
આણંદ
આણંદ શહેરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે ગુરૂવારના રોજ જિલ્લા કોંગ્રેસનાં નવનિયુકત પ્રમુખ અલ્પેશ પઢીયારનો સત્કાર સહ શુભેચ્છા સમારોહ યોજાઈ ગયો જેમાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ સહીત પદાધિકારીઓ અને કાર્યકરોએ નવનિયુકત જિલ્લા પ્રમુખ અલ્પેશ પઢીયારને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી અને કોંગ્રેસ સંગઠનને મજબુત બનાવવા માટે સૌ સાથે મળી કામ કરવાની ખાત્રી આપી હતી.
આ પ્રસંગે પ્રારંભમાં જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ વિનુભાઈ સોલંકીએ સ્વાગત પ્રવચન કર્યા બાદ જિલ્લા પંચાયતનાં વિરોધપક્ષ કોંગ્રેસનાં નેતા નટવરસિંહ મહિડાએ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું હતું કે અલ્પેસ પઢીયાર આજે એક કાર્યકરમાંથી જિલ્લાનાં અધ્યક્ષ બન્યા છે,ત્યારે કોંગ્રેસનાં સંગઠનને મજબુત બનાવવા માટે આપણે સૌએ સાથે મળીને સહીયારો પુરૂષાર્થ કરવો પડશે,તેમજ જિલ્લાનાં અધ્યક્ષ તરફથી મળતા તમામ આદેશને માથે ચઢાવી પક્ષનાં સંગઠનને મજબુત બનાવવા માટે હાકલ કરી હતી.
આ પ્રસંગે કોંગ્રેસનાં અગ્રણી એમ.જી ગુજરાતીએ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું હતું કે રાજયનાં રાજકારણમાં આણંદ જિલ્લાનું હમેંસા મહત્વ રહ્યું છે,અને આણંદનાં જ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસનાં અધ્યક્ષપદની કામગીરી દરમિયાન સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં કોંગ્રેસને વિજય અપાવ્યો છે,અને કોંગ્રેસનાં માળખાને મજબુત બનાવ્યું છે.ત્યારે કોંગ્રેસનાં નવસર્જનની કામગીરી પણ આણંદથી જ થશે અને જિલ્લામાં સંગઠન મજબુત બનશે તેમ જણાવ્યું હતું.
વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસ પક્ષનાં નેતા અમિત ચાવડાએ નવનિયુકત જિલ્લા અધ્યક્ષને અભિનંદન પાઠવ્યા બાદ કહ્યું હતું કે આજે સમય આવ્યો છે,સમગ્ર ગુજરાતને લોકોને પરિવર્તન કરવું છે,પરંતુ આપણે કદાચ તે લોકો સુધી પહોંચી શકતાં નથી,ત્યારે આવનારા સમયમાં લોકોનાં ધર સુધી પહોંચી જનજન સુધી પહોંચી તેઓની વાત સાંભળી જનજનનો અવાજ બનીશુ લોકો માટે લડતા રહેશું તો આવનારા દિવસોમાં જનતા આપણી સાથે હસે તે નક્કી છે.આ્ગામી દિવસોમાં દરેક ગામ,દરેક વોર્ડ,દરેક ધર અને દરેક બુથ સુધી કોંગ્રેસનો એક એક કાર્યકર પહોંચશે,અને તેઓનો અવાજ બનશે,તેમજ આગામી દિવસોમાં યુવાનોને પક્ષ સાથે જોડીને યુવાનોનું મજબુત સંગઠન બનાવવામાં આવશે.
આ પ્રસંગે કોગ્રેસનાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું હતું કે કામ તો સૌ કોઈ કરે છે,પરંતુ કોનાં માટે કામ કરે છે તે મહત્વનું છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કામ કરે છે,પણ તેઓ અંબાણી અને અદાણી માટે કામ કરે છે,જયારે દિવગંત વડાપ્રધાન મનમોહનસિંહ કામ કરતા હતા તેેઓએ આ દેશનાં કરોડો ગરીબો માટે ફાયદાકારક યોજનાઓ લાવ્યા ,નરેન્દ્ર મોદી ચુંટણી પહેલા કહેતા હતા કે 50 દિવસમાં કાળુ નાણું પરત લાવીશ નહી તો મને ફાંસીએ ચઢાવી દેશો,.મોંધવારી નાબુદ કરવાની વાતો,ખેડુતોની આવક બમણી કરવાની માત્ર વાતો કરી રહ્યા છે,જયારે દેશનાં લોકો માટે સંસદમાં કોંગ્રેસનાં રાહુલ ગાંધી અવાજ ઉઠાવી લોકો માટે લડી રહ્યા છે્.
આ પ્રસંગે,જિલ્લાનાં પ્રભારી ભીખાભાઈ રબારી પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીનાં ડીરેકટર રાજેન્દ્રસિંહ પરમાર,પૂર્વ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પઢીયારએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા,આ પ્રસંગે ભરતસિંહ સોલંકી,અમિત ચાવડા,રાજેન્દ્રસિંહ પરમાર સહીત અગ્રણી નેતાઓ અને કોંગ્રેસનાં પદાધિકારીઓ અને કાર્યકરોએ પુષ્પહારથી અલ્પેશ પઢીયારનો સત્કાર કરી તેઓને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતભાઈ સોલંકી , ધારાસભ્ય , વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઇ સોલંકી, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ નટવરસિંહ મહિળા, કપીલાબેન ચાવડા, પ્રભારી ભીખાભાઈ રબારી, પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, લઘુમતી આગેવાન એમ જી ગુજરાતી, પેટલાદ આગેવાન ડો પ્રકાશભાઈ પરમાર, કેડીસીસી ડીરેકટર મહેન્દ્રસિંહ , કાર્યકારી પ્રમુખ ભૂપેન્દ્રભાઇ પટેલ, ડૉ. જાવેદ વ્હોરા, મહેશભાઈ સોલંકી, જે ડી ગોહિલે, સાવજસિહ, તાલુકા પ્રમુખશ્રી સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતમાં આભારવિધી કેડીસીસી બેંકનાં ડીરેકટર મહેન્દ્રસિંહ પરમારે કરી હતી.
આ પ્રસંગે નવનિયુકત જિલ્લા પ્રમુખ અલ્પેશ પઢીયારએ સન્માનનો પ્રત્યુત્તર પાઠવતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોંગ્રેસનાં મોવડી મંડળએ તેઓમાં વિશ્વાસ મુકી જયારે જિલ્લા અધ્યક્ષની જવાબદારી સોંપી છે,ત્યારે સંગઠન સૃજન અભિયાન હેઠળ કોંગ્રેસને આગળ વધારવા માટે ગામેગામ ધર ધર સુધી પહોંચી સંગઠનને મજબુત બનાવી સંગઠનમાં યુવાનો તેમજ તમામ ધર્મ જ્ઞાતીનાં લોકોને જોડીને સગંઠનને મજબુત બનાવી આગામી સહકાર કે રાજકીય તમામ ચુંટણીઓમાં કોંગ્રેસ તમામ ક્ષેત્રે મજબુત બની ઉભરશે તેવી આશા વ્યકત કરી હતી.