AnandToday
AnandToday
Saturday, 31 May 2025 18:30 pm
AnandToday

AnandToday

ખર્ચમાં સતત વધારો થતાં લોકો બચત કરવામાં અસમર્થ બન્યા,વ્યવસ્થિત રોકાણ કરવાની રીતમાં પણ મોટો ફેરફાર આવ્યો

મહામુલી મોંઘવારીનો પ્રભાવ : આણંદ અને નડિયાદ વિસ્તારમાં બચત અને રોકાણ પર અસર


CVM યુનિવર્સિટીના MBAના વિધાર્થીઓ દ્ધારા મોંઘવારી પર એક વિશ્લેષણાત્મક અભ્યાસ કરાયો

આણંદ ટુડે | વિદ્યાનગર
આણંદ શહેર પાસેના વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિધામંડળ (સીવીએમ) યુનિવર્સિટી સંચાવિત સી.ઝેડ પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના MBA પ્રોગ્રામના ડિરેક્ટર ડો. હેમંત ત્રિવેદીના માર્ગદર્શન મુજબ ફેકલ્ટી કો-ઓર્ડીનેટર ડૉ. રૂપલ રબારી દ્ધારા કોલેજના વિષાર્થીઓ રાજદીપ પરમાર, વિવેક કંસારા, શ્રેયસ સોલંકી, શિવ શાહ અને રવિ રાઠોડની ટીમ દ્વારા મોંઘવારી પર એક વિશ્વેષણાત્મક અભ્યાસ કરવામાં આવ્યો હતો. વિશ્વભરમાં વધી રહેલી મોંધવારી હવે આણંદ અને નડિયાદ જેવા ગુજરાતના અર્ધશહેરી વિસ્તારોમાં વસતા નાગરિકોની નાણાંકીય સ્થિતિ પર પણ અસર કરી રહી છે તે જાણવાના હેતુસર તાજેતરમાં આ સર્વે કરવામાં આવ્યો હતો. ખર્ચમાં સતત વધારો થતાં લોકો બચત કરવામાં અસમર્થ બન્યા છે અને વ્યવસ્થિત રોકાણ કરવાની રીતમાં પણ મોટો ફેરફાર આવ્યો છે. આણંદ અને નડિયાદ જેવા મધ્યમ અને અર્ધશહેરી વિસ્તારના નાગરિકો માટે મોધવારી ફક્ત ભાવવધારો નહીં, પણ નાણાંકીય જીવનશૈલીમાં પરિવર્તન થાવની ઘટના બની છે. આ વિશ્લેષણાત્મક અભ્યાસમાં ૧૨૮૫ નાગરિકોના જવાબો પરથી જાણવા મળ્યું કે મોંધવારી બચત, ખર્ચ અને રોકાણના પ્રકારોમાં નોંધપાત્ર અસર પેદા કરે છે, જેમાં આર્થિક વર્ગો. વયજૂથો અને વ્યવસાય મુજબ અલગ અલગ નાણાકીય વર્તન જોવા મળ્યા

અભ્યાસ અનુસાર, કુલ ૬૮ ટકા નાગરિકોએ સ્વીકાર્યું કે મોંધવારીએ તેમની બચત ક્ષમતા ઘટાડીને મૂંઝવણ ઊભી કરી છે. તેમાંમાંથી ૩૧ ટકા લોકોએ કહ્યું કે મોંધવારીની બચત પર ગંભીર અસર થઇ છે. જ્યારે ૩૭ ટકા લોકોએ થોડી અસર જણાવી. આ આંકડા દર્શાવે છે કે મોટા ભાગના લોકોના નાણાંકીય આયોજનમાં અનિવાર્ય રીતે ફેરફાર કરવો પડ્યો છે. આ બાબતને આધારે પરીક્ષણ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે, ઘરેલું આવક અને બચત ક્ષમતા વધી મજબૂત પરસ્પર સંબંધ છે. ખાસ કરીને રૂ. ૧૫,૦૦૦ થી ૫૦,૦૦૦ આવક ધરાવતા વર્ગને વધુ અસર થઇ છે.

લોકો મુખ્યત્વે બેંક સેવિંગ એકાઉન્ટ (48.6%) અને ફિક્સ્ડ ડિપોઝિટ (46.4%) જેવા પરંપરાગત સાઘનોમાં બચત કરે છે. નોંધપાત્ર લોકો ઘરમાં રોકડ (34.5%) અને સોનું/દાગીના (21.1%) તરીકે પણ બચત કરે છે. આથી સ્પષ્ટ થાય છે કે લોકોએ હજુ પણ સુરક્ષિત અને સગવડભરી પાદ્ધતિઓને વધુ પસંદ કરે છે.

*લોકો મોંઘવારી સામે જીવતર ચલાવવા ખર્ચ ઘટાડવા મજબૂર બન્યા છે.*

ફુગાવાએ લોકોના ખર્ચની ટેવો પર પણ અસર કરી છે. 43.7% લોકો કહે છે કે થોડો ફેરફાર થયો છે. જ્યારે 26 1% લોકો માટે બર્ચમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. આ રીતે લગભગ 70% લોકોએ પોતાના ખર્ચમાં ફેરફાર કર્યા છે એ સ્પષ્ટ કરે છે કે લોકો મોંઘવારી સામે જીવતર ચલાવવા ખર્ચ ઘટાડવા મજબૂર બન્યા છે.

