સ્ક્વેર મીટર ફર્સ્ટ ફ્લોર સહિત  કુલ ૧૩૭૫ સ્ક્વેર મીટરનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં ચેરમેન ઓફિસ, બોર્ડ રૂમ, મીટીંગ રૂમ, એક્ઝિબિશન અને ડિસ્પ્લે રૂમ, મીડિયા બ્રિફિંગ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું એન ડી ડી બી.ના અધિકારી દ્વારા જણાવાયું છે.
*****