
આણંદ,શુક્રવાર
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીના અવસર પર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ આણંદના બે - દિવસીય કાર્યક્રમ અન્વયે એન.ડી.ડી.બી અને અમૂલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે આવતીકાલ તા.૫ જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ આણંદના વાલ્મી ખાતેથી દેશની સૌ પ્રથમ સહકાર યુનિવર્સિટી "ત્રિભોવન સહકારી યુનિવર્સિટી" નું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે.ત્યારબાદ આણંદ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે જનસભાને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી સંબોધન કરશે.
દેશની પ્રથમ સહકાર યુનિવર્સિટીના ભૂમિ પૂજન અને શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શ્રી શંકર ચૌધરી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે ભારત સરકારના સહકાર રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણ પાલ,ભારત સરકારના સહકાર અને સિવિલ એવિયેશન વિભાગના રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહોલ,આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
-----