*ફુગાવો સામાન્ય લોકોના રોજિંદા જીવનના મૂળભૂત ખર્ચ પર સીધી અસર કરે છે.*

લોકોનો સૌથી વધુ બર્ચ ખોરાક અને કરિયાણું (49.6%) ઉપર થયો છે, જે જીવન જરૂરીયાત છે. ત્યારબાદ પરિવહન (41.4%) અને આરોગ્ય સંભાળ (30.4%) છે. ખાડું/મકાન (204%) અને શિક્ષણ (19.4%) જેવા ખર્ચ પણ નોંધપાત્ર રીતે વધ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે ફુગાવો સામાન્ય લોકોના રોજિંદા જીવનના મૂળભૂત ખર્ચ પર સીધી અસર કરે છે.

મોંઘવારીના દબાણ હેઠળ નાગરિકોએ વિવિધ રૂપે ખર્ચ ઘટાડવાના ઉપાયો અજમાવ્યા છે. ૨૦ ટકા લોકોએ વિવેકાધીન ખર્ચ ઘટાડયો. ૧૮ ટકા લોકોએ સસ્તા વિકલ્પ પસંદ કર્યા અને ૧૪ ટકા લોકોએ બલ્ક ખરીદી તરફ વળ્યા. ૧૪ ટકા નાગરિકોએ પોતાનું પૂરક આવક સ્ત્રોત ઊભું કરવા માટે વધારાની આવક શરૂ કર્યું

જે લોકોએ ફગાવાને કારણે પોતાની રોકાણ વ્યૂહરચના બદલી છે, તેમના માટે સૌથી લોકપ્રિય વિકલ્પો છે. સૌનું/યાંદી (46.1%) અને ફિકસ્ડ ડિપોઝિટ (44.7%). મ્યુચ્યુઅલ ફંડ (35.1%) અને સ્થાવર મિયકત (16%) પણ પસંદગીમાં છે. આ દર્શાવે છે કે લોકો હવે એવા રોકાણ વિકલ્પો તરફ વળી રહ્યા છે જે ઓછા જોખમવાળા અને ફુગાવા સામે રક્ષણ આપતા હોય


*૪ર ટકા લોકો વધુ વળતર મળતું હોય એવા સાધનોમાં રોકાણ કરવા લાગ્યા*

આર્થિક અનિશ્ચિતતાને કારણે લોકોની રોકાણ પદ્ધતિઓમાં પણ મોટો ફેરફાર આવ્યો છે. કુલ ૪ર ટકા લોકોએ જણાવ્યું કે તેઓ વધુ વળતર મળતું હોય એવા સાધનોમાં રોકાણ કરવા લાગ્યા છે. ૧૪ ટકા લોકોએ મોંઘવારીથી બચવા રિયલ એસ્ટેટ સોનું અથવા SIP જેવી કૃગાવા-પ્રતિરોધક સાધનોની પસંદસગી કરી બચત માટે સૌથી વધુ પસંદ કરાયેલા માધ્યમોમાં બેંક ખાતું (૧૨% ),ફિક્સ ડિપોઝિટ (10.5%) સોનું (૧૧%) અને મ્યુચ્યુઅલ ફંડ (10%) સામેલ છે

*૫૧ ટકા લોકોએ ડિજિટલ પ્લેટફોર્મ તરફ રૂચિ બતાવી*

ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે નવા યુવાનો અને નોકરીપેશા વર્ગમાં ડિજિટલ રોકાણ પ્લેટફોર્મ માટે વધતી જતી સ્વીકાર્યતા જોવા મળી ૫૧ ટકા લોકોએ ડિજિટલ પ્લેટફોર્મ તરફ રૂચિ બતાવી પરીક્ષણ મુજબ જુદા-જુદા વય જૂથોમાં ડિજિટલ રોકાણ અપનાવવાની તીવ્રતા અલગ રહી છે. યુવાનો તેમાં સૌથી આગળ રહ્યાં.

આ વિશ્વેષણાત્મક અભ્યાસનું અંતિમ તારણ એ છે કે આણંદ અને નડિયાદ જેવા અર્ધશહેરી વિસ્તારોમાં પણ નાગરિકો હવે વધુ વ્યૂહાત્મક રીતે તેમના નાણાકીય નિર્ણયો લે છે. મોંધવારી સામે બચાવ માટે લોકો હવે માત્ર પરંપરાગત સાધનો પર નિર્ભરતા રાખતા નથી. તેઓ હવે રિસર્ચ આધારિત, વધુ નફાકારક અને ટેક્નોલોજી આધારિત વિકલ્પોને પસંદ કરી રહ્યાં છે. આવા સમયમાં સરકાર અને નાણાંકીય સંસ્થાઓ માટે આવશ્યક બની જાય છે કે તેઓ લોકો સમજી શકે તેવા વધુ સક્ષમ, ડિજિટર ફાઇનાન્સ સર્વિસ અને સુરક્ષિત બચત વિકલ્પ ઉપલબ્ધ કરાવે.

સીવીએમ યુનિવસીટીના પ્રેસિડેન્ટ વાઈસ પ્રેસિડેન્ટ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી તેમજ રાવે હોદ્દેદારોએ વિદ્યાર્થીઓ દ્ધારા કરવામાં આવેલા આ સર્વે રીપોર્ટ માટે શુભેચ્છાબો સાથે અભિનંદન પાઠવ્યા હતા.