
આણંદ, ગુરુવાર
આણંદ ઈરમા "ત્રિભુવન" સહકાર યુનિવર્સિટીનો ૪૪મો વાર્ષિક પદવીદાન સમારોહ આગામી તા. ૨૮ જૂન ૨૦૨૫ ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એન.ડી.ડી.બી. ના ટી.કે પટેલ ઓડિટોરિયમ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવર્વતજી ના અધ્યક્ષસ્થાને યોજાશે.આ પદવીદાન સમારંભમાં ઇરમાના ૩૨૯ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.
જે અન્વયે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આ બેઠકમાં રાજ્યપાલશ્રીના પ્રોટોકોલ મુજબ કરવાની થતી કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.જેમાં કાર્યક્રમના સુચારૂ આયોજન માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી,જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈ સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
